મિમિક્રી વિડીયો મુદ્દે રાજ્યસભા અધ્યક્ષ જગદીપ ધનખડ લાલઘુમ, આકરા શબ્દોમાં રોષ ઠાલવ્યો


  • Published By :
  • Published Date : 2023-12-19 22:47:53

સંસદના શિયાળુ સત્રમાં જબરદસ્ત હંગામો મચી ગયો છે. જો છેલ્લા બે દિવસની વાત કરીએ તો સંસદમાં હોબાળો કરવાના કારણે 100થી વધુ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં વિપક્ષના સાંસદો મંગળવારે સંસદ ભવન બહાર બેસીને વિરોધ કરી રહ્યા હતા આ દરમિયાન, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીએ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડની મિમિક્રી કરી, જેના પર ઉપરાષ્ટ્રપતિ ગુસ્સે થઈ ગયા હતા. આ ઘટનાને શરમજનક ગણાવતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે એક સાંસદ મજાક ઉડાવી રહ્યો છે અને બીજો સાંસદ તે ઘટનાનો વીડિયો બનાવી રહ્યો છે તે હાસ્યાસ્પદ અને અસ્વીકાર્ય બાબત છે.


મારા હૃદય પર શું વીત્યું હશે- ધનખડ


અધ્યક્ષ જગદીપ ધનખડે કહ્યું, "આ માત્ર એક ખેડૂત અને એક સમુદાયનું અપમાન નથી, આ રાજ્યસભાના અધ્યક્ષ પદનો અનાદર છે અને તે પણ એક એવા રાજકીય પક્ષના સભ્ય દ્વારા જેણે આટલા લાંબા સમય સુધી શાસન કર્યું છે. સંસદના એક વરિષ્ઠ સભ્ય અન્ય સભ્યની વીડિયોગ્રાફી કરે છે. શા માટે? કલ્પના કરો કે જ્યારે તમારા એક અગ્રણી નેતા એક સાંસદ દ્વારા કરવામાં આવતી સ્પીકરની મિમિક્રીનો  બનાવી રહ્યા હતા, આ મિમિક્રી દ્વારા મારી મજાક ઉડાવવામાં આવતી હતી આ બાબત મારા પર અંગત રીતે હુમલો છે, તમે વિચારો કે મારા હૃદય પર શું વીત્યું હશે. શ્રી ચિદમ્બરમ જી, તમારી પાર્ટીએ એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેને પાછળથી હટાવી દેવામાં આવ્યો હતો, આ શરમજનક છે."


એક જાટ તરીકે અને સ્પિકર તરીકે મારા પદનું અપમાન 


અધ્યક્ષ જગદીપ ધનખડે વધુમાં કહ્યું, 'તમે મારું અપમાન કર્યું છે, એક ખેડૂત તરીકેની મારી પૃષ્ઠભૂમિનું અપમાન કર્યું છે, એક જાટ તરીકે અને સ્પિકર તરીકે મારા પદનું અપમાન કરવા (કોંગ્રેસ) પાર્ટીના સત્તાવાર પ્રવક્તાના ટ્વિટર હેન્ડલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મુદ્દો ખૂબ ગંભીર છે, કૃપા કરીને તમારી બેઠકો પર જાઓ. આ પછી અધ્યક્ષે ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દીધી. ઉલ્લેખનીય છે કે જ્યારે ટીએમસી સાંસદ મિમિક્રી કરી રહ્યા હતા ત્યારે રાહુલ ગાંધી, પ્રમોદ તિવારી, જયરામ રમેશ, મનોજ ઝા, ડી રાજા, કાર્તિ ચિદમ્બરમ જેવા ઘણા અગ્રણી નેતાઓ ત્યાં હાજર હતા.




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.