અયોધ્યામાં જડબેસલાક સુરક્ષા, શહેર રેડ અને યલો ઝોનમાં વહેંચાયું, જાણો કેવી છે તૈયારીઓ


  • Published By :
  • Published Date : 2024-01-21 10:53:47

અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ તમામ તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે. શહેરમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ઉદ્ઘાટનને હવે માત્ર એક જ દિવસ બાકી છે. સોમવાર (21 જાન્યુઆરી)ના રોજ અભિષેક બાદ મંદિર દર્શન માટે ખુલ્લું મુકવામાં આવશે. લગભગ 8 હજાર આમંત્રિત મહેમાનો અભિષેક સમારોહમાં હાજરી આપે તેવી અપેક્ષા છે, આમાંના ઘણા VVIP ગેસ્ટ પણ છે. 8 હજાર મહેમાનો ઉપરાંત, અન્ય ભક્તોની ભીડ પણ આ સમારોહમાં ભાગ લેવા માટે મંદિરમાં ઉમટી પડશે. આવી સ્થિતિમાં અહીં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. 


અયોધ્યામાં જડબેસલાક સુરક્ષા


અયોધ્યા શનિવાર રાતથી અયોધ્યા સંપૂર્ણપણે છાવણીમાં ફેરવાઈ ગયું છે. અયોધ્યાને રેડ અને યલો ઝોનમાં વહેંચવામાં આવી છે. અહીં શહેરના એન્ટ્રી પોઈન્ટથી લઈને રામ મંદિર સુધીના દરેક ખૂણા પર પોલીસ અને એટીએસ કમાન્ડો તૈનાત રહેશે. હાલમાં અયોધ્યામાં ઘણા બધા બ્લેકકેટ કમાન્ડો, બખ્તરબંધ વાહનો અને ડ્રોન જોવા મળી રહ્યા છે. સરયૂ નદી પાસે NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. યુપી પોલીસે અહીં 3 ડીઆઈજી તૈનાત કર્યા છે. એટલું જ નહીં સુરક્ષા વ્યવસ્થાને મજબૂત રાખવા માટે 17 IPS, 100 PPS સ્તરના અધિકારીઓ, 325 ઈન્સ્પેક્ટર, 800 સબ ઈન્સ્પેક્ટર અને 1000થી વધુ કોન્સ્ટેબલ તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષામાં કોઈ ખામી ન રહે તે માટે તેને રેડ ઝોન અને યલો ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યું છે. પીએસીની 3 બટાલિયન રેડ ઝોનમાં તૈનાત છે, જ્યારે 7 બટાલિયન યલો ઝોનમાં તૈનાત છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત રાખવા માટે પોલીસ ઉપરાંત ખાનગી સુરક્ષા એજન્સીઓની પણ મદદ લેવામાં આવી રહી છે. 


ખાનગી સુરક્ષા એજન્સીની મદદ લેવાઈ


અયોધ્યામાં ખાનગી સુરક્ષા એજન્સી SISએ ચાર્જ સંભાળી લીધો છે. કંપનીના ડાયરેક્ટર ઋતુરાજ સિંહાનું કહેવું છે કે અમે અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થાને મજબૂત રાખવા માટે AI ટેક્નોલોજીની મદદ પણ લઈ રહ્યા છીએ. કંપનીના ડિરેક્ટરે કહ્યું કે જો કોઈ હિસ્ટ્રી-શીટર મંદિર પરિસરની નજીક આવે છે, તો AI ટેક્નોલોજીના માધ્યમથી થોડી જ સેકન્ડમાં કેમેરા દ્વારા તેની ઓળખ થઈ જશે. તેણે કહ્યું કે આ માટે અમે પહેલા યુપી પોલીસ પાસેથી ગુનેગારોનો ડેટાબેઝ લીધો હતો. અમે આ ડેટાબેઝને AI ટેક્નોલોજી સાથે કનેક્ટ કર્યું છે. આ પછી, જો કોઈ ગુનેગાર આ ડેટામાં હાજર જોવા મળે છે, તો કેમેરા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા તેની ઓળખ કરશે અને કંટ્રોલ રૂમને સંદેશ મોકલશે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે