રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીની ફરી એકવાર GSFAના પ્રમુખ તરીકે નિમણૂક


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-07-01 15:57:33

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે. 

આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરી હતી જેમાં તેમણે લખ્યું હતું કે , " હું ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (GSFA) ના સભ્યોનો આભારી છું કે જેમણે મારામાં ફરીથી વિશ્વાસ મૂક્યો અને આજે કારોબારી સમિતિની બેઠક તથા 47મી વાર્ષિક સામાન્ય સભામાં મને એસોસિયેશનના પ્રમુખ તરીકે પુનઃનિમિત કર્યા. ગુજરાતમાં ફૂટબોલનો ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ જોવા મળી રહી છે. શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા જિલ્લાઓ, ક્લબો, રેફરી, ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવ્યા. GSFA ખાતે આપણે બધા પ્રતિભાને પોષવા અને આપણા યુવાનોમાં રમતગમતની સંસ્કૃતિ વિકસિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ. આદરની ક્ષણ તરીકે, અમારે અમદાવાદમાં તાજેતરમાં થયેલી દુઃખદ વિમાન દુર્ઘટના અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીજીને શ્રદ્ધાંજલિ આપવા માટે 2 મિનિટનું મૌન પાળ્યું. GSFA માટે આવનારા વર્ષને પ્રભાવશાળી બનાવવાની આશા સાથે આગળ વધીએ છીએ!" 

વાત કરીએ GSFAની તેના દ્વારા આ વર્ષે પણ ૨૦૨૫ના વર્ષમાં અમદાવાદ સ્થિત કાંકરિયા ખાતે એકા ફૂટબોલ ગ્રાઉન્ડ , ટ્રાન્સસ્ટેડીયામાં 1લી મેથી 13મી મે, 2025 દરમિયાન ગુજરાત સુપર લીગ (GSL)ની બીજી સિઝનનું આયોજન કર્યું હતું. આ ગુજરાત સુપર લીગમાં છ ટીમોએ ભાગ લીધો હતો . જેમાં અમદાવાદ એવેન્જરસ , ગાંધીનગર જાયન્ટ્સ , કર્ણાવતી નાઈટ્સ , સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ , સુરત સ્ટ્રાઈકર્સ અને વડોદરા વોરિયર્સનો સમાવેશ થાય છે. આ બધામાં વડોદરા વોરિયર્સ વિજેતા રહી હતી.  



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.