Ram Mandir Pran Pratistha Mahotsav માટે શણગારવામાં આવ્યું રામ મંદિર, ફૂલો તેમજ લાઈટિંગથી કરાયું મંદિરનું સુશોભન, જુઓ તસવીરો


  • Published By :
  • Published Date : 2024-01-20 15:01:13

જેમ જેમ 22 તારીખ નજીક આવી રહી છે તેમ તેમ ભક્તોમાં ઉત્સાહ વધી રહ્યો છે. મંદિર સાથે કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે. ગઈકાલે ગર્ભગૃહમાં સ્થાપિત થયેલી ભગવાન રામની મૂર્તિની તસવીર વાયરલ થઈ હતી. અલગ અલગ તસવીરો સામે આવી હતી. ત્યારે આજે શણગારવામાં આવેલા મંદિરની તસવીરો સામે આવી છે. મહોત્સવને લઈ ભવ્ય મંદિરને શણગારવામાં આવ્યું છે તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

 

Ayodhya Ram Mandir Latest Photos See New Pictures of Ram Lalla Idol Temple Inside Images

ભગવાન રામની મૂર્તિની ઝલક આવી હતી સામે   

દેશવાસીઓ 22 જાન્યુઆરીની રાહ જોઈ રહ્યા છે જ્યારે ભગવાન રામની મૂર્તિ મંદિરમાં સ્થાપિત થવાની છે. રામ ભગવાન 22 જાન્યુઆરીએ પોતાના મંદિરમાં બિરાજમાન થવાના છે. દેશવાસીઓ 22 જાન્યુઆરીએ દિવાળી મનાવશે, ઘરમાં દિવા પ્રગટાવવામાં આવશે. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈ ભવ્યથી અતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મંદિર સહિત સમગ્ર અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. ત્યારે સોશિયલ મીડિયા પર મંદિરની તસવીરો વાયરલ થઈ રહી છે.

Image


મહોત્સવને લઈ મંદિરને કરવામાં આવ્યો છે વિશેષ શણગાર

16 જાન્યુઆરીથી પ્રતિષ્ઠાને લઈ અનુષ્ઠાન શરૂ થઈ ગયા છે. વિવિધ પૂજા વિધી કરવામાં આવી રહી છે. 18 જાન્યુઆરીએ ભગવાન રામની મૂર્તિને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી હતી. વિવિધ તેમજ વિશેષ પૂજાઓ કરવામાં આવી રહી છે. પ્રથમ ઝલક શ્રી રામની સામે આવી હતી ત્યારે હવે શણગારેલા મંદિરની તસવીર સામે આવી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે...  

Ayodhya Ram Mandir Latest Photos See New Pictures of Ram Lalla Idol Temple Inside Images

Image



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.