રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ : પવાર, નીતિશ, લાલુ યાદવ, મમતા અને ઉધ્ધવ ઠાકરેને પણ આમંત્રણ


  • Published By :
  • Published Date : 2024-01-10 16:27:17

અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા આમંત્રણ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથની સાથે ઘણા નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે, જ્યારે કેટલાકને આમંત્રણ મળવાનું બાકી છે. આ ક્રમમાં હવે એ વાત સામે આવી રહી છે કે નીતિશ કુમાર, શરદ પવાર, અરવિંદ કેજરીવાલ સહિત અનેક નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે.વિશ્વ હિન્દુ પરિષદનું કહેવું છે કે તે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે એનસીપી પ્રમુખ શરદ પવાર, શિવસેના ઉદ્ધવ જૂથના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ, બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર, BSP વડા માયાવતી, પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જી, ભૂતપૂર્વ UP CM અખિલેશ યાદવ, KCR અને બિહારના પૂર્વ CM લાલુ પ્રસાદ યાદવ આગામી દિવસોમાં ને આમંત્રણ મોકલશે. 


અખિલેશ યાદવે કર્યો ઈન્કાર


ઉલ્લેખનિય છે કે એક દિવસ પહેલા વિશ્વ હિન્દુ પરિષદના વડા આલોક કુમારે કહ્યું હતું કે તેમણે અખિલેશ યાદવને પણ આમંત્રણ મોકલ્યું છે. જો કે, બાદમાં અખિલેશે જવાબ આપ્યો હતો કે તેઓ જેમને ઓળખતા નથી તેમના તરફથી મોકલવામાં આવતા આમંત્રણ પણ લેતા નથી. આ પછી આલોક કુમારે કહ્યું છે કે જે પણ યુપીમાં રહે છે તે એમ ન કહી શકે કે તે VHPને ઓળખતો નથી. તેમણે વધુમાં કહ્યું કે અખિલેશ યાદવ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ન આવવા માટે બહાના બનાવી રહ્યા છે.


અયોધ્યામાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ


પીએમ મોદીને 30 ડિસેમ્બર 2023ના રોજ અયોધ્યા ધામ જંક્શન રેલવે સ્ટેશન અને મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવશે. હવે તે 22 જાન્યુઆરી 2024ના રોજ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થવા માટે મુખ્ય યજમાન તરીકે અયોધ્યામાં આવશે, આ ભવ્ય સમારોહને લઈને અયોધ્યાને નવવધૂની જેમ સજાવવામાં આવે છે. 



ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.