રાખી સાવંતે શેર કર્યા લગ્નના ફોટો, પતિ આદિલે નિકાહ થયા હોવાનો કર્યો ઈન્કાર


  • Published By :
  • Published Date : 2023-01-12 17:18:52

ડ્રામા ક્વીન તરીકે જાણીતી રાખી સાવંત ફરી એક વખત ચર્ચામાં આવી છે. રાખી સાવંતે સોશિયલ મીડિયા પર પોતાના લગ્નના ફોટા પોસ્ટ કરી તેમના ચાહકોને આ અંગેની જાણકારી આપી હતી. લગ્નના ફોટા શેર કરી હતી અને એક ઈન્ટરવ્યુ દરમિયાન રાખીએ કહ્યું કે તેમના લગ્ન ઘણા સમય પહેલા થઈ ગઆ હતા. આદિલે આ વાતની જાણકારી આપવાની ના પાડી હતી તે માટે હજી સુધી આ જાહેરાત કરવામાં આવી ન હતી.  

Rakhi Sawant Marries Boyfriend Adil Durrani! Photos Went Viral | Rakhi  Sawant Wedding: રાખી સાવંતે બોયફ્રેન્ડ આદિલ દુર્રાની સાથે કર્યા લગ્ન! તેના  ગળામાં માળા પહેરાવતો ફોટો વાયરલ

સોશિયલ મીડિયા પર લગ્નની તસવીર શેર કરી  

થોડા દિવસો પહેલા રાખી સાવંતે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોતાના લગ્નના ફોટા પોસ્ટ કર્યા હતા. આદિલ દુર્રાની સાથેના ફોટા શેર થયા તે બાદ આદિલે લગ્ન થયા હોવાની વાતનો ઈન્કાર કર્યો હતો. છેલ્લા ઘણા સમયથી બંને લીવ ઈન રિલેશનશીપમાં રહેતા હતા. રાખી સાવંતે જે ફોટો શેર કર્યો છે તેમાં આદિલ અને રાખી સાવંત કોર્ટ મેરેજ કર્યા છે ઉપરાંત નિકાહ પણ કર્યો છે. લગ્ન થવાને કારણે રાખી સાવંતે પોતાનું નામ ફાતિમા આદિલ દુરાની છે.  

Rakhi Sawant Marries Boyfriend Adil Durrani! Photos Went Viral | Rakhi  Sawant Wedding: રાખી સાવંતે બોયફ્રેન્ડ આદિલ દુર્રાની સાથે કર્યા લગ્ન! તેના  ગળામાં માળા પહેરાવતો ફોટો વાયરલ

રાખી સાવંતને લવ જેહાદનો ડર સતાવી રહ્યો છે 

આદિલે જ્યારે નિકાહ થવાનો ઈન્કાર કર્યો તે બાદ આ અંગે રાખી સાવંતે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે મને લવ જેહાદનો ડર સતાવી રહ્યો છે, કારણ કે આદિલનો પરિવાર એમની પર દબાણ કરી રહ્યા છે જેને કારણે આદિલ રાખી સાથે વાત નથી કરી રહ્યા છે. રાખી સાવંતે કહ્યું કે આદિલ ખબર નહીં નિકાહની ના કેમ પાડે છે. સાવંતે કહ્યું કે તે ઘણી ડરી ગઈ છે, જેને કારણે તેમણે નિગાહની વાત લોકો સામે મૂકી દીધી.    



ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.