રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ : પવાર, નીતિશ, લાલુ યાદવ, મમતા અને ઉધ્ધવ ઠાકરેને પણ આમંત્રણ


  • Published By :
  • Published Date : 2024-01-10 16:27:17

અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા આમંત્રણ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથની સાથે ઘણા નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે, જ્યારે કેટલાકને આમંત્રણ મળવાનું બાકી છે. આ ક્રમમાં હવે એ વાત સામે આવી રહી છે કે નીતિશ કુમાર, શરદ પવાર, અરવિંદ કેજરીવાલ સહિત અનેક નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે.વિશ્વ હિન્દુ પરિષદનું કહેવું છે કે તે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે એનસીપી પ્રમુખ શરદ પવાર, શિવસેના ઉદ્ધવ જૂથના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ, બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર, BSP વડા માયાવતી, પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જી, ભૂતપૂર્વ UP CM અખિલેશ યાદવ, KCR અને બિહારના પૂર્વ CM લાલુ પ્રસાદ યાદવ આગામી દિવસોમાં ને આમંત્રણ મોકલશે. 


અખિલેશ યાદવે કર્યો ઈન્કાર


ઉલ્લેખનિય છે કે એક દિવસ પહેલા વિશ્વ હિન્દુ પરિષદના વડા આલોક કુમારે કહ્યું હતું કે તેમણે અખિલેશ યાદવને પણ આમંત્રણ મોકલ્યું છે. જો કે, બાદમાં અખિલેશે જવાબ આપ્યો હતો કે તેઓ જેમને ઓળખતા નથી તેમના તરફથી મોકલવામાં આવતા આમંત્રણ પણ લેતા નથી. આ પછી આલોક કુમારે કહ્યું છે કે જે પણ યુપીમાં રહે છે તે એમ ન કહી શકે કે તે VHPને ઓળખતો નથી. તેમણે વધુમાં કહ્યું કે અખિલેશ યાદવ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ન આવવા માટે બહાના બનાવી રહ્યા છે.


અયોધ્યામાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ


પીએમ મોદીને 30 ડિસેમ્બર 2023ના રોજ અયોધ્યા ધામ જંક્શન રેલવે સ્ટેશન અને મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવશે. હવે તે 22 જાન્યુઆરી 2024ના રોજ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થવા માટે મુખ્ય યજમાન તરીકે અયોધ્યામાં આવશે, આ ભવ્ય સમારોહને લઈને અયોધ્યાને નવવધૂની જેમ સજાવવામાં આવે છે. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.