TMC સાંસદ ડેરેક ઓ બ્રાયન રાજ્યસભામાંથી સસ્પેન્ડ, ચોમાસુ સત્રમાં ભાગ નહીં લઈ શકે


  • Published By :
  • Published Date : 2023-08-08 14:15:44

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ' બ્રાયનને અભદ્ર આચરણ અને અધ્યક્ષની સુચનાની અવહેલના કરવાના કારણે ચોમાસુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજ્ય સભામાં નક્કી થયેલા અજેન્ડા પર સવાલો પુછાયા બાદ રાજય સભા અધ્યક્ષ જગદીપ ધનખડે મણિપુરની સ્થિતી પર ચર્ચા માટે વિપક્ષી દળો પાસે માગ કરી અને કહ્યું કે આ અજેન્ડામાં હતો પણ ફળિભૂત થયો નથી. 


ડેરેક ઓ બ્રાયને ઉઠાવ્યા સવાલ


ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયન ઔચિત્યના પ્રશ્નનો મુદ્દો ઉઠાવવા માટે ઉભા થયા હતા. અધ્યક્ષે તેમને ચેતવ્યા કે તે ઔચિત્યના પ્રશ્ન સિવાય કાંઈક ન બોલે. ટીએમસીના સભ્યએ સ્પષ્ટ રીતે નિયમ 267 હેઠળ ચર્ચા માટે વિપક્ષો દ્વારા આપવામાં આવેલી નોટિસનો ઉલ્લેખ કર્યો હતો. ચેરમેને ડેરેક ઓ બ્રાયનું નામ લઈને તેમને ફરીથી ચેતવ્યા હતા. ત્યાર બાદ પીયૂષ ગોયલે ડેરેક ઓ બ્રાયનને સમગ્ર ચોમાસુ સત્ર માટે સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ રજુ કર્યો હતો.  


બ્રાયન સામે અધ્યક્ષનું આકરૂ વલણ!


રાજય સભા અધ્યક્ષ જગદીપ ધનખડે કહ્યું ડેરેક ઓ બ્રાયને અભદ્ર આચરણ કરવા અને ચેરની સુચનાની અવગણના કરવા બદલ મોનસુન સત્રથી સસ્પેન્ડ કર્યા છે. તેમણે કહ્યું કે બ્રાયનનો વ્યવહાર નિમ્ન કક્ષાનો હતો. તેમની પોઝિશન જોતા તે ન્યાયસંગત પણ નથી.  તેમણે મર્યાદા તોડી છે અને તે જાણી જોઈને કર્યું છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી