Chaitar Vasavaને ન્યાય મળે તે માટે નીકળી રેલી! તો કોઈએ કહ્યું કે અમારા ધારાસભ્ય ઢોંગી નથી... જુઓ વીડિયોઝ


  • Published By :
  • Published Date : 2023-12-22 15:17:33

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ થોડા સમય પહેલા પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. વનકર્મચારીને માર મારવાના મુદ્દે તેમના વિરૂદ્ધ પોલીસ ફરિયાદ થઈ હતી. ત્યારથી તેઓ પોલીસ પકડથી બહાર હતા. પરંતુ થોડા દિવસો પહેલા ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થયા. ચૈતર વસાવા ભલે હાલ જેલમાં છે પરંતુ તેમને હજી પણ જનસમર્થનમાં મળી રહ્યું છે. આદિવાસી સમાજના લોકો લડી લેવાના મૂડમાં છે. આપના ડેડીયાપાડાના પ્રભારી તેજસભાઈનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે ચૈતર વસાવાને લઈ વપરાયેલા શબ્દને લઈ વાત કરી રહ્યા છે. 

એવું લાગ્યું કે થોડા દિવસોમાં ચૈતર વસાવા બહાર આવશે પરંતુ....

ચૈતર વસાવા ડેડીયાપાડાના ધારાસભ્ય જે હાલ જેલમાં છે પણ આખી ઘટનામાં જે થયું ત્યારબાદ એક મહિનાથી વધુ સમય ચૈતર વસાવા ફરાર રહ્યા. જ્યારે હાજર થયા ત્યારે મોટી સંખ્યામાં લોકો ડેડીયાપાડા પહોંચ્યા આદિવાસીનું સમર્થન આમ આદમી પાર્ટીના નેતાઓ સમર્થનમાં પહોંચ્યા હતા. બધાને એવું લાગ્યું કે બે ત્રણ દિવસ પછી આ ઘટના બધા ભૂલી જશે. ચૈતર વસાવાને બધા ભૂલી જશે પણ એવું ન થયું.

Narmada : Chaitar Vasava સામે પોલીસ ફરિયાદ બાદ ધારાસભ્ય ભૂગર્ભમાં, પોલીસે  તેમની પત્ની સહિત ત્રણની અટક કરી


ચૈતર વસાવાને ઢોંગી કહેનારે માફી માગવી જોઈએ - તેજસભાઈ 

ચૈતર વસાના સમર્થકો હજુ પણ ચૈતર વસાવા માટે લડી લેવાના મૂડમાં છે. આપના ડેડીયાપાડા ના પ્રભારી તેજસભાઈ પટેલનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે કહી રહ્યા છે કે ચૈતર ભાઈ વિશે ઢોંગી શબ્દનો ઉપયોગ કરનારે  માફી માંગવી જોઈએ. કારણ કે જો ચૈતર વસાવા ઢોંગી છે તો પછી એમને ₹1,00,000 મત આપનાર લોકો એટલા તો પાગલ નથી કે એમને વોટ આપે. એ બધા લોકોને ખબર છે કે કોણ ઢોંગી છે અને કોણ ઢોંગી નથી? તેજસભાઈનું એવું કહેવું છે કે ચૈતર ભાઈને જેણે ઢોંગી કહ્યું છે એણે જાહેરમાં માફી માંગવી જોઈએ.  


આદિવાસી હુંકાર રેલીનું કરાયું આયોજન 

મહત્વનું છે કે ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી હુંકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ચૈતર વસાવાના સમર્થકો હાજર રહ્યા હતા. આ રેલીમાં ચૈતર વસાવાના પત્ની પણ હાજર હતા. રેલીમાં લોકોએ સૂત્રોચ્ચાર કર્યા કે ચૈતર વસાવાને ન્યાય આપો. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી