રાખી સાવંતે શેર કર્યા લગ્નના ફોટો, પતિ આદિલે નિકાહ થયા હોવાનો કર્યો ઈન્કાર


  • Published By :
  • Published Date : 2023-01-12 17:18:52

ડ્રામા ક્વીન તરીકે જાણીતી રાખી સાવંત ફરી એક વખત ચર્ચામાં આવી છે. રાખી સાવંતે સોશિયલ મીડિયા પર પોતાના લગ્નના ફોટા પોસ્ટ કરી તેમના ચાહકોને આ અંગેની જાણકારી આપી હતી. લગ્નના ફોટા શેર કરી હતી અને એક ઈન્ટરવ્યુ દરમિયાન રાખીએ કહ્યું કે તેમના લગ્ન ઘણા સમય પહેલા થઈ ગઆ હતા. આદિલે આ વાતની જાણકારી આપવાની ના પાડી હતી તે માટે હજી સુધી આ જાહેરાત કરવામાં આવી ન હતી.  

Rakhi Sawant Marries Boyfriend Adil Durrani! Photos Went Viral | Rakhi  Sawant Wedding: રાખી સાવંતે બોયફ્રેન્ડ આદિલ દુર્રાની સાથે કર્યા લગ્ન! તેના  ગળામાં માળા પહેરાવતો ફોટો વાયરલ

સોશિયલ મીડિયા પર લગ્નની તસવીર શેર કરી  

થોડા દિવસો પહેલા રાખી સાવંતે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોતાના લગ્નના ફોટા પોસ્ટ કર્યા હતા. આદિલ દુર્રાની સાથેના ફોટા શેર થયા તે બાદ આદિલે લગ્ન થયા હોવાની વાતનો ઈન્કાર કર્યો હતો. છેલ્લા ઘણા સમયથી બંને લીવ ઈન રિલેશનશીપમાં રહેતા હતા. રાખી સાવંતે જે ફોટો શેર કર્યો છે તેમાં આદિલ અને રાખી સાવંત કોર્ટ મેરેજ કર્યા છે ઉપરાંત નિકાહ પણ કર્યો છે. લગ્ન થવાને કારણે રાખી સાવંતે પોતાનું નામ ફાતિમા આદિલ દુરાની છે.  

Rakhi Sawant Marries Boyfriend Adil Durrani! Photos Went Viral | Rakhi  Sawant Wedding: રાખી સાવંતે બોયફ્રેન્ડ આદિલ દુર્રાની સાથે કર્યા લગ્ન! તેના  ગળામાં માળા પહેરાવતો ફોટો વાયરલ

રાખી સાવંતને લવ જેહાદનો ડર સતાવી રહ્યો છે 

આદિલે જ્યારે નિકાહ થવાનો ઈન્કાર કર્યો તે બાદ આ અંગે રાખી સાવંતે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે મને લવ જેહાદનો ડર સતાવી રહ્યો છે, કારણ કે આદિલનો પરિવાર એમની પર દબાણ કરી રહ્યા છે જેને કારણે આદિલ રાખી સાથે વાત નથી કરી રહ્યા છે. રાખી સાવંતે કહ્યું કે આદિલ ખબર નહીં નિકાહની ના કેમ પાડે છે. સાવંતે કહ્યું કે તે ઘણી ડરી ગઈ છે, જેને કારણે તેમણે નિગાહની વાત લોકો સામે મૂકી દીધી.    



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.