રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ : પવાર, નીતિશ, લાલુ યાદવ, મમતા અને ઉધ્ધવ ઠાકરેને પણ આમંત્રણ


  • Published By :
  • Published Date : 2024-01-10 16:27:17

અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા આમંત્રણ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથની સાથે ઘણા નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે, જ્યારે કેટલાકને આમંત્રણ મળવાનું બાકી છે. આ ક્રમમાં હવે એ વાત સામે આવી રહી છે કે નીતિશ કુમાર, શરદ પવાર, અરવિંદ કેજરીવાલ સહિત અનેક નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે.વિશ્વ હિન્દુ પરિષદનું કહેવું છે કે તે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે એનસીપી પ્રમુખ શરદ પવાર, શિવસેના ઉદ્ધવ જૂથના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ, બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર, BSP વડા માયાવતી, પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જી, ભૂતપૂર્વ UP CM અખિલેશ યાદવ, KCR અને બિહારના પૂર્વ CM લાલુ પ્રસાદ યાદવ આગામી દિવસોમાં ને આમંત્રણ મોકલશે. 


અખિલેશ યાદવે કર્યો ઈન્કાર


ઉલ્લેખનિય છે કે એક દિવસ પહેલા વિશ્વ હિન્દુ પરિષદના વડા આલોક કુમારે કહ્યું હતું કે તેમણે અખિલેશ યાદવને પણ આમંત્રણ મોકલ્યું છે. જો કે, બાદમાં અખિલેશે જવાબ આપ્યો હતો કે તેઓ જેમને ઓળખતા નથી તેમના તરફથી મોકલવામાં આવતા આમંત્રણ પણ લેતા નથી. આ પછી આલોક કુમારે કહ્યું છે કે જે પણ યુપીમાં રહે છે તે એમ ન કહી શકે કે તે VHPને ઓળખતો નથી. તેમણે વધુમાં કહ્યું કે અખિલેશ યાદવ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ન આવવા માટે બહાના બનાવી રહ્યા છે.


અયોધ્યામાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ


પીએમ મોદીને 30 ડિસેમ્બર 2023ના રોજ અયોધ્યા ધામ જંક્શન રેલવે સ્ટેશન અને મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવશે. હવે તે 22 જાન્યુઆરી 2024ના રોજ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થવા માટે મુખ્ય યજમાન તરીકે અયોધ્યામાં આવશે, આ ભવ્ય સમારોહને લઈને અયોધ્યાને નવવધૂની જેમ સજાવવામાં આવે છે. 



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.