Uttar Pradeshની જનસભામાં ઉઠ્યો Ram Mandirનો મુદ્દો, PM Modiએ કહ્યું કે જો કોંગ્રેસ- સપા સત્તામાં આવી તો...


  • Published By :
  • Published Date : 2024-05-18 17:15:23

લોકસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. ચાર તબક્કા અંતર્ગત મતદાન પૂર્ણ થઈ ગયું છે અને બાકીની ત્રણ તબક્કા ચૂંટણી માટે મતદાન થવાનું શેષ છે.. પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.. લોકસભા ચૂંટણી દરમિયાન રામ મંદિરની ચર્ચાઓ તમે સાંભળી હશે.. રાજનેતાઓ દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવે છે.. ત્યારે રામ મંદિરનો મુદ્દો પીએમ મોદીએ ઉઠાવ્યો છે. બારાબંકીમાં જનસભાને સંબોધતા પીએમ મોદીએ કોંગ્રેસ તેમજ સમાજવાદી પાર્ટી પર નિશાન સાધ્યું હતું.,  

અનેક એવા મુદ્દાઓ જે મતદાતાના માનસ પર અસર કરે છે 

રામ મંદિર અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે.. અનેક દાયકાઓ બાદ જ્યારે રામ ભગવાનની મૂર્તિ મંદિરમાં સ્થાપિત થઈ ત્યારે અનેક ભક્તોની આંખોમાંથી હરખના આંસુ આવ્યા હતા.. આ વખતની ચૂંટણીમાં અનેક રાજનેતાઓના મુખેથી રામ મંદિરનો મુદ્દો સાંભળ્યો હશે.. જમાવટે જ્યારે ઈલેક્શન યાત્રા કરી ત્યારે રામ મંદિર અને કલમ 370 જેવા મુદ્દાઓ મતદાતાના માનસ પર અસર કરતા હતા. 



રામ મંદિરને લઈ પીએમ મોદીએ કહ્યું કે 

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે 


કોંગ્રેસ અને સપાએ રામલલ્લાને તંબુમાં રાખ્યા હતા. પોતાની વોટ બેંકને ખુશ કરવા માટે તેમણે કહ્યું કે મંદિરને બદલે ત્યાં ધર્મશાળા, શાળા કે હોસ્પિટલ બનાવવી જોઈએ. જ્યારે મંદિરનું નિર્માણ થયું ત્યારે તેમના પેટમાં આવા ઝેર ભરાઈ ગયા હતા, મને ખબર નથી કે તેમને રામ લલ્લા સાથે શું દુશ્મનાવટ હતી કે તેમણે અભિષેકનું આમંત્રણ નકારી કાઢ્યું. ના માત્ર કોંગ્રેસ પર પરંતુ તેમણે સમાજવાદી પાર્ટી પર પણ પ્રહાર કર્યા હતા.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.