મિમિક્રી વિડીયો મુદ્દે રાજ્યસભા અધ્યક્ષ જગદીપ ધનખડ લાલઘુમ, આકરા શબ્દોમાં રોષ ઠાલવ્યો


  • Published By :
  • Published Date : 2023-12-19 22:47:53

સંસદના શિયાળુ સત્રમાં જબરદસ્ત હંગામો મચી ગયો છે. જો છેલ્લા બે દિવસની વાત કરીએ તો સંસદમાં હોબાળો કરવાના કારણે 100થી વધુ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં વિપક્ષના સાંસદો મંગળવારે સંસદ ભવન બહાર બેસીને વિરોધ કરી રહ્યા હતા આ દરમિયાન, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીએ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડની મિમિક્રી કરી, જેના પર ઉપરાષ્ટ્રપતિ ગુસ્સે થઈ ગયા હતા. આ ઘટનાને શરમજનક ગણાવતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે એક સાંસદ મજાક ઉડાવી રહ્યો છે અને બીજો સાંસદ તે ઘટનાનો વીડિયો બનાવી રહ્યો છે તે હાસ્યાસ્પદ અને અસ્વીકાર્ય બાબત છે.


મારા હૃદય પર શું વીત્યું હશે- ધનખડ


અધ્યક્ષ જગદીપ ધનખડે કહ્યું, "આ માત્ર એક ખેડૂત અને એક સમુદાયનું અપમાન નથી, આ રાજ્યસભાના અધ્યક્ષ પદનો અનાદર છે અને તે પણ એક એવા રાજકીય પક્ષના સભ્ય દ્વારા જેણે આટલા લાંબા સમય સુધી શાસન કર્યું છે. સંસદના એક વરિષ્ઠ સભ્ય અન્ય સભ્યની વીડિયોગ્રાફી કરે છે. શા માટે? કલ્પના કરો કે જ્યારે તમારા એક અગ્રણી નેતા એક સાંસદ દ્વારા કરવામાં આવતી સ્પીકરની મિમિક્રીનો  બનાવી રહ્યા હતા, આ મિમિક્રી દ્વારા મારી મજાક ઉડાવવામાં આવતી હતી આ બાબત મારા પર અંગત રીતે હુમલો છે, તમે વિચારો કે મારા હૃદય પર શું વીત્યું હશે. શ્રી ચિદમ્બરમ જી, તમારી પાર્ટીએ એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેને પાછળથી હટાવી દેવામાં આવ્યો હતો, આ શરમજનક છે."


એક જાટ તરીકે અને સ્પિકર તરીકે મારા પદનું અપમાન 


અધ્યક્ષ જગદીપ ધનખડે વધુમાં કહ્યું, 'તમે મારું અપમાન કર્યું છે, એક ખેડૂત તરીકેની મારી પૃષ્ઠભૂમિનું અપમાન કર્યું છે, એક જાટ તરીકે અને સ્પિકર તરીકે મારા પદનું અપમાન કરવા (કોંગ્રેસ) પાર્ટીના સત્તાવાર પ્રવક્તાના ટ્વિટર હેન્ડલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મુદ્દો ખૂબ ગંભીર છે, કૃપા કરીને તમારી બેઠકો પર જાઓ. આ પછી અધ્યક્ષે ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દીધી. ઉલ્લેખનીય છે કે જ્યારે ટીએમસી સાંસદ મિમિક્રી કરી રહ્યા હતા ત્યારે રાહુલ ગાંધી, પ્રમોદ તિવારી, જયરામ રમેશ, મનોજ ઝા, ડી રાજા, કાર્તિ ચિદમ્બરમ જેવા ઘણા અગ્રણી નેતાઓ ત્યાં હાજર હતા.




સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.