રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ : પવાર, નીતિશ, લાલુ યાદવ, મમતા અને ઉધ્ધવ ઠાકરેને પણ આમંત્રણ


  • Published By :
  • Published Date : 2024-01-10 16:27:17

અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા આમંત્રણ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથની સાથે ઘણા નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે, જ્યારે કેટલાકને આમંત્રણ મળવાનું બાકી છે. આ ક્રમમાં હવે એ વાત સામે આવી રહી છે કે નીતિશ કુમાર, શરદ પવાર, અરવિંદ કેજરીવાલ સહિત અનેક નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે.વિશ્વ હિન્દુ પરિષદનું કહેવું છે કે તે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે એનસીપી પ્રમુખ શરદ પવાર, શિવસેના ઉદ્ધવ જૂથના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ, બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર, BSP વડા માયાવતી, પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જી, ભૂતપૂર્વ UP CM અખિલેશ યાદવ, KCR અને બિહારના પૂર્વ CM લાલુ પ્રસાદ યાદવ આગામી દિવસોમાં ને આમંત્રણ મોકલશે. 


અખિલેશ યાદવે કર્યો ઈન્કાર


ઉલ્લેખનિય છે કે એક દિવસ પહેલા વિશ્વ હિન્દુ પરિષદના વડા આલોક કુમારે કહ્યું હતું કે તેમણે અખિલેશ યાદવને પણ આમંત્રણ મોકલ્યું છે. જો કે, બાદમાં અખિલેશે જવાબ આપ્યો હતો કે તેઓ જેમને ઓળખતા નથી તેમના તરફથી મોકલવામાં આવતા આમંત્રણ પણ લેતા નથી. આ પછી આલોક કુમારે કહ્યું છે કે જે પણ યુપીમાં રહે છે તે એમ ન કહી શકે કે તે VHPને ઓળખતો નથી. તેમણે વધુમાં કહ્યું કે અખિલેશ યાદવ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ન આવવા માટે બહાના બનાવી રહ્યા છે.


અયોધ્યામાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ


પીએમ મોદીને 30 ડિસેમ્બર 2023ના રોજ અયોધ્યા ધામ જંક્શન રેલવે સ્ટેશન અને મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવશે. હવે તે 22 જાન્યુઆરી 2024ના રોજ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થવા માટે મુખ્ય યજમાન તરીકે અયોધ્યામાં આવશે, આ ભવ્ય સમારોહને લઈને અયોધ્યાને નવવધૂની જેમ સજાવવામાં આવે છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.