Ram Mandir Pran Pratistha Mahotsav માટે શણગારવામાં આવ્યું રામ મંદિર, ફૂલો તેમજ લાઈટિંગથી કરાયું મંદિરનું સુશોભન, જુઓ તસવીરો


  • Published By :
  • Published Date : 2024-01-20 15:01:13

જેમ જેમ 22 તારીખ નજીક આવી રહી છે તેમ તેમ ભક્તોમાં ઉત્સાહ વધી રહ્યો છે. મંદિર સાથે કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે. ગઈકાલે ગર્ભગૃહમાં સ્થાપિત થયેલી ભગવાન રામની મૂર્તિની તસવીર વાયરલ થઈ હતી. અલગ અલગ તસવીરો સામે આવી હતી. ત્યારે આજે શણગારવામાં આવેલા મંદિરની તસવીરો સામે આવી છે. મહોત્સવને લઈ ભવ્ય મંદિરને શણગારવામાં આવ્યું છે તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

 

Ayodhya Ram Mandir Latest Photos See New Pictures of Ram Lalla Idol Temple Inside Images

ભગવાન રામની મૂર્તિની ઝલક આવી હતી સામે   

દેશવાસીઓ 22 જાન્યુઆરીની રાહ જોઈ રહ્યા છે જ્યારે ભગવાન રામની મૂર્તિ મંદિરમાં સ્થાપિત થવાની છે. રામ ભગવાન 22 જાન્યુઆરીએ પોતાના મંદિરમાં બિરાજમાન થવાના છે. દેશવાસીઓ 22 જાન્યુઆરીએ દિવાળી મનાવશે, ઘરમાં દિવા પ્રગટાવવામાં આવશે. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈ ભવ્યથી અતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મંદિર સહિત સમગ્ર અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. ત્યારે સોશિયલ મીડિયા પર મંદિરની તસવીરો વાયરલ થઈ રહી છે.

Image


મહોત્સવને લઈ મંદિરને કરવામાં આવ્યો છે વિશેષ શણગાર

16 જાન્યુઆરીથી પ્રતિષ્ઠાને લઈ અનુષ્ઠાન શરૂ થઈ ગયા છે. વિવિધ પૂજા વિધી કરવામાં આવી રહી છે. 18 જાન્યુઆરીએ ભગવાન રામની મૂર્તિને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી હતી. વિવિધ તેમજ વિશેષ પૂજાઓ કરવામાં આવી રહી છે. પ્રથમ ઝલક શ્રી રામની સામે આવી હતી ત્યારે હવે શણગારેલા મંદિરની તસવીર સામે આવી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે...  

Ayodhya Ram Mandir Latest Photos See New Pictures of Ram Lalla Idol Temple Inside Images

Image



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.