રાખી સાવંતે શેર કર્યા લગ્નના ફોટો, પતિ આદિલે નિકાહ થયા હોવાનો કર્યો ઈન્કાર


  • Published By :
  • Published Date : 2023-01-12 17:18:52

ડ્રામા ક્વીન તરીકે જાણીતી રાખી સાવંત ફરી એક વખત ચર્ચામાં આવી છે. રાખી સાવંતે સોશિયલ મીડિયા પર પોતાના લગ્નના ફોટા પોસ્ટ કરી તેમના ચાહકોને આ અંગેની જાણકારી આપી હતી. લગ્નના ફોટા શેર કરી હતી અને એક ઈન્ટરવ્યુ દરમિયાન રાખીએ કહ્યું કે તેમના લગ્ન ઘણા સમય પહેલા થઈ ગઆ હતા. આદિલે આ વાતની જાણકારી આપવાની ના પાડી હતી તે માટે હજી સુધી આ જાહેરાત કરવામાં આવી ન હતી.  

Rakhi Sawant Marries Boyfriend Adil Durrani! Photos Went Viral | Rakhi  Sawant Wedding: રાખી સાવંતે બોયફ્રેન્ડ આદિલ દુર્રાની સાથે કર્યા લગ્ન! તેના  ગળામાં માળા પહેરાવતો ફોટો વાયરલ

સોશિયલ મીડિયા પર લગ્નની તસવીર શેર કરી  

થોડા દિવસો પહેલા રાખી સાવંતે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોતાના લગ્નના ફોટા પોસ્ટ કર્યા હતા. આદિલ દુર્રાની સાથેના ફોટા શેર થયા તે બાદ આદિલે લગ્ન થયા હોવાની વાતનો ઈન્કાર કર્યો હતો. છેલ્લા ઘણા સમયથી બંને લીવ ઈન રિલેશનશીપમાં રહેતા હતા. રાખી સાવંતે જે ફોટો શેર કર્યો છે તેમાં આદિલ અને રાખી સાવંત કોર્ટ મેરેજ કર્યા છે ઉપરાંત નિકાહ પણ કર્યો છે. લગ્ન થવાને કારણે રાખી સાવંતે પોતાનું નામ ફાતિમા આદિલ દુરાની છે.  

Rakhi Sawant Marries Boyfriend Adil Durrani! Photos Went Viral | Rakhi  Sawant Wedding: રાખી સાવંતે બોયફ્રેન્ડ આદિલ દુર્રાની સાથે કર્યા લગ્ન! તેના  ગળામાં માળા પહેરાવતો ફોટો વાયરલ

રાખી સાવંતને લવ જેહાદનો ડર સતાવી રહ્યો છે 

આદિલે જ્યારે નિકાહ થવાનો ઈન્કાર કર્યો તે બાદ આ અંગે રાખી સાવંતે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે મને લવ જેહાદનો ડર સતાવી રહ્યો છે, કારણ કે આદિલનો પરિવાર એમની પર દબાણ કરી રહ્યા છે જેને કારણે આદિલ રાખી સાથે વાત નથી કરી રહ્યા છે. રાખી સાવંતે કહ્યું કે આદિલ ખબર નહીં નિકાહની ના કેમ પાડે છે. સાવંતે કહ્યું કે તે ઘણી ડરી ગઈ છે, જેને કારણે તેમણે નિગાહની વાત લોકો સામે મૂકી દીધી.    



મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.

ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.