Rakhiyal Police જુગારીઓને બચાવવા ગઈ અને પોતે ભરાઈ ગઈ! પહેલા 10 લાખ માગ્યા એક લાખ 35 હજારમાં ડીલ ફાઈનલ કરી, અને પછી ACBની થઈ એન્ટ્રી...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-27 17:07:22

કાંડ આ શબ્દ જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે આપણા મનમાં પોલીસ દ્વારા આચરવામાં આવતા કાંડો યાદ આવી જાય. છેલ્લા ઘણા સમયમાં એટલા બધા કાંડ સામે આવ્યા છે જે ખાખીને શર્મસાર કરે તેવા છે. હદ તો એવી થઈ ગઈ છે કે એક તોડકાંડની ચર્ચા ખતમ ન થઈ હોય ત્યાં તો આપણી સામે બીજો તોડકાંડ સામે આવી ગયો હોય. ગુજરાતમાં હમણાં ઘણા સમયથી પોલીસ સ્ટેશનમાં થતા તોડકાંડ બહાર આવી રહ્યા છે . ત્યારે વધુ એક તોડકાંડ અમદાવાદના રખીયાલથી સામે આવ્યો છે.  

 

તોડકાંડ જાણે પોલીસની ઓળખ બની ગયો હોય તેવું લાગે!

ઘણા સમયથી પોલીસ વિભાગ ચર્ચામાં છે. તોડ કરનાર અનેક પોલીસકર્મીઓ સામે આવી રહ્યા છે. તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે પોલીસ દ્વારા આચરવામાં આવતા કાંડ કેમ માત્ર થોડા સમયથી સામે સામે આવી રહ્યા છે? શું પોલીસવાળા હમણાં જ તોડ કરી રહ્યા છે તેવા પ્રશ્નો થતા હશે. પોલીસ પહેલા પણ તોડ કરતી પરંતુ હવે વધારે અને પ્રમાણિક પણે કામગીરી કરવામાં આવી રહી છે જેને કારણે આવા કાંડ સામે આવી રહ્યા છે. તોડકાંડની આપણે ત્યાં કમી નથી. ઉનાકાંડ હોય કે પછી ઓગણજનો તોડકાંડ હોય, ત્યારે વધુ એક તોડકાંડ રખિયાલ પોલીસ સ્ટેશનથી સામે આવ્યો છે. હાલમાં ફરી એકવાર અમદાવાદમાં રખિયાલ પોલીસ સ્ટેશનમાં એક તોડકાંડ બહાર આવ્યો છે , આનો ખુલાસો ACB એટલે કે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા કરવામાં આવેલા ઓપરેશનમાં થયો હતો . 


પોલીસે આટલા લાખમાં ડીલ કરી ફાઈનલ!

સમગ્ર ઘટનાની વાત કરીએ તો રખિયાલ પોલીસ સ્ટેશનમાં surveillance squadના બે અધિકારીઓ પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ ભોપાભાઈ, એસસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અક્બરશાહ ફકીરશાહ દીવાન બેઉ ACB ના છટકામાં ફસાઈ ગયા હતા , આમાંથી એક ઓફિસર તો પકડાઈ ગયા જ્યારે બીજા ઓફિસર ભાગી ગયા હતા . એસીબી મુજબ જે લોકો જુગારમાં પકડાયેલા હતા તેમની પાસેથી આ ઉપરના અધિકારીઓએ લાંચ માંગી હતી , પેહલા તો જામીન અપાવવાની, હળવી કલામ લગાવાવની અને હેરાન ન કરવાની  શરતે રૂ ૧૦ લાખ માંગ્યા હતા . પણ પછી ભાવતોલ થતા આ લાંચની રકમ ૧ લાખ ૩૫ હજાર પર આવી હતી . 


લાંચ લેતા કર્મચારીને પકડવા માટે એસીબી આવી મેદાનમાં! 

આ કરાર પછી આ જુગારમાં પકડાયેલા અપરાધીઓને જામીન પર છોડી મુકાતા અને હળવી કલમો લગાવવામાં આવતી. જોકે આ જુગારીયાઓએ એસીબીનો સંપર્ક કર્યો. ફરિયાદીઓ જયારે પોલીસ સ્ટેશનમાં પૈસા આપવા પહોંચ્યા ત્યારે ACBએ છટકું ગોઠવ્યું હતું અને ત્યારબાદ એસીબીના ઓપેરશનમાં ફરજ પર હાજર આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અક્બરશાહ ફકીરશાહ રંગે હાથે પકડાઈ ગયા અને કોન્સ્ટેબલ રાજુભાઈ ભોપાભાઈ ભાગી ગયા હતા . આ અંગેની વધુ તપાસ એસીબી દ્વારા ચાલુ છે. મહત્વનું છે કે આજકાલ પોલીસ તોડના જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે તેને કારણે પોલીસ પરથી જનતાનો વિશ્વાસ ઉઠી શકે છે.  



લોકસભા બેઠકના ઉમેદવારોને જમાવટની ટીમ દ્વારા ફોન કરવામાં આવી રહ્યા છે. તેમના વિઝનને જાણવાની કોશિશ કરી રહ્યા છીએ. ત્યારે મહેસાણાના ઉમેદવારોને ફોન કર્યો હતો.

મતદાતાઓને મિજાજ જાણવા જમાવટની ટીમ ઈલેક્શન યાત્રા કરી રહી છે.. અલગ અલગ લોકસભા બેઠકોના મતદાતાઓ શું વિચારે છે તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ત્યારે જમાવટ પહોંચ્યું સુરેન્દ્રનગર જ્યાં આજે પીએમ મોદીની સભા છે..

લોકસભા ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ભાજપ પર અનેક વખત કોંગ્રેસના નેતાઓ દ્વારા પ્રહાર કરવામાં આવતા હોય છે પરંતુ આ વખતે પોલીસ પર પણ પ્રહારો કરવામાં આવે છે... ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે જેને કારણે રાજનીતિ ગરમાઈ રહી છે..

પરષોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ભાજપના અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડ્યો છે. ત્યારે જામનગરમાં પૂનમબેન માડમે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી.