Ram Mandir Pran Pratistha Mahotsav માટે શણગારવામાં આવ્યું રામ મંદિર, ફૂલો તેમજ લાઈટિંગથી કરાયું મંદિરનું સુશોભન, જુઓ તસવીરો


  • Published By :
  • Published Date : 2024-01-20 15:01:13

જેમ જેમ 22 તારીખ નજીક આવી રહી છે તેમ તેમ ભક્તોમાં ઉત્સાહ વધી રહ્યો છે. મંદિર સાથે કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે. ગઈકાલે ગર્ભગૃહમાં સ્થાપિત થયેલી ભગવાન રામની મૂર્તિની તસવીર વાયરલ થઈ હતી. અલગ અલગ તસવીરો સામે આવી હતી. ત્યારે આજે શણગારવામાં આવેલા મંદિરની તસવીરો સામે આવી છે. મહોત્સવને લઈ ભવ્ય મંદિરને શણગારવામાં આવ્યું છે તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

 

Ayodhya Ram Mandir Latest Photos See New Pictures of Ram Lalla Idol Temple Inside Images

ભગવાન રામની મૂર્તિની ઝલક આવી હતી સામે   

દેશવાસીઓ 22 જાન્યુઆરીની રાહ જોઈ રહ્યા છે જ્યારે ભગવાન રામની મૂર્તિ મંદિરમાં સ્થાપિત થવાની છે. રામ ભગવાન 22 જાન્યુઆરીએ પોતાના મંદિરમાં બિરાજમાન થવાના છે. દેશવાસીઓ 22 જાન્યુઆરીએ દિવાળી મનાવશે, ઘરમાં દિવા પ્રગટાવવામાં આવશે. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈ ભવ્યથી અતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મંદિર સહિત સમગ્ર અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. ત્યારે સોશિયલ મીડિયા પર મંદિરની તસવીરો વાયરલ થઈ રહી છે.

Image


મહોત્સવને લઈ મંદિરને કરવામાં આવ્યો છે વિશેષ શણગાર

16 જાન્યુઆરીથી પ્રતિષ્ઠાને લઈ અનુષ્ઠાન શરૂ થઈ ગયા છે. વિવિધ પૂજા વિધી કરવામાં આવી રહી છે. 18 જાન્યુઆરીએ ભગવાન રામની મૂર્તિને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી હતી. વિવિધ તેમજ વિશેષ પૂજાઓ કરવામાં આવી રહી છે. પ્રથમ ઝલક શ્રી રામની સામે આવી હતી ત્યારે હવે શણગારેલા મંદિરની તસવીર સામે આવી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે...  

Ayodhya Ram Mandir Latest Photos See New Pictures of Ram Lalla Idol Temple Inside Images

Image



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.