Ram Mandir : પ્રાણ પ્રતિષ્ઠાને એક મહિનો થયો પૂર્ણ, રામ લલ્લાની ઝાંખી કરવા ઉમટી ભાવિકોની ભીડ, જુઓ દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2024-02-22 10:39:19

ગયા મહિનાની 22 તારીખને રામ ભક્તો કદાચ ક્યારેય નહીં ભૂલી શકે. 22 જાન્યુઆરીના દિવસે ભગવાન રામ અનેક દાયકાઓ બાદ મંદિરમાં બિરાજમાન થયા હતા. એ ક્ષણની રાહ અનેક રામ ભક્તોએ ઘણા સમયથી જોઈ હતી જ્યારે ટેન્ટમાં બિરાજેલા ભગવાન મંદિરમાં બિરાજે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. ભગવાનને ગર્ભ ગૃહમાં બિરાજમાન થયે આજે એક મહિનો પૂર્ણ થઈ ગયો છે. રામ ભગવાનની ઝાંખી કરવા ભક્તો આતુર બન્યા છે. મળતી માહિતી પ્રમાણે છેલ્લા એક મહિનામાં અંદાજીત 60 લાખ જેટલા ભક્તોએ રામ મંદિરની મુલાકાત લીધી છે. 

22 જાન્યુઆરીએ ગર્ભ ગૃહમાં બિરાજમાન કરાઈ હતી ભગવાન રામની પ્રતિમાને! 

રામ ભગવાન અનેક ભક્તોના ઈષ્ટ દેવ છે. અનેક ભક્તોની આસ્થા ભગવાન રામ સાથે જોડાયેલી છે. અનેક દાયકાઓ સુધી ભગવાન રામ ટેન્ટમાં રહ્યા હતા અને રામ ભક્તો એ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા જ્યારે ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થાય. ત્યારે 22 જાન્યુઆરીએ ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થયા. આ ક્ષણને જોઈ અનેક ભક્તોની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા. અનેક ભક્ત ઈમોશનલ પણ થઈ ગયા હશે. મંદિરમાં ભગવાન બિરાજમાન થયા તે બાદ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ, ભક્તો મંદિરની મુલાકાત લઈ રહ્યા છે. લાખો ભક્તોએ ભગવાન રામ આગળ શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા છે. 


એક મહિનાની અંદર લાખો ભક્તોએ કર્યા રામ ભગવાનના દર્શન! 

આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને એક મહિનો પૂર્ણ થઈ ગયો છે. આ એક મહિનાની અંદર વિવિધ પાર્ટીના નેતાઓ, બોલિવુડ સ્ટાર્સે રામ ભગવાનના દર્શન કર્યા છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ મંત્રી મંડળસાથે રામ લલ્લાના દર્શન કર્યા ઉપરાંત પરિવાર સાથે દર્શન કરવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ પહોંચ્યા હતા. ભક્તોની વાત કરીએ તો અંદાજીત 60 લાખ શ્રદ્ધાળુઓ મંદિરના દર્શનાર્થે આવ્યા છે. શ્રી રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 22 જાન્યુઆરીથી 21 ફેબ્રુઆરી સુધી 60 લાખ ભક્તોએ રામ ભગવાનના દર્શન કર્યા છે. પ્રાણ પ્રતિષ્ઠાના પ્રથમ 10 દિવસની અંદર જ અંદાજીત 25 લાખ જેટલા ભક્તોએ રામ મંદિરની મુલાકાત લીધી હતી.      



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.