Mahisagarમાં નીકળી જેલવાસ ભોગવી રહેલા Asaramના ફોટા સાથે રેલી! વીડિયોમાં જુઓ એ રેલીના દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2023-08-12 15:30:31

જેલમાં બંધ આસારામના ફોટા સાથે અનેક વખત રેલીઓ નીકળી હોય તેવા સમાચારો સામે આવતા હોય છે. બળાત્કારની સજા ભોગવી રહેલા આસારામના અનુયાયીઓએ ફરી એક વખત હદ વટાવી દીધી છે. મહિસાગરમાં આસારામના અનુયાયીઓએ આસારામના ફોટા સાથે વિશાળ રેલી કાઢી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. બેન્ડ બાજા સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે અહીંયા પ્રશ્ન એ થાય કે આવી રેલી કાઢવા માટે તેમને પરમિશન કોણે આપી?  

આસારામના ફોટા સાથે મહિસાગરમાં નીકળી મોટી રેલી 

જબરૂં કહેવાયને કે જે જે માણસે દુષ્કર્મ આચર્યો છે, જે જેલમાં પોતાના કૃત્યની સજા ભોગવી રહ્યા છે તેની રેલી કાઢવામાં આવી રહી છે? હવે આ રેલી યોજવા માટે કોણે પરમિશન આપી તે એક મોટો પ્રશ્ન છે. તંત્રએ કેમ રેલીની મંજુરી આપી તે પણ એક સવાલ છે? ગાડી ઉપર ફોટો મૂકી અને રેલી યોજવામાં આવી. મોટી સંખ્યામાં સમર્થકો અને ભકતો જોડાયા .બેન્ડબાજા સાથે રેલી કાઢવામાં આવી હતી. આ લોકોને અંધ ભક્ત કહીએ તો અતિશયોક્તિ ન કેહવાય. જે માણસ અત્યારે જેલમાં બળાત્કારની સજા ભોગવી રહ્યા છે તેની પૂજા કરવામાં, તેમના ફોટા સાથે રેલી કાઢવામાં આવે છે. હજી પણ લોકો તેમની પાછળ ગાંડા છે.  


શાળામાં કરાઈ હતી આસારામની આરતી 

મહીસાગરની આ કોઈ પહેલી ઘટના નથી જ્યાં લોકો આસારામની રેલી કાઢે કે આરતી ઉતારે. આના પહેલા પણ મહિસાગર જિલ્લાની સરકારી પ્રાથમિક શાળામાં આસારામની આરતી કરવામાં આવી રહી હતી મહીસાગર જિલ્લામાં લુણાવાડા તાલુકાના જામાપગીના મુવાડા પ્રાથમિક શાળામાં માતૃ- પિતૃ પૂજન કાર્યક્રમમાં દુષ્કર્મના દોષીત આસારામની પૂજા અને આરતી કરવામાં આવે છે. આવા દ્રશ્યો શાળાથી સામે આવતા વિવાદ સર્જાય તે સામાન્ય કહેવાય. શિક્ષકોની હાજરીમાં આસારામના પોસ્ટરની આરતી ઉતારી પૂજા કરાઇ હતી. ત્યારે પણ ગામના લોકો અને વાલીઑ ભડક્યા હતા 

સમાજને આપણે કઈ દિશા તરફ ધકેલી રહ્યા છીએ?

જ્યારે આવી રીતે જાહેરમાં રેલી કાઢવામાં આવે કે શાળામાં પૂજા કરવામાં આવે ત્યારે સવાલ થાય કે બાળકના માનસ પર આની કેવી અસર પડતી હશે? બાળકોના મનમાં એક પ્રશ્ન નહીં ઉઠતો હોય તે એક દોષિતની પૂજા કરી રહ્યા છે? એક દોષિતની કેવી રીતે પૂજા થઈ શકે? જેલમાં જે પોતાના ગુન્હાઓની સજા ભોગવી રહ્યા છે તેમની જાહેરમાં પૂજા થાય? આપણો સમાજ કઈ દિશામાં આગળ વધી રહ્યો છે? એક આરોપીને કોઈ ભગવાન બનાવી કેવી રીતે લોકો તેની પૂજા કી શકે?  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.