Mahisagarમાં નીકળી જેલવાસ ભોગવી રહેલા Asaramના ફોટા સાથે રેલી! વીડિયોમાં જુઓ એ રેલીના દ્રશ્યો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-12 15:30:31

જેલમાં બંધ આસારામના ફોટા સાથે અનેક વખત રેલીઓ નીકળી હોય તેવા સમાચારો સામે આવતા હોય છે. બળાત્કારની સજા ભોગવી રહેલા આસારામના અનુયાયીઓએ ફરી એક વખત હદ વટાવી દીધી છે. મહિસાગરમાં આસારામના અનુયાયીઓએ આસારામના ફોટા સાથે વિશાળ રેલી કાઢી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. બેન્ડ બાજા સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે અહીંયા પ્રશ્ન એ થાય કે આવી રેલી કાઢવા માટે તેમને પરમિશન કોણે આપી?  

આસારામના ફોટા સાથે મહિસાગરમાં નીકળી મોટી રેલી 

જબરૂં કહેવાયને કે જે જે માણસે દુષ્કર્મ આચર્યો છે, જે જેલમાં પોતાના કૃત્યની સજા ભોગવી રહ્યા છે તેની રેલી કાઢવામાં આવી રહી છે? હવે આ રેલી યોજવા માટે કોણે પરમિશન આપી તે એક મોટો પ્રશ્ન છે. તંત્રએ કેમ રેલીની મંજુરી આપી તે પણ એક સવાલ છે? ગાડી ઉપર ફોટો મૂકી અને રેલી યોજવામાં આવી. મોટી સંખ્યામાં સમર્થકો અને ભકતો જોડાયા .બેન્ડબાજા સાથે રેલી કાઢવામાં આવી હતી. આ લોકોને અંધ ભક્ત કહીએ તો અતિશયોક્તિ ન કેહવાય. જે માણસ અત્યારે જેલમાં બળાત્કારની સજા ભોગવી રહ્યા છે તેની પૂજા કરવામાં, તેમના ફોટા સાથે રેલી કાઢવામાં આવે છે. હજી પણ લોકો તેમની પાછળ ગાંડા છે.  


શાળામાં કરાઈ હતી આસારામની આરતી 

મહીસાગરની આ કોઈ પહેલી ઘટના નથી જ્યાં લોકો આસારામની રેલી કાઢે કે આરતી ઉતારે. આના પહેલા પણ મહિસાગર જિલ્લાની સરકારી પ્રાથમિક શાળામાં આસારામની આરતી કરવામાં આવી રહી હતી મહીસાગર જિલ્લામાં લુણાવાડા તાલુકાના જામાપગીના મુવાડા પ્રાથમિક શાળામાં માતૃ- પિતૃ પૂજન કાર્યક્રમમાં દુષ્કર્મના દોષીત આસારામની પૂજા અને આરતી કરવામાં આવે છે. આવા દ્રશ્યો શાળાથી સામે આવતા વિવાદ સર્જાય તે સામાન્ય કહેવાય. શિક્ષકોની હાજરીમાં આસારામના પોસ્ટરની આરતી ઉતારી પૂજા કરાઇ હતી. ત્યારે પણ ગામના લોકો અને વાલીઑ ભડક્યા હતા 

સમાજને આપણે કઈ દિશા તરફ ધકેલી રહ્યા છીએ?

જ્યારે આવી રીતે જાહેરમાં રેલી કાઢવામાં આવે કે શાળામાં પૂજા કરવામાં આવે ત્યારે સવાલ થાય કે બાળકના માનસ પર આની કેવી અસર પડતી હશે? બાળકોના મનમાં એક પ્રશ્ન નહીં ઉઠતો હોય તે એક દોષિતની પૂજા કરી રહ્યા છે? એક દોષિતની કેવી રીતે પૂજા થઈ શકે? જેલમાં જે પોતાના ગુન્હાઓની સજા ભોગવી રહ્યા છે તેમની જાહેરમાં પૂજા થાય? આપણો સમાજ કઈ દિશામાં આગળ વધી રહ્યો છે? એક આરોપીને કોઈ ભગવાન બનાવી કેવી રીતે લોકો તેની પૂજા કી શકે?  



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે