રાખી સાવંતે શેર કર્યા લગ્નના ફોટો, પતિ આદિલે નિકાહ થયા હોવાનો કર્યો ઈન્કાર


  • Published By :
  • Published Date : 2023-01-12 17:18:52

ડ્રામા ક્વીન તરીકે જાણીતી રાખી સાવંત ફરી એક વખત ચર્ચામાં આવી છે. રાખી સાવંતે સોશિયલ મીડિયા પર પોતાના લગ્નના ફોટા પોસ્ટ કરી તેમના ચાહકોને આ અંગેની જાણકારી આપી હતી. લગ્નના ફોટા શેર કરી હતી અને એક ઈન્ટરવ્યુ દરમિયાન રાખીએ કહ્યું કે તેમના લગ્ન ઘણા સમય પહેલા થઈ ગઆ હતા. આદિલે આ વાતની જાણકારી આપવાની ના પાડી હતી તે માટે હજી સુધી આ જાહેરાત કરવામાં આવી ન હતી.  

Rakhi Sawant Marries Boyfriend Adil Durrani! Photos Went Viral | Rakhi  Sawant Wedding: રાખી સાવંતે બોયફ્રેન્ડ આદિલ દુર્રાની સાથે કર્યા લગ્ન! તેના  ગળામાં માળા પહેરાવતો ફોટો વાયરલ

સોશિયલ મીડિયા પર લગ્નની તસવીર શેર કરી  

થોડા દિવસો પહેલા રાખી સાવંતે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોતાના લગ્નના ફોટા પોસ્ટ કર્યા હતા. આદિલ દુર્રાની સાથેના ફોટા શેર થયા તે બાદ આદિલે લગ્ન થયા હોવાની વાતનો ઈન્કાર કર્યો હતો. છેલ્લા ઘણા સમયથી બંને લીવ ઈન રિલેશનશીપમાં રહેતા હતા. રાખી સાવંતે જે ફોટો શેર કર્યો છે તેમાં આદિલ અને રાખી સાવંત કોર્ટ મેરેજ કર્યા છે ઉપરાંત નિકાહ પણ કર્યો છે. લગ્ન થવાને કારણે રાખી સાવંતે પોતાનું નામ ફાતિમા આદિલ દુરાની છે.  

Rakhi Sawant Marries Boyfriend Adil Durrani! Photos Went Viral | Rakhi  Sawant Wedding: રાખી સાવંતે બોયફ્રેન્ડ આદિલ દુર્રાની સાથે કર્યા લગ્ન! તેના  ગળામાં માળા પહેરાવતો ફોટો વાયરલ

રાખી સાવંતને લવ જેહાદનો ડર સતાવી રહ્યો છે 

આદિલે જ્યારે નિકાહ થવાનો ઈન્કાર કર્યો તે બાદ આ અંગે રાખી સાવંતે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે મને લવ જેહાદનો ડર સતાવી રહ્યો છે, કારણ કે આદિલનો પરિવાર એમની પર દબાણ કરી રહ્યા છે જેને કારણે આદિલ રાખી સાથે વાત નથી કરી રહ્યા છે. રાખી સાવંતે કહ્યું કે આદિલ ખબર નહીં નિકાહની ના કેમ પાડે છે. સાવંતે કહ્યું કે તે ઘણી ડરી ગઈ છે, જેને કારણે તેમણે નિગાહની વાત લોકો સામે મૂકી દીધી.    



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી