Ram Mandir Pran Pratistha Mahotsav માટે શણગારવામાં આવ્યું રામ મંદિર, ફૂલો તેમજ લાઈટિંગથી કરાયું મંદિરનું સુશોભન, જુઓ તસવીરો


  • Published By :
  • Published Date : 2024-01-20 15:01:13

જેમ જેમ 22 તારીખ નજીક આવી રહી છે તેમ તેમ ભક્તોમાં ઉત્સાહ વધી રહ્યો છે. મંદિર સાથે કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે. ગઈકાલે ગર્ભગૃહમાં સ્થાપિત થયેલી ભગવાન રામની મૂર્તિની તસવીર વાયરલ થઈ હતી. અલગ અલગ તસવીરો સામે આવી હતી. ત્યારે આજે શણગારવામાં આવેલા મંદિરની તસવીરો સામે આવી છે. મહોત્સવને લઈ ભવ્ય મંદિરને શણગારવામાં આવ્યું છે તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

 

Ayodhya Ram Mandir Latest Photos See New Pictures of Ram Lalla Idol Temple Inside Images

ભગવાન રામની મૂર્તિની ઝલક આવી હતી સામે   

દેશવાસીઓ 22 જાન્યુઆરીની રાહ જોઈ રહ્યા છે જ્યારે ભગવાન રામની મૂર્તિ મંદિરમાં સ્થાપિત થવાની છે. રામ ભગવાન 22 જાન્યુઆરીએ પોતાના મંદિરમાં બિરાજમાન થવાના છે. દેશવાસીઓ 22 જાન્યુઆરીએ દિવાળી મનાવશે, ઘરમાં દિવા પ્રગટાવવામાં આવશે. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈ ભવ્યથી અતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મંદિર સહિત સમગ્ર અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. ત્યારે સોશિયલ મીડિયા પર મંદિરની તસવીરો વાયરલ થઈ રહી છે.

Image


મહોત્સવને લઈ મંદિરને કરવામાં આવ્યો છે વિશેષ શણગાર

16 જાન્યુઆરીથી પ્રતિષ્ઠાને લઈ અનુષ્ઠાન શરૂ થઈ ગયા છે. વિવિધ પૂજા વિધી કરવામાં આવી રહી છે. 18 જાન્યુઆરીએ ભગવાન રામની મૂર્તિને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી હતી. વિવિધ તેમજ વિશેષ પૂજાઓ કરવામાં આવી રહી છે. પ્રથમ ઝલક શ્રી રામની સામે આવી હતી ત્યારે હવે શણગારેલા મંદિરની તસવીર સામે આવી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે...  

Ayodhya Ram Mandir Latest Photos See New Pictures of Ram Lalla Idol Temple Inside Images

Image



There is a lot of discussion on the relations between India and America, whether it is Donald Trump's tariff hike or calling PM Modi a special friend, everyone's eyes are on these relations between India and America. Amidst all this, US Ambassador to India Sergio Gore reached Mumbai and this visit is considered a very important one.

ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.