રાકેશ અસ્થાનાને એક્સટેન્શન મુદ્દે સુપ્રીમ કોર્ટ કરશે સુનાવણી, નિયમોનું પાલન ન થયાનો આરોપ


  • Published By :
  • Published Date : 2022-12-16 21:36:42

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂક અંગે કેન્દ્ર સરકાર અને દેશની સર્વોચ્ચ અદાલત વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે વચ્ચે સુપ્રીમ કોર્ટે વધુ એક નિર્ણય લીધો છે. રાકેશ અસ્થાનાની દિલ્હી પોલીસ કમિશનર તરીકે નિમણૂક જે નિર્ણય હેઠળ કરવામાં આવી હતી તેની સમીક્ષા કરવાનો સુપ્રીમ કોર્ટે નિર્ણય કર્યો છે. જો કે, દિલ્હી હાઈકોર્ટ પહેલા જ આવી એક અરજીને ફગાવી ચૂકી છે. પરંતુ સુપ્રીમ કોર્ટે આ અરજી પર નવેસરથી સુનાવણી કરવા સંમતિ દર્શાવી છે.


રાકેશ અસ્થાનાને નિવૃતિ પછી એક્સટેન્શન 


રાકેશ અસ્થાનાને દિલ્હીના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા હતા જ્યારે તેમની નિવૃત્તિને માત્ર ચાર દિવસ બાકી હતા. જે બાદ ગૃહ મંત્રાલયે તેમને એક વર્ષનું એક્સટેન્શન પણ આપ્યું હતું જોકે, રાકેશ અસ્થાના હાલ નિવૃત છે. પરંતુ સુપ્રીમ કોર્ટ તેમની નિવૃત્તિ પછી પણ તેમની નિમણૂક માટે અપનાવવામાં આવેલી પ્રક્રિયાને જોવા માટે સંમત થઈ છે. રાકેશ અસ્થાનાની સાથે આ નિર્ણય મોદી સરકાર માટે પણ મુશ્કેલી ઉભી કરનાર છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને પીએસ નરસિમ્હા તેમના કેસની ફરીથી સુનાવણી કરવા સંમત થયા.


પ્રશાંત ભૂષણે ઉઠાવ્યા સવાલો


રાકેશ અસ્થાના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે. 27 જુલાઈ 2021ના રોજ તેમને દિલ્હીના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા હતા. આ નિર્ણય જાહેર હિત સાથે સંબંધિત છે તેના આધારે તેમને નિવૃત્તિ આપવામાં આવી હતી. એડવોકેટ પ્રશાંત ભૂષણે તેમની નિમણૂક પર સવાલ ઉઠાવતા કહ્યું કે તેમની નિમણૂક 27મી જુલાઈએ થઈ છે અને 31મી જુલાઈએ તેમને 1 વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આ પ્રકાશ સિંહ એન્ડ અન્ય વિ.માં સુપ્રીમ કોર્ટના નિર્ણય સાથે સુસંગત નથી. પ્રકાશ સિંહે કોઈ પણ રાજ્યના ડીજીપીની નિમણૂક કરતા પહેલા કેટલાક સૂચનો આપ્યા હતા. તેમણે કહ્યું કે આવા વરિષ્ઠ પદ પર નિમણૂક માટે એક પેનલની રચના કરવી જોઈએ. જેમણે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને સરકારને ત્રણ નામ મોકલવા જોઈએ. આ પોસ્ટ પર જે અધિકારીની નિમણૂક થવાની છે તેની ઓછામાં ઓછી છ મહિનાની સેવા બાકી હોવી જોઈએ. પ્રશાંત ભૂષણે કહ્યું કે અસ્થાનાના કેસમાં આ બધી બાબતોની અવગણના કરવામાં આવી. જો કે, દિલ્હી હાઈકોર્ટે અસ્થાનાની નિમણૂક અંગેની અરજીને એ આધાર પર ફગાવી દીધી હતી કે આ તમામ માર્ગદર્શિકા ડીજીપીની નિમણૂક માટે છે. જ્યારે અસ્થાના દિલ્હીના પોલીસ કમિશનર હતા.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.