Rakhiyal Police જુગારીઓને બચાવવા ગઈ અને પોતે ભરાઈ ગઈ! પહેલા 10 લાખ માગ્યા એક લાખ 35 હજારમાં ડીલ ફાઈનલ કરી, અને પછી ACBની થઈ એન્ટ્રી...


  • Published By :
  • Published Date : 2024-02-27 17:07:22

કાંડ આ શબ્દ જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે આપણા મનમાં પોલીસ દ્વારા આચરવામાં આવતા કાંડો યાદ આવી જાય. છેલ્લા ઘણા સમયમાં એટલા બધા કાંડ સામે આવ્યા છે જે ખાખીને શર્મસાર કરે તેવા છે. હદ તો એવી થઈ ગઈ છે કે એક તોડકાંડની ચર્ચા ખતમ ન થઈ હોય ત્યાં તો આપણી સામે બીજો તોડકાંડ સામે આવી ગયો હોય. ગુજરાતમાં હમણાં ઘણા સમયથી પોલીસ સ્ટેશનમાં થતા તોડકાંડ બહાર આવી રહ્યા છે . ત્યારે વધુ એક તોડકાંડ અમદાવાદના રખીયાલથી સામે આવ્યો છે.  

 

તોડકાંડ જાણે પોલીસની ઓળખ બની ગયો હોય તેવું લાગે!

ઘણા સમયથી પોલીસ વિભાગ ચર્ચામાં છે. તોડ કરનાર અનેક પોલીસકર્મીઓ સામે આવી રહ્યા છે. તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે પોલીસ દ્વારા આચરવામાં આવતા કાંડ કેમ માત્ર થોડા સમયથી સામે સામે આવી રહ્યા છે? શું પોલીસવાળા હમણાં જ તોડ કરી રહ્યા છે તેવા પ્રશ્નો થતા હશે. પોલીસ પહેલા પણ તોડ કરતી પરંતુ હવે વધારે અને પ્રમાણિક પણે કામગીરી કરવામાં આવી રહી છે જેને કારણે આવા કાંડ સામે આવી રહ્યા છે. તોડકાંડની આપણે ત્યાં કમી નથી. ઉનાકાંડ હોય કે પછી ઓગણજનો તોડકાંડ હોય, ત્યારે વધુ એક તોડકાંડ રખિયાલ પોલીસ સ્ટેશનથી સામે આવ્યો છે. હાલમાં ફરી એકવાર અમદાવાદમાં રખિયાલ પોલીસ સ્ટેશનમાં એક તોડકાંડ બહાર આવ્યો છે , આનો ખુલાસો ACB એટલે કે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા કરવામાં આવેલા ઓપરેશનમાં થયો હતો . 


પોલીસે આટલા લાખમાં ડીલ કરી ફાઈનલ!

સમગ્ર ઘટનાની વાત કરીએ તો રખિયાલ પોલીસ સ્ટેશનમાં surveillance squadના બે અધિકારીઓ પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ ભોપાભાઈ, એસસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અક્બરશાહ ફકીરશાહ દીવાન બેઉ ACB ના છટકામાં ફસાઈ ગયા હતા , આમાંથી એક ઓફિસર તો પકડાઈ ગયા જ્યારે બીજા ઓફિસર ભાગી ગયા હતા . એસીબી મુજબ જે લોકો જુગારમાં પકડાયેલા હતા તેમની પાસેથી આ ઉપરના અધિકારીઓએ લાંચ માંગી હતી , પેહલા તો જામીન અપાવવાની, હળવી કલામ લગાવાવની અને હેરાન ન કરવાની  શરતે રૂ ૧૦ લાખ માંગ્યા હતા . પણ પછી ભાવતોલ થતા આ લાંચની રકમ ૧ લાખ ૩૫ હજાર પર આવી હતી . 


લાંચ લેતા કર્મચારીને પકડવા માટે એસીબી આવી મેદાનમાં! 

આ કરાર પછી આ જુગારમાં પકડાયેલા અપરાધીઓને જામીન પર છોડી મુકાતા અને હળવી કલમો લગાવવામાં આવતી. જોકે આ જુગારીયાઓએ એસીબીનો સંપર્ક કર્યો. ફરિયાદીઓ જયારે પોલીસ સ્ટેશનમાં પૈસા આપવા પહોંચ્યા ત્યારે ACBએ છટકું ગોઠવ્યું હતું અને ત્યારબાદ એસીબીના ઓપેરશનમાં ફરજ પર હાજર આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અક્બરશાહ ફકીરશાહ રંગે હાથે પકડાઈ ગયા અને કોન્સ્ટેબલ રાજુભાઈ ભોપાભાઈ ભાગી ગયા હતા . આ અંગેની વધુ તપાસ એસીબી દ્વારા ચાલુ છે. મહત્વનું છે કે આજકાલ પોલીસ તોડના જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે તેને કારણે પોલીસ પરથી જનતાનો વિશ્વાસ ઉઠી શકે છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.