અયોધ્યામાં જડબેસલાક સુરક્ષા, શહેર રેડ અને યલો ઝોનમાં વહેંચાયું, જાણો કેવી છે તૈયારીઓ


  • Published By :
  • Published Date : 2024-01-21 10:53:47

અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ તમામ તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે. શહેરમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ઉદ્ઘાટનને હવે માત્ર એક જ દિવસ બાકી છે. સોમવાર (21 જાન્યુઆરી)ના રોજ અભિષેક બાદ મંદિર દર્શન માટે ખુલ્લું મુકવામાં આવશે. લગભગ 8 હજાર આમંત્રિત મહેમાનો અભિષેક સમારોહમાં હાજરી આપે તેવી અપેક્ષા છે, આમાંના ઘણા VVIP ગેસ્ટ પણ છે. 8 હજાર મહેમાનો ઉપરાંત, અન્ય ભક્તોની ભીડ પણ આ સમારોહમાં ભાગ લેવા માટે મંદિરમાં ઉમટી પડશે. આવી સ્થિતિમાં અહીં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. 


અયોધ્યામાં જડબેસલાક સુરક્ષા


અયોધ્યા શનિવાર રાતથી અયોધ્યા સંપૂર્ણપણે છાવણીમાં ફેરવાઈ ગયું છે. અયોધ્યાને રેડ અને યલો ઝોનમાં વહેંચવામાં આવી છે. અહીં શહેરના એન્ટ્રી પોઈન્ટથી લઈને રામ મંદિર સુધીના દરેક ખૂણા પર પોલીસ અને એટીએસ કમાન્ડો તૈનાત રહેશે. હાલમાં અયોધ્યામાં ઘણા બધા બ્લેકકેટ કમાન્ડો, બખ્તરબંધ વાહનો અને ડ્રોન જોવા મળી રહ્યા છે. સરયૂ નદી પાસે NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. યુપી પોલીસે અહીં 3 ડીઆઈજી તૈનાત કર્યા છે. એટલું જ નહીં સુરક્ષા વ્યવસ્થાને મજબૂત રાખવા માટે 17 IPS, 100 PPS સ્તરના અધિકારીઓ, 325 ઈન્સ્પેક્ટર, 800 સબ ઈન્સ્પેક્ટર અને 1000થી વધુ કોન્સ્ટેબલ તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષામાં કોઈ ખામી ન રહે તે માટે તેને રેડ ઝોન અને યલો ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યું છે. પીએસીની 3 બટાલિયન રેડ ઝોનમાં તૈનાત છે, જ્યારે 7 બટાલિયન યલો ઝોનમાં તૈનાત છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત રાખવા માટે પોલીસ ઉપરાંત ખાનગી સુરક્ષા એજન્સીઓની પણ મદદ લેવામાં આવી રહી છે. 


ખાનગી સુરક્ષા એજન્સીની મદદ લેવાઈ


અયોધ્યામાં ખાનગી સુરક્ષા એજન્સી SISએ ચાર્જ સંભાળી લીધો છે. કંપનીના ડાયરેક્ટર ઋતુરાજ સિંહાનું કહેવું છે કે અમે અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થાને મજબૂત રાખવા માટે AI ટેક્નોલોજીની મદદ પણ લઈ રહ્યા છીએ. કંપનીના ડિરેક્ટરે કહ્યું કે જો કોઈ હિસ્ટ્રી-શીટર મંદિર પરિસરની નજીક આવે છે, તો AI ટેક્નોલોજીના માધ્યમથી થોડી જ સેકન્ડમાં કેમેરા દ્વારા તેની ઓળખ થઈ જશે. તેણે કહ્યું કે આ માટે અમે પહેલા યુપી પોલીસ પાસેથી ગુનેગારોનો ડેટાબેઝ લીધો હતો. અમે આ ડેટાબેઝને AI ટેક્નોલોજી સાથે કનેક્ટ કર્યું છે. આ પછી, જો કોઈ ગુનેગાર આ ડેટામાં હાજર જોવા મળે છે, તો કેમેરા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા તેની ઓળખ કરશે અને કંટ્રોલ રૂમને સંદેશ મોકલશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.