રાજ્યસભા સાંસદ Parimal Nathwaniએ PM Modiને આપી Call of the Gir પુસ્તકની પ્રથમ નકલ..


  • Published By :
  • Published Date : 2024-08-01 14:47:06

ગીરનું નામ સાંભળીએ એટલે આપણા દિમાગમાં સૌથી પહેલા વિચાર આવે સિંહનો, ગીરના જંગલોનો, ત્યાંના દ્રશ્યોનો.. ગીરને યાદ કરતા જ રોમે રોમમાં રોમાંચ ઉભો થઈ જાય.. આંખો બંધ કરતાં જ ત્યાંની સુંદર દુનિયામાં પહોંચી જઈએ.. ત્યાં પ્રાકૃતિક સુંદરતા તો છે પરંતુ ત્યાંના હાવજ જોવાની અલગ જ મજા છે.. ગીરના સાવજો તો ગુજરાતનું ઘરેણું કહેવાય. 

પીએમ મોદીને "કોલ ઓફ ધ ગીર"ની ભેટ આપી 

ગીરના સાવજની વાત એટલા માટે કરવી છે કારણ કે ગઈકાલે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પોતાના નવા પુસ્તક "કોલ ઓફ ધ ગીર"ની પ્રથમ નકલ PM Modiને ભેટ આપી છે. પીએમ Modiએ પરિમલ નથવાણી સાથે ગીર અને ગીરના સિંહો વિશે અને બુક વિશે વાતો કરી હતી....“કોલ ઓફ ધ ગીર" પુસ્તકએ પરિમલ નથવાણીની કોફી-ટેબલ બુક છે. પીએમ મોદીએ આ પુસ્તકનું વિમોચન કર્યું છે. 



પરિમલ નથવાણીએ માન્યો પીએમ મોદીનો આભાર 

ખ્યાતનામ આંતરરાષ્ટ્રીય પ્રકાશક ક્વિંગનોગ દ્વારા તેનું પ્રકાશન કરાયું છે. જોકે 2017માં, પરિમલ નથવાણીએ પુસ્તક ગીર લાયન્સ પ્રાઈડ ઓફ ગુજરાત લખ્યું હતું. પરિમલ નથવાણીએ વડાપ્રધાનનો આ પુસ્તકના આદરપૂર્વક સ્વીકાર કરવા બદલ આભાર માન્યો. તેમણે કહ્યું હતું કે, “મારા માટે એ અત્યંત ગર્વની વાત છે કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ આ પુસ્તકને ધીરજપૂર્વક નિહાળ્યું છે.અગાઉ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે અને હાલ તેઓ ભારતના વડાપ્રધાન છે ત્યારે પણ તેમણે ગીર, ગુજરાતમાં એશિયાટિક સિંહોના સંવર્ધન અને રક્ષણ માટે ઘણું કામ કર્યું છે."    




ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.