અયોધ્યામાં જડબેસલાક સુરક્ષા, શહેર રેડ અને યલો ઝોનમાં વહેંચાયું, જાણો કેવી છે તૈયારીઓ


  • Published By :
  • Published Date : 2024-01-21 10:53:47

અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ તમામ તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે. શહેરમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ઉદ્ઘાટનને હવે માત્ર એક જ દિવસ બાકી છે. સોમવાર (21 જાન્યુઆરી)ના રોજ અભિષેક બાદ મંદિર દર્શન માટે ખુલ્લું મુકવામાં આવશે. લગભગ 8 હજાર આમંત્રિત મહેમાનો અભિષેક સમારોહમાં હાજરી આપે તેવી અપેક્ષા છે, આમાંના ઘણા VVIP ગેસ્ટ પણ છે. 8 હજાર મહેમાનો ઉપરાંત, અન્ય ભક્તોની ભીડ પણ આ સમારોહમાં ભાગ લેવા માટે મંદિરમાં ઉમટી પડશે. આવી સ્થિતિમાં અહીં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. 


અયોધ્યામાં જડબેસલાક સુરક્ષા


અયોધ્યા શનિવાર રાતથી અયોધ્યા સંપૂર્ણપણે છાવણીમાં ફેરવાઈ ગયું છે. અયોધ્યાને રેડ અને યલો ઝોનમાં વહેંચવામાં આવી છે. અહીં શહેરના એન્ટ્રી પોઈન્ટથી લઈને રામ મંદિર સુધીના દરેક ખૂણા પર પોલીસ અને એટીએસ કમાન્ડો તૈનાત રહેશે. હાલમાં અયોધ્યામાં ઘણા બધા બ્લેકકેટ કમાન્ડો, બખ્તરબંધ વાહનો અને ડ્રોન જોવા મળી રહ્યા છે. સરયૂ નદી પાસે NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. યુપી પોલીસે અહીં 3 ડીઆઈજી તૈનાત કર્યા છે. એટલું જ નહીં સુરક્ષા વ્યવસ્થાને મજબૂત રાખવા માટે 17 IPS, 100 PPS સ્તરના અધિકારીઓ, 325 ઈન્સ્પેક્ટર, 800 સબ ઈન્સ્પેક્ટર અને 1000થી વધુ કોન્સ્ટેબલ તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષામાં કોઈ ખામી ન રહે તે માટે તેને રેડ ઝોન અને યલો ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યું છે. પીએસીની 3 બટાલિયન રેડ ઝોનમાં તૈનાત છે, જ્યારે 7 બટાલિયન યલો ઝોનમાં તૈનાત છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત રાખવા માટે પોલીસ ઉપરાંત ખાનગી સુરક્ષા એજન્સીઓની પણ મદદ લેવામાં આવી રહી છે. 


ખાનગી સુરક્ષા એજન્સીની મદદ લેવાઈ


અયોધ્યામાં ખાનગી સુરક્ષા એજન્સી SISએ ચાર્જ સંભાળી લીધો છે. કંપનીના ડાયરેક્ટર ઋતુરાજ સિંહાનું કહેવું છે કે અમે અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થાને મજબૂત રાખવા માટે AI ટેક્નોલોજીની મદદ પણ લઈ રહ્યા છીએ. કંપનીના ડિરેક્ટરે કહ્યું કે જો કોઈ હિસ્ટ્રી-શીટર મંદિર પરિસરની નજીક આવે છે, તો AI ટેક્નોલોજીના માધ્યમથી થોડી જ સેકન્ડમાં કેમેરા દ્વારા તેની ઓળખ થઈ જશે. તેણે કહ્યું કે આ માટે અમે પહેલા યુપી પોલીસ પાસેથી ગુનેગારોનો ડેટાબેઝ લીધો હતો. અમે આ ડેટાબેઝને AI ટેક્નોલોજી સાથે કનેક્ટ કર્યું છે. આ પછી, જો કોઈ ગુનેગાર આ ડેટામાં હાજર જોવા મળે છે, તો કેમેરા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા તેની ઓળખ કરશે અને કંટ્રોલ રૂમને સંદેશ મોકલશે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.