રાજ્યસભાઃ વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, આ વખતે કોંગ્રેસ 40નો આંકડો પણ વટાવી નહીં શકે


  • Published By :
  • Published Date : 2024-02-07 15:30:01

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવનો જવાબ આપી રહ્યા છે. પીએમ મોદીએ 2 વાગ્ય બોલવાનું શરૂ કર્યું આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર નિશાન સાધીને આકરા પ્રહારો કર્યા છે. પીએમ મોદીએ કહ્યું કે ટીકા કરવી કેટલાક લોકોની મજબુરી છે. કડવી વાતો કરવી એ કેટલાક સાથીઓની મજબુરી છે. પ્રધાનમંત્રીએ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પર નિશાન સાધતા કહ્યું કે સંસદમાં પ્રધાનમંત્રીનો અવાજ દબાવવાના પ્રયાસો કરવામા આવ્યા મને બહું જ સતાવવામાં આવ્યો છે. અમે ખુબ જ ધીરજથી તમારો એક-એક શબ્દ સાંભળી રહ્યા છિએ, જો કે તમે આજે પણ સાંભળવાની તૈયારી સાથે આવ્યા નથી. પરંતું  તમે મારો અવાજ દબાવી નહીં શકો. દેશની જનતાએ આ અવાજને તાકાત આપી છે. તેથી હું આજે સંપુર્ણ તૈયારીઓ સાથે આવ્યો છું. 


કોંગ્રેસ પર પ્રહારો


જે કોંગ્રેસે સત્તાની લાલચમાં લોકતંત્રનું ગળું દબાવ્યું હતું. જેણે લોકતાંત્રીક રીતે જીતીને આવેલી સરકારોને સસ્પેન્ડ કરી હતી. જે કોંગ્રેસે દેશના બંધારણ અને લોકશાહીની મર્યાદાને જેલના સળિયા પાછળ ધકેલી દીધી હતી. જેણે અખબારોને તાળું લગાવવાના પ્રયાસો કર્યા હતા. જે કોંગ્રેસ દેશને તોડવાના નેરેટીવ રચવાનો શોખ પેદા થયો હતો. હવે ઉત્તર અને દક્ષિણને તોડવા માટે નિવેદનો આપી રહ્યા છે. તે કોંગ્રેસ અમને લોકતંત્ર પર પ્રવચનો આપી રહી છે. તમે ભાષા અને દેશને તોડવાના પ્રયાસ કરી રહ્યા છો. જેણે નોર્થ ઈસ્ટને હુમલા અને હિંસામાં ધકેલી દીધું. જેણે નક્સલવાદ માટે દેશને માટે પડકારરૂપ બનાવી દીધો. દેશની જમીન દેશના હવાલે કરી દીધી. દેશની સેનાને આધુનિકિકરણ કરતા રોકી દીધી. તે આજે અમને રાષ્ટ્રિય સુરક્ષા પર ભાષણ આપી રહી છે.   


આ વખતે કોંગ્રેસ 40 પર આવી જશે


કોંગ્રેસ પર હુમલો કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે કોંગ્રેસ આ વખતે 40 સીટો પણ વટાવી નહીં શકે, કોંગ્રેસની વિચારશૈલી પણ આઉટડેટેટ થઈ ગઈ છે. જ્યારે કોંગ્રેસની વિચારસરણી પર જુની થઈ ગઈ છે ત્યારે તેનું કામકાજ પણ તેણે આઉટસોર્સ કરી દીધું છે. જોત જોતામાં આટલી મોટી પાર્ટી, આટલા વર્ષો સુધીનું શાસન કરનારા પક્ષનો આટલી હદે રકાસ. અમારી તમારા પ્રત્યે સંવેદનાઓ છે. જો કે ડોક્ટર શું કરશે...જ્યારે દર્દી ખુદ....આગળ હું શું બોલું....



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.