રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીની ફરી એકવાર GSFAના પ્રમુખ તરીકે નિમણૂક


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-07-01 15:57:33

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે. 

આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરી હતી જેમાં તેમણે લખ્યું હતું કે , " હું ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (GSFA) ના સભ્યોનો આભારી છું કે જેમણે મારામાં ફરીથી વિશ્વાસ મૂક્યો અને આજે કારોબારી સમિતિની બેઠક તથા 47મી વાર્ષિક સામાન્ય સભામાં મને એસોસિયેશનના પ્રમુખ તરીકે પુનઃનિમિત કર્યા. ગુજરાતમાં ફૂટબોલનો ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ જોવા મળી રહી છે. શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા જિલ્લાઓ, ક્લબો, રેફરી, ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવ્યા. GSFA ખાતે આપણે બધા પ્રતિભાને પોષવા અને આપણા યુવાનોમાં રમતગમતની સંસ્કૃતિ વિકસિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ. આદરની ક્ષણ તરીકે, અમારે અમદાવાદમાં તાજેતરમાં થયેલી દુઃખદ વિમાન દુર્ઘટના અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીજીને શ્રદ્ધાંજલિ આપવા માટે 2 મિનિટનું મૌન પાળ્યું. GSFA માટે આવનારા વર્ષને પ્રભાવશાળી બનાવવાની આશા સાથે આગળ વધીએ છીએ!" 

વાત કરીએ GSFAની તેના દ્વારા આ વર્ષે પણ ૨૦૨૫ના વર્ષમાં અમદાવાદ સ્થિત કાંકરિયા ખાતે એકા ફૂટબોલ ગ્રાઉન્ડ , ટ્રાન્સસ્ટેડીયામાં 1લી મેથી 13મી મે, 2025 દરમિયાન ગુજરાત સુપર લીગ (GSL)ની બીજી સિઝનનું આયોજન કર્યું હતું. આ ગુજરાત સુપર લીગમાં છ ટીમોએ ભાગ લીધો હતો . જેમાં અમદાવાદ એવેન્જરસ , ગાંધીનગર જાયન્ટ્સ , કર્ણાવતી નાઈટ્સ , સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ , સુરત સ્ટ્રાઈકર્સ અને વડોદરા વોરિયર્સનો સમાવેશ થાય છે. આ બધામાં વડોદરા વોરિયર્સ વિજેતા રહી હતી.  



આણંદ અમુલ નિયામક મંડળની ચૂંટણી જાહેર થઇ ચુકી છે. આ ચૂંટણીઓ ૧૦મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ માટે આણંદ અમુલ ડેરીએ આખરી મતદાર યાદી પણ પ્રસ્સિદ્ધ કરી નાખી છે. હવે ચૂંટણીનો ધમધમાટ તેજ થવા સાથે ઉમેદવારની દાવેદારી કરવા ઇચ્છતા નેતાઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આણંદ નિયામક મંડળની ૧૩ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં મહિલાઓ માટે બે બેઠકો અનામત રાખવામાં આવી છે.

ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી , હવે ફરી એકવાર બેઉ દેશ ભારત અને પાકિસ્તાન આરબ સાગરમાં યુદ્ધ અભ્યાસ કરવા જઈ રહ્યા છે . ભારત અને પાકિસ્તાનની નૌકા સેનાઓ બે દિવસો ૧૧ અને ૧૨ ઓગસ્ટ માટે , આરબ સાગરમાં યુદ્ધ અબ્યાસ હાથ ધરશે. બને દેશના ફાયરિંગ ઝોન વચ્ચે ૬૦ નોટિકલ માઈલનું અંતર રહેશે. તો હવે બીજી તરફ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અમેરિકાની મુલાકાતે છે . જ્યાંથી તેમણે ભારત માટે પરમાણુ બોમ્બની ધમકી ઉચ્ચારી છે.

ભારતના નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજિત ડોભાલ રશિયાની મુલાકાતે છે. જ્યાં તેમણે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સહીત રશિયન સિક્યોરિટી સાથે જોડાયેલા અધિકારીઓ સાથે વાતચીત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના "ટેરિફ" રૂપી ટેરરિઝમની સામે ભારત અને રશિયા પોતાનો સહયોગ વધારવા જઈ રહ્યા છે . સાથે જ અજિત ડોભાલની આ મુલાકાતમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત આવવાના છે તેને લઇને તારીખો પર પણ ચર્ચા થઇ છે .

ગોંડલના અનિરુદ્ધસિંહ રીબડા જેમની સજા માફી મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સરકારનો ઉઘાડો લીધો છે. ગુજરાત સરકારે , ૨૦૧૮માં અનિરુદ્ધસિંહ રીબડાને કોંગ્રેસના પૂર્વ MLA પોપટભાઈ સોરઠિયાની ૧૯૮૮માં જે હત્યા કરવામાં આવી તે કેસમાં માફી આપી હતી . તો હવે આ સજા માફીને પડકારતી પિટિશન સ્વ. પોપટભાઈ સોરઠિયાના પૌત્ર ધ્વરા હાઇકોર્ટમાં કરવામાં આવી હતી . આ મામલે ગુજરાત હાઇકોર્ટે સરકારના સત્તાધીશોની સાથે જેલના સત્તાધીશોને સવાલો પૂછ્યા છે. તો હવે પ્રશ્ન થાય છે કે , અનિરુદ્ધસિંહ રીબડા આ કેસમાં ફરીથી જેલમાં જશે?