Chaitar Vasavaને ન્યાય મળે તે માટે નીકળી રેલી! તો કોઈએ કહ્યું કે અમારા ધારાસભ્ય ઢોંગી નથી... જુઓ વીડિયોઝ


  • Published By :
  • Published Date : 2023-12-22 15:17:33

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ થોડા સમય પહેલા પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. વનકર્મચારીને માર મારવાના મુદ્દે તેમના વિરૂદ્ધ પોલીસ ફરિયાદ થઈ હતી. ત્યારથી તેઓ પોલીસ પકડથી બહાર હતા. પરંતુ થોડા દિવસો પહેલા ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થયા. ચૈતર વસાવા ભલે હાલ જેલમાં છે પરંતુ તેમને હજી પણ જનસમર્થનમાં મળી રહ્યું છે. આદિવાસી સમાજના લોકો લડી લેવાના મૂડમાં છે. આપના ડેડીયાપાડાના પ્રભારી તેજસભાઈનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે ચૈતર વસાવાને લઈ વપરાયેલા શબ્દને લઈ વાત કરી રહ્યા છે. 

એવું લાગ્યું કે થોડા દિવસોમાં ચૈતર વસાવા બહાર આવશે પરંતુ....

ચૈતર વસાવા ડેડીયાપાડાના ધારાસભ્ય જે હાલ જેલમાં છે પણ આખી ઘટનામાં જે થયું ત્યારબાદ એક મહિનાથી વધુ સમય ચૈતર વસાવા ફરાર રહ્યા. જ્યારે હાજર થયા ત્યારે મોટી સંખ્યામાં લોકો ડેડીયાપાડા પહોંચ્યા આદિવાસીનું સમર્થન આમ આદમી પાર્ટીના નેતાઓ સમર્થનમાં પહોંચ્યા હતા. બધાને એવું લાગ્યું કે બે ત્રણ દિવસ પછી આ ઘટના બધા ભૂલી જશે. ચૈતર વસાવાને બધા ભૂલી જશે પણ એવું ન થયું.

Narmada : Chaitar Vasava સામે પોલીસ ફરિયાદ બાદ ધારાસભ્ય ભૂગર્ભમાં, પોલીસે  તેમની પત્ની સહિત ત્રણની અટક કરી


ચૈતર વસાવાને ઢોંગી કહેનારે માફી માગવી જોઈએ - તેજસભાઈ 

ચૈતર વસાના સમર્થકો હજુ પણ ચૈતર વસાવા માટે લડી લેવાના મૂડમાં છે. આપના ડેડીયાપાડા ના પ્રભારી તેજસભાઈ પટેલનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે કહી રહ્યા છે કે ચૈતર ભાઈ વિશે ઢોંગી શબ્દનો ઉપયોગ કરનારે  માફી માંગવી જોઈએ. કારણ કે જો ચૈતર વસાવા ઢોંગી છે તો પછી એમને ₹1,00,000 મત આપનાર લોકો એટલા તો પાગલ નથી કે એમને વોટ આપે. એ બધા લોકોને ખબર છે કે કોણ ઢોંગી છે અને કોણ ઢોંગી નથી? તેજસભાઈનું એવું કહેવું છે કે ચૈતર ભાઈને જેણે ઢોંગી કહ્યું છે એણે જાહેરમાં માફી માંગવી જોઈએ.  


આદિવાસી હુંકાર રેલીનું કરાયું આયોજન 

મહત્વનું છે કે ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી હુંકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ચૈતર વસાવાના સમર્થકો હાજર રહ્યા હતા. આ રેલીમાં ચૈતર વસાવાના પત્ની પણ હાજર હતા. રેલીમાં લોકોએ સૂત્રોચ્ચાર કર્યા કે ચૈતર વસાવાને ન્યાય આપો. 



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."