રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ : પવાર, નીતિશ, લાલુ યાદવ, મમતા અને ઉધ્ધવ ઠાકરેને પણ આમંત્રણ


  • Published By :
  • Published Date : 2024-01-10 16:27:17

અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા આમંત્રણ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથની સાથે ઘણા નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે, જ્યારે કેટલાકને આમંત્રણ મળવાનું બાકી છે. આ ક્રમમાં હવે એ વાત સામે આવી રહી છે કે નીતિશ કુમાર, શરદ પવાર, અરવિંદ કેજરીવાલ સહિત અનેક નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે.વિશ્વ હિન્દુ પરિષદનું કહેવું છે કે તે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે એનસીપી પ્રમુખ શરદ પવાર, શિવસેના ઉદ્ધવ જૂથના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ, બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર, BSP વડા માયાવતી, પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જી, ભૂતપૂર્વ UP CM અખિલેશ યાદવ, KCR અને બિહારના પૂર્વ CM લાલુ પ્રસાદ યાદવ આગામી દિવસોમાં ને આમંત્રણ મોકલશે. 


અખિલેશ યાદવે કર્યો ઈન્કાર


ઉલ્લેખનિય છે કે એક દિવસ પહેલા વિશ્વ હિન્દુ પરિષદના વડા આલોક કુમારે કહ્યું હતું કે તેમણે અખિલેશ યાદવને પણ આમંત્રણ મોકલ્યું છે. જો કે, બાદમાં અખિલેશે જવાબ આપ્યો હતો કે તેઓ જેમને ઓળખતા નથી તેમના તરફથી મોકલવામાં આવતા આમંત્રણ પણ લેતા નથી. આ પછી આલોક કુમારે કહ્યું છે કે જે પણ યુપીમાં રહે છે તે એમ ન કહી શકે કે તે VHPને ઓળખતો નથી. તેમણે વધુમાં કહ્યું કે અખિલેશ યાદવ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ન આવવા માટે બહાના બનાવી રહ્યા છે.


અયોધ્યામાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ


પીએમ મોદીને 30 ડિસેમ્બર 2023ના રોજ અયોધ્યા ધામ જંક્શન રેલવે સ્ટેશન અને મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવશે. હવે તે 22 જાન્યુઆરી 2024ના રોજ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થવા માટે મુખ્ય યજમાન તરીકે અયોધ્યામાં આવશે, આ ભવ્ય સમારોહને લઈને અયોધ્યાને નવવધૂની જેમ સજાવવામાં આવે છે. 



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે