TMC સાંસદ ડેરેક ઓ બ્રાયન રાજ્યસભામાંથી સસ્પેન્ડ, ચોમાસુ સત્રમાં ભાગ નહીં લઈ શકે


  • Published By :
  • Published Date : 2023-08-08 14:15:44

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ' બ્રાયનને અભદ્ર આચરણ અને અધ્યક્ષની સુચનાની અવહેલના કરવાના કારણે ચોમાસુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજ્ય સભામાં નક્કી થયેલા અજેન્ડા પર સવાલો પુછાયા બાદ રાજય સભા અધ્યક્ષ જગદીપ ધનખડે મણિપુરની સ્થિતી પર ચર્ચા માટે વિપક્ષી દળો પાસે માગ કરી અને કહ્યું કે આ અજેન્ડામાં હતો પણ ફળિભૂત થયો નથી. 


ડેરેક ઓ બ્રાયને ઉઠાવ્યા સવાલ


ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયન ઔચિત્યના પ્રશ્નનો મુદ્દો ઉઠાવવા માટે ઉભા થયા હતા. અધ્યક્ષે તેમને ચેતવ્યા કે તે ઔચિત્યના પ્રશ્ન સિવાય કાંઈક ન બોલે. ટીએમસીના સભ્યએ સ્પષ્ટ રીતે નિયમ 267 હેઠળ ચર્ચા માટે વિપક્ષો દ્વારા આપવામાં આવેલી નોટિસનો ઉલ્લેખ કર્યો હતો. ચેરમેને ડેરેક ઓ બ્રાયનું નામ લઈને તેમને ફરીથી ચેતવ્યા હતા. ત્યાર બાદ પીયૂષ ગોયલે ડેરેક ઓ બ્રાયનને સમગ્ર ચોમાસુ સત્ર માટે સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ રજુ કર્યો હતો.  


બ્રાયન સામે અધ્યક્ષનું આકરૂ વલણ!


રાજય સભા અધ્યક્ષ જગદીપ ધનખડે કહ્યું ડેરેક ઓ બ્રાયને અભદ્ર આચરણ કરવા અને ચેરની સુચનાની અવગણના કરવા બદલ મોનસુન સત્રથી સસ્પેન્ડ કર્યા છે. તેમણે કહ્યું કે બ્રાયનનો વ્યવહાર નિમ્ન કક્ષાનો હતો. તેમની પોઝિશન જોતા તે ન્યાયસંગત પણ નથી.  તેમણે મર્યાદા તોડી છે અને તે જાણી જોઈને કર્યું છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.