Rajya Sabha Election: રાજ્યસભા માટે BJPએ ઉમેદવારોની કરી જાહેરાત, આ જૂના જોગીઓના પત્તા કપાયા


  • Published By :
  • Published Date : 2024-02-14 15:36:18

ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભા ચૂંટણી માટે તેમના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.  પાર્ટીએ ગુજરાત, ઓડિસા, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશથી રાજ્યસભા માટે તેમના ઉમેદવારોના નામની ઘોષણા કરી છે. ભાજપે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને એક દિવસ પહેલા જ પાર્ટીમાં સામેલ થયેલા અશોક ચવ્હાણને ઉમેદવાર બનાવ્યા છે. તે જ ઉપરાંત ઓડિસાથી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને તથા કેન્દ્રીય રાજ્ય મંત્રી એલ મુરૂગનને મધ્ય પ્રદેશથી પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. વૈષ્ણવ અને મુરૂગન ચૂંટણી જીતી જાય છે તો રાજ્યસભામાં આ તેમનો બીજો કાર્યકાળ હશે અને બંનેની જીતવાની સંભાવના વધુ છે. ઉલ્લેખનિય છે કે રાજ્યસભાની 56 સીટો માટે 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે અને નામાંકન દાખલ કરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે. 


આ મંત્રીઓને BJP લોકસભામાં ઉતારશે 


ભાજપે આ વખતે અપવાદોને બાદ કરતા નો રિપીટ થીયરી અપનાવી છે. જેમ કે પાર્ટીએ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, રાજીવ ચન્દ્રશેખર, ભૂપેન્દ્ર યાદવ, મનસુખ માંડવિયા, પુરૂશોત્તમ રૂપાલા, અને નારાયણ રાણે (મહારાષ્ટ્ર)નો કાર્યકાળ પૂરો થયો છે  તેમ છતાં તેમને ઉમેદવાર બનાવ્યા નથી. પાર્ટી સુત્રોના જણાવ્યા પ્રમાણે આ તમામ નેતાઓને પાર્ટી આ લોકસભા ચૂંટણીમાં ઉતારવા માગે છે. તમામ નેતાઓને લોકસભા ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરવાનું પણ કહીં દીધું છે.



યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .

થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .