Uttar Pradeshની જનસભામાં ઉઠ્યો Ram Mandirનો મુદ્દો, PM Modiએ કહ્યું કે જો કોંગ્રેસ- સપા સત્તામાં આવી તો...


  • Published By :
  • Published Date : 2024-05-18 17:15:23

લોકસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. ચાર તબક્કા અંતર્ગત મતદાન પૂર્ણ થઈ ગયું છે અને બાકીની ત્રણ તબક્કા ચૂંટણી માટે મતદાન થવાનું શેષ છે.. પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.. લોકસભા ચૂંટણી દરમિયાન રામ મંદિરની ચર્ચાઓ તમે સાંભળી હશે.. રાજનેતાઓ દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવે છે.. ત્યારે રામ મંદિરનો મુદ્દો પીએમ મોદીએ ઉઠાવ્યો છે. બારાબંકીમાં જનસભાને સંબોધતા પીએમ મોદીએ કોંગ્રેસ તેમજ સમાજવાદી પાર્ટી પર નિશાન સાધ્યું હતું.,  

અનેક એવા મુદ્દાઓ જે મતદાતાના માનસ પર અસર કરે છે 

રામ મંદિર અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે.. અનેક દાયકાઓ બાદ જ્યારે રામ ભગવાનની મૂર્તિ મંદિરમાં સ્થાપિત થઈ ત્યારે અનેક ભક્તોની આંખોમાંથી હરખના આંસુ આવ્યા હતા.. આ વખતની ચૂંટણીમાં અનેક રાજનેતાઓના મુખેથી રામ મંદિરનો મુદ્દો સાંભળ્યો હશે.. જમાવટે જ્યારે ઈલેક્શન યાત્રા કરી ત્યારે રામ મંદિર અને કલમ 370 જેવા મુદ્દાઓ મતદાતાના માનસ પર અસર કરતા હતા. 



રામ મંદિરને લઈ પીએમ મોદીએ કહ્યું કે 

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે 


કોંગ્રેસ અને સપાએ રામલલ્લાને તંબુમાં રાખ્યા હતા. પોતાની વોટ બેંકને ખુશ કરવા માટે તેમણે કહ્યું કે મંદિરને બદલે ત્યાં ધર્મશાળા, શાળા કે હોસ્પિટલ બનાવવી જોઈએ. જ્યારે મંદિરનું નિર્માણ થયું ત્યારે તેમના પેટમાં આવા ઝેર ભરાઈ ગયા હતા, મને ખબર નથી કે તેમને રામ લલ્લા સાથે શું દુશ્મનાવટ હતી કે તેમણે અભિષેકનું આમંત્રણ નકારી કાઢ્યું. ના માત્ર કોંગ્રેસ પર પરંતુ તેમણે સમાજવાદી પાર્ટી પર પણ પ્રહાર કર્યા હતા.



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.