રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા: અંતે અડવાણી અને મુરલી મનોહર જોશીને મળ્યું આમંત્રણ, જાણો તેમણે શું કહ્યું


  • Published By :
  • Published Date : 2023-12-19 18:24:26

ભાજપના અગ્રણી નેતાઓ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમારોહ માટે આમંત્રણ મળ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ આલોક કુમારે મંગળવારે બંને વરિષ્ઠ નેતાઓને આમંત્રણ કાર્ડ આપ્યા હતા. રામ મંદિર ચળવળના પ્રણેતા, આદરણીય લાલ કૃષ્ણ અડવાણીજી અને આદરણીય ડૉ. મુરલી મનોહર જોશી જીને 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમની સાથે રામ મંદિર ચળવળ વિશે વાત થઈ હતી. બંને અગ્રણીઓએ કહ્યું કે તેઓ આવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. રામ મંદિરના અગ્રણી નેતાઓમાં સામેલ અડવાણી અને જોશીએ કહ્યું કે તેઓ આ સમારોહમાં હાજરી આપવા માટે તમામ પ્રયાસો કરશે. 




ન આવવા કરાઈ હતી વિનંતી


અગાઉ એવું જાણવા મળ્યું હતું કે સ્વાસ્થ્ય અને ઉંમરના કારણે બંને નેતાઓને આ કાર્યક્રમમાં ન આવવા વિનંતી કરવામાં આવી હતી. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે કહ્યું હતું કે અડવાણી અને જોશી બંને પરિવારના વૃદ્ધ નેતા છે. તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને તેમને ન આવવા વિનંતી કરવામાં આવી હતી, જે તેમણે સ્વીકારી હતી. જોકે, હવે VHPએ સ્પષ્ટતા કરી છે કે લાલકૃષ્ણ અડવાણી અને ડૉ. મુરલી મનોહર જોશીને આમંત્રણ પત્રો આપવામાં આવ્યા છે અને બંને કાર્યક્રમમાં હાજરી આપવાનો પણ પ્રયાસ કરશે. ઉલ્લેખનીય છે કે અડવાણી 96 વર્ષના છે અને જોશી આવતા મહિને જાન્યુઆરીમાં 90 વર્ષના થશે.       


15 જાન્યુઆરી સુધી તૈયારીઓ પૂર્ણ કરાશે


રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સમારોહની તમામ તૈયારીઓ 15 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે. આ પૂજા 16મી જાન્યુઆરીથી શરૂ થશે અને 22મી જાન્યુઆરી સુધી ચાલશે. આ કાર્યક્રમમાં વિવિધ પરંપરાના 150 ઋષિ-સંતો અને છ દર્શન પરંપરાના શંકરાચાર્ય સહિત 13 અખાડાઓ ભાગ લેશે. કાર્યક્રમમાં ચાર હજાર જેટલા સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સિવાય 2200 અન્ય મહેમાનોને પણ આમંત્રણ મોકલવામાં આવ્યા છે.


48 દિવસ સુધી મંડલ પૂજા થશે


કાશી વિશ્વનાથ, વૈષ્ણોદેવી જેવા મુખ્ય મંદિરોના વડાઓ, ધાર્મિક અને બંધારણીય સંસ્થાઓના પ્રતિનિધિઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. અભિષેક વિધિ બાદ ઉત્તર ભારતની પરંપરા મુજબ 24 જાન્યુઆરીથી 48 દિવસ સુધી મંડલ પૂજા યોજાશે. જ્યારે 23 જાન્યુઆરીથી સામાન્ય લોકો રામલલાના દર્શન કરી શકશે. અયોધ્યામાં ત્રણથી વધુ સ્થળોએ મહેમાનોના રહેવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ સિવાય વિવિધ મઠો, મંદિરો અને ગૃહસ્થ પરિવારો દ્વારા 600 રૂમ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. 25મી ડિસેમ્બરથી ત્રણ મુખ્ય સ્થળોએ ભંડારા પણ શરૂ થશે.



નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.