મિમિક્રી વિડીયો મુદ્દે રાજ્યસભા અધ્યક્ષ જગદીપ ધનખડ લાલઘુમ, આકરા શબ્દોમાં રોષ ઠાલવ્યો


  • Published By :
  • Published Date : 2023-12-19 22:47:53

સંસદના શિયાળુ સત્રમાં જબરદસ્ત હંગામો મચી ગયો છે. જો છેલ્લા બે દિવસની વાત કરીએ તો સંસદમાં હોબાળો કરવાના કારણે 100થી વધુ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં વિપક્ષના સાંસદો મંગળવારે સંસદ ભવન બહાર બેસીને વિરોધ કરી રહ્યા હતા આ દરમિયાન, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીએ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડની મિમિક્રી કરી, જેના પર ઉપરાષ્ટ્રપતિ ગુસ્સે થઈ ગયા હતા. આ ઘટનાને શરમજનક ગણાવતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે એક સાંસદ મજાક ઉડાવી રહ્યો છે અને બીજો સાંસદ તે ઘટનાનો વીડિયો બનાવી રહ્યો છે તે હાસ્યાસ્પદ અને અસ્વીકાર્ય બાબત છે.


મારા હૃદય પર શું વીત્યું હશે- ધનખડ


અધ્યક્ષ જગદીપ ધનખડે કહ્યું, "આ માત્ર એક ખેડૂત અને એક સમુદાયનું અપમાન નથી, આ રાજ્યસભાના અધ્યક્ષ પદનો અનાદર છે અને તે પણ એક એવા રાજકીય પક્ષના સભ્ય દ્વારા જેણે આટલા લાંબા સમય સુધી શાસન કર્યું છે. સંસદના એક વરિષ્ઠ સભ્ય અન્ય સભ્યની વીડિયોગ્રાફી કરે છે. શા માટે? કલ્પના કરો કે જ્યારે તમારા એક અગ્રણી નેતા એક સાંસદ દ્વારા કરવામાં આવતી સ્પીકરની મિમિક્રીનો  બનાવી રહ્યા હતા, આ મિમિક્રી દ્વારા મારી મજાક ઉડાવવામાં આવતી હતી આ બાબત મારા પર અંગત રીતે હુમલો છે, તમે વિચારો કે મારા હૃદય પર શું વીત્યું હશે. શ્રી ચિદમ્બરમ જી, તમારી પાર્ટીએ એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેને પાછળથી હટાવી દેવામાં આવ્યો હતો, આ શરમજનક છે."


એક જાટ તરીકે અને સ્પિકર તરીકે મારા પદનું અપમાન 


અધ્યક્ષ જગદીપ ધનખડે વધુમાં કહ્યું, 'તમે મારું અપમાન કર્યું છે, એક ખેડૂત તરીકેની મારી પૃષ્ઠભૂમિનું અપમાન કર્યું છે, એક જાટ તરીકે અને સ્પિકર તરીકે મારા પદનું અપમાન કરવા (કોંગ્રેસ) પાર્ટીના સત્તાવાર પ્રવક્તાના ટ્વિટર હેન્ડલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મુદ્દો ખૂબ ગંભીર છે, કૃપા કરીને તમારી બેઠકો પર જાઓ. આ પછી અધ્યક્ષે ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દીધી. ઉલ્લેખનીય છે કે જ્યારે ટીએમસી સાંસદ મિમિક્રી કરી રહ્યા હતા ત્યારે રાહુલ ગાંધી, પ્રમોદ તિવારી, જયરામ રમેશ, મનોજ ઝા, ડી રાજા, કાર્તિ ચિદમ્બરમ જેવા ઘણા અગ્રણી નેતાઓ ત્યાં હાજર હતા.




રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.