Mahisagarમાં નીકળી જેલવાસ ભોગવી રહેલા Asaramના ફોટા સાથે રેલી! વીડિયોમાં જુઓ એ રેલીના દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2023-08-12 15:30:31

જેલમાં બંધ આસારામના ફોટા સાથે અનેક વખત રેલીઓ નીકળી હોય તેવા સમાચારો સામે આવતા હોય છે. બળાત્કારની સજા ભોગવી રહેલા આસારામના અનુયાયીઓએ ફરી એક વખત હદ વટાવી દીધી છે. મહિસાગરમાં આસારામના અનુયાયીઓએ આસારામના ફોટા સાથે વિશાળ રેલી કાઢી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. બેન્ડ બાજા સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે અહીંયા પ્રશ્ન એ થાય કે આવી રેલી કાઢવા માટે તેમને પરમિશન કોણે આપી?  

આસારામના ફોટા સાથે મહિસાગરમાં નીકળી મોટી રેલી 

જબરૂં કહેવાયને કે જે જે માણસે દુષ્કર્મ આચર્યો છે, જે જેલમાં પોતાના કૃત્યની સજા ભોગવી રહ્યા છે તેની રેલી કાઢવામાં આવી રહી છે? હવે આ રેલી યોજવા માટે કોણે પરમિશન આપી તે એક મોટો પ્રશ્ન છે. તંત્રએ કેમ રેલીની મંજુરી આપી તે પણ એક સવાલ છે? ગાડી ઉપર ફોટો મૂકી અને રેલી યોજવામાં આવી. મોટી સંખ્યામાં સમર્થકો અને ભકતો જોડાયા .બેન્ડબાજા સાથે રેલી કાઢવામાં આવી હતી. આ લોકોને અંધ ભક્ત કહીએ તો અતિશયોક્તિ ન કેહવાય. જે માણસ અત્યારે જેલમાં બળાત્કારની સજા ભોગવી રહ્યા છે તેની પૂજા કરવામાં, તેમના ફોટા સાથે રેલી કાઢવામાં આવે છે. હજી પણ લોકો તેમની પાછળ ગાંડા છે.  


શાળામાં કરાઈ હતી આસારામની આરતી 

મહીસાગરની આ કોઈ પહેલી ઘટના નથી જ્યાં લોકો આસારામની રેલી કાઢે કે આરતી ઉતારે. આના પહેલા પણ મહિસાગર જિલ્લાની સરકારી પ્રાથમિક શાળામાં આસારામની આરતી કરવામાં આવી રહી હતી મહીસાગર જિલ્લામાં લુણાવાડા તાલુકાના જામાપગીના મુવાડા પ્રાથમિક શાળામાં માતૃ- પિતૃ પૂજન કાર્યક્રમમાં દુષ્કર્મના દોષીત આસારામની પૂજા અને આરતી કરવામાં આવે છે. આવા દ્રશ્યો શાળાથી સામે આવતા વિવાદ સર્જાય તે સામાન્ય કહેવાય. શિક્ષકોની હાજરીમાં આસારામના પોસ્ટરની આરતી ઉતારી પૂજા કરાઇ હતી. ત્યારે પણ ગામના લોકો અને વાલીઑ ભડક્યા હતા 

સમાજને આપણે કઈ દિશા તરફ ધકેલી રહ્યા છીએ?

જ્યારે આવી રીતે જાહેરમાં રેલી કાઢવામાં આવે કે શાળામાં પૂજા કરવામાં આવે ત્યારે સવાલ થાય કે બાળકના માનસ પર આની કેવી અસર પડતી હશે? બાળકોના મનમાં એક પ્રશ્ન નહીં ઉઠતો હોય તે એક દોષિતની પૂજા કરી રહ્યા છે? એક દોષિતની કેવી રીતે પૂજા થઈ શકે? જેલમાં જે પોતાના ગુન્હાઓની સજા ભોગવી રહ્યા છે તેમની જાહેરમાં પૂજા થાય? આપણો સમાજ કઈ દિશામાં આગળ વધી રહ્યો છે? એક આરોપીને કોઈ ભગવાન બનાવી કેવી રીતે લોકો તેની પૂજા કી શકે?  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.