અયોધ્યામાં જડબેસલાક સુરક્ષા, શહેર રેડ અને યલો ઝોનમાં વહેંચાયું, જાણો કેવી છે તૈયારીઓ


  • Published By :
  • Published Date : 2024-01-21 10:53:47

અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ તમામ તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે. શહેરમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ઉદ્ઘાટનને હવે માત્ર એક જ દિવસ બાકી છે. સોમવાર (21 જાન્યુઆરી)ના રોજ અભિષેક બાદ મંદિર દર્શન માટે ખુલ્લું મુકવામાં આવશે. લગભગ 8 હજાર આમંત્રિત મહેમાનો અભિષેક સમારોહમાં હાજરી આપે તેવી અપેક્ષા છે, આમાંના ઘણા VVIP ગેસ્ટ પણ છે. 8 હજાર મહેમાનો ઉપરાંત, અન્ય ભક્તોની ભીડ પણ આ સમારોહમાં ભાગ લેવા માટે મંદિરમાં ઉમટી પડશે. આવી સ્થિતિમાં અહીં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. 


અયોધ્યામાં જડબેસલાક સુરક્ષા


અયોધ્યા શનિવાર રાતથી અયોધ્યા સંપૂર્ણપણે છાવણીમાં ફેરવાઈ ગયું છે. અયોધ્યાને રેડ અને યલો ઝોનમાં વહેંચવામાં આવી છે. અહીં શહેરના એન્ટ્રી પોઈન્ટથી લઈને રામ મંદિર સુધીના દરેક ખૂણા પર પોલીસ અને એટીએસ કમાન્ડો તૈનાત રહેશે. હાલમાં અયોધ્યામાં ઘણા બધા બ્લેકકેટ કમાન્ડો, બખ્તરબંધ વાહનો અને ડ્રોન જોવા મળી રહ્યા છે. સરયૂ નદી પાસે NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. યુપી પોલીસે અહીં 3 ડીઆઈજી તૈનાત કર્યા છે. એટલું જ નહીં સુરક્ષા વ્યવસ્થાને મજબૂત રાખવા માટે 17 IPS, 100 PPS સ્તરના અધિકારીઓ, 325 ઈન્સ્પેક્ટર, 800 સબ ઈન્સ્પેક્ટર અને 1000થી વધુ કોન્સ્ટેબલ તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષામાં કોઈ ખામી ન રહે તે માટે તેને રેડ ઝોન અને યલો ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યું છે. પીએસીની 3 બટાલિયન રેડ ઝોનમાં તૈનાત છે, જ્યારે 7 બટાલિયન યલો ઝોનમાં તૈનાત છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત રાખવા માટે પોલીસ ઉપરાંત ખાનગી સુરક્ષા એજન્સીઓની પણ મદદ લેવામાં આવી રહી છે. 


ખાનગી સુરક્ષા એજન્સીની મદદ લેવાઈ


અયોધ્યામાં ખાનગી સુરક્ષા એજન્સી SISએ ચાર્જ સંભાળી લીધો છે. કંપનીના ડાયરેક્ટર ઋતુરાજ સિંહાનું કહેવું છે કે અમે અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થાને મજબૂત રાખવા માટે AI ટેક્નોલોજીની મદદ પણ લઈ રહ્યા છીએ. કંપનીના ડિરેક્ટરે કહ્યું કે જો કોઈ હિસ્ટ્રી-શીટર મંદિર પરિસરની નજીક આવે છે, તો AI ટેક્નોલોજીના માધ્યમથી થોડી જ સેકન્ડમાં કેમેરા દ્વારા તેની ઓળખ થઈ જશે. તેણે કહ્યું કે આ માટે અમે પહેલા યુપી પોલીસ પાસેથી ગુનેગારોનો ડેટાબેઝ લીધો હતો. અમે આ ડેટાબેઝને AI ટેક્નોલોજી સાથે કનેક્ટ કર્યું છે. આ પછી, જો કોઈ ગુનેગાર આ ડેટામાં હાજર જોવા મળે છે, તો કેમેરા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા તેની ઓળખ કરશે અને કંટ્રોલ રૂમને સંદેશ મોકલશે.



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.