Rakhiyal Police જુગારીઓને બચાવવા ગઈ અને પોતે ભરાઈ ગઈ! પહેલા 10 લાખ માગ્યા એક લાખ 35 હજારમાં ડીલ ફાઈનલ કરી, અને પછી ACBની થઈ એન્ટ્રી...


  • Published By :
  • Published Date : 2024-02-27 17:07:22

કાંડ આ શબ્દ જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે આપણા મનમાં પોલીસ દ્વારા આચરવામાં આવતા કાંડો યાદ આવી જાય. છેલ્લા ઘણા સમયમાં એટલા બધા કાંડ સામે આવ્યા છે જે ખાખીને શર્મસાર કરે તેવા છે. હદ તો એવી થઈ ગઈ છે કે એક તોડકાંડની ચર્ચા ખતમ ન થઈ હોય ત્યાં તો આપણી સામે બીજો તોડકાંડ સામે આવી ગયો હોય. ગુજરાતમાં હમણાં ઘણા સમયથી પોલીસ સ્ટેશનમાં થતા તોડકાંડ બહાર આવી રહ્યા છે . ત્યારે વધુ એક તોડકાંડ અમદાવાદના રખીયાલથી સામે આવ્યો છે.  

 

તોડકાંડ જાણે પોલીસની ઓળખ બની ગયો હોય તેવું લાગે!

ઘણા સમયથી પોલીસ વિભાગ ચર્ચામાં છે. તોડ કરનાર અનેક પોલીસકર્મીઓ સામે આવી રહ્યા છે. તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે પોલીસ દ્વારા આચરવામાં આવતા કાંડ કેમ માત્ર થોડા સમયથી સામે સામે આવી રહ્યા છે? શું પોલીસવાળા હમણાં જ તોડ કરી રહ્યા છે તેવા પ્રશ્નો થતા હશે. પોલીસ પહેલા પણ તોડ કરતી પરંતુ હવે વધારે અને પ્રમાણિક પણે કામગીરી કરવામાં આવી રહી છે જેને કારણે આવા કાંડ સામે આવી રહ્યા છે. તોડકાંડની આપણે ત્યાં કમી નથી. ઉનાકાંડ હોય કે પછી ઓગણજનો તોડકાંડ હોય, ત્યારે વધુ એક તોડકાંડ રખિયાલ પોલીસ સ્ટેશનથી સામે આવ્યો છે. હાલમાં ફરી એકવાર અમદાવાદમાં રખિયાલ પોલીસ સ્ટેશનમાં એક તોડકાંડ બહાર આવ્યો છે , આનો ખુલાસો ACB એટલે કે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા કરવામાં આવેલા ઓપરેશનમાં થયો હતો . 


પોલીસે આટલા લાખમાં ડીલ કરી ફાઈનલ!

સમગ્ર ઘટનાની વાત કરીએ તો રખિયાલ પોલીસ સ્ટેશનમાં surveillance squadના બે અધિકારીઓ પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ ભોપાભાઈ, એસસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અક્બરશાહ ફકીરશાહ દીવાન બેઉ ACB ના છટકામાં ફસાઈ ગયા હતા , આમાંથી એક ઓફિસર તો પકડાઈ ગયા જ્યારે બીજા ઓફિસર ભાગી ગયા હતા . એસીબી મુજબ જે લોકો જુગારમાં પકડાયેલા હતા તેમની પાસેથી આ ઉપરના અધિકારીઓએ લાંચ માંગી હતી , પેહલા તો જામીન અપાવવાની, હળવી કલામ લગાવાવની અને હેરાન ન કરવાની  શરતે રૂ ૧૦ લાખ માંગ્યા હતા . પણ પછી ભાવતોલ થતા આ લાંચની રકમ ૧ લાખ ૩૫ હજાર પર આવી હતી . 


લાંચ લેતા કર્મચારીને પકડવા માટે એસીબી આવી મેદાનમાં! 

આ કરાર પછી આ જુગારમાં પકડાયેલા અપરાધીઓને જામીન પર છોડી મુકાતા અને હળવી કલમો લગાવવામાં આવતી. જોકે આ જુગારીયાઓએ એસીબીનો સંપર્ક કર્યો. ફરિયાદીઓ જયારે પોલીસ સ્ટેશનમાં પૈસા આપવા પહોંચ્યા ત્યારે ACBએ છટકું ગોઠવ્યું હતું અને ત્યારબાદ એસીબીના ઓપેરશનમાં ફરજ પર હાજર આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અક્બરશાહ ફકીરશાહ રંગે હાથે પકડાઈ ગયા અને કોન્સ્ટેબલ રાજુભાઈ ભોપાભાઈ ભાગી ગયા હતા . આ અંગેની વધુ તપાસ એસીબી દ્વારા ચાલુ છે. મહત્વનું છે કે આજકાલ પોલીસ તોડના જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે તેને કારણે પોલીસ પરથી જનતાનો વિશ્વાસ ઉઠી શકે છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.