રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા: અંતે અડવાણી અને મુરલી મનોહર જોશીને મળ્યું આમંત્રણ, જાણો તેમણે શું કહ્યું


  • Published By :
  • Published Date : 2023-12-19 18:24:26

ભાજપના અગ્રણી નેતાઓ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમારોહ માટે આમંત્રણ મળ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ આલોક કુમારે મંગળવારે બંને વરિષ્ઠ નેતાઓને આમંત્રણ કાર્ડ આપ્યા હતા. રામ મંદિર ચળવળના પ્રણેતા, આદરણીય લાલ કૃષ્ણ અડવાણીજી અને આદરણીય ડૉ. મુરલી મનોહર જોશી જીને 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમની સાથે રામ મંદિર ચળવળ વિશે વાત થઈ હતી. બંને અગ્રણીઓએ કહ્યું કે તેઓ આવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. રામ મંદિરના અગ્રણી નેતાઓમાં સામેલ અડવાણી અને જોશીએ કહ્યું કે તેઓ આ સમારોહમાં હાજરી આપવા માટે તમામ પ્રયાસો કરશે. 




ન આવવા કરાઈ હતી વિનંતી


અગાઉ એવું જાણવા મળ્યું હતું કે સ્વાસ્થ્ય અને ઉંમરના કારણે બંને નેતાઓને આ કાર્યક્રમમાં ન આવવા વિનંતી કરવામાં આવી હતી. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે કહ્યું હતું કે અડવાણી અને જોશી બંને પરિવારના વૃદ્ધ નેતા છે. તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને તેમને ન આવવા વિનંતી કરવામાં આવી હતી, જે તેમણે સ્વીકારી હતી. જોકે, હવે VHPએ સ્પષ્ટતા કરી છે કે લાલકૃષ્ણ અડવાણી અને ડૉ. મુરલી મનોહર જોશીને આમંત્રણ પત્રો આપવામાં આવ્યા છે અને બંને કાર્યક્રમમાં હાજરી આપવાનો પણ પ્રયાસ કરશે. ઉલ્લેખનીય છે કે અડવાણી 96 વર્ષના છે અને જોશી આવતા મહિને જાન્યુઆરીમાં 90 વર્ષના થશે.       


15 જાન્યુઆરી સુધી તૈયારીઓ પૂર્ણ કરાશે


રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સમારોહની તમામ તૈયારીઓ 15 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે. આ પૂજા 16મી જાન્યુઆરીથી શરૂ થશે અને 22મી જાન્યુઆરી સુધી ચાલશે. આ કાર્યક્રમમાં વિવિધ પરંપરાના 150 ઋષિ-સંતો અને છ દર્શન પરંપરાના શંકરાચાર્ય સહિત 13 અખાડાઓ ભાગ લેશે. કાર્યક્રમમાં ચાર હજાર જેટલા સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સિવાય 2200 અન્ય મહેમાનોને પણ આમંત્રણ મોકલવામાં આવ્યા છે.


48 દિવસ સુધી મંડલ પૂજા થશે


કાશી વિશ્વનાથ, વૈષ્ણોદેવી જેવા મુખ્ય મંદિરોના વડાઓ, ધાર્મિક અને બંધારણીય સંસ્થાઓના પ્રતિનિધિઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. અભિષેક વિધિ બાદ ઉત્તર ભારતની પરંપરા મુજબ 24 જાન્યુઆરીથી 48 દિવસ સુધી મંડલ પૂજા યોજાશે. જ્યારે 23 જાન્યુઆરીથી સામાન્ય લોકો રામલલાના દર્શન કરી શકશે. અયોધ્યામાં ત્રણથી વધુ સ્થળોએ મહેમાનોના રહેવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ સિવાય વિવિધ મઠો, મંદિરો અને ગૃહસ્થ પરિવારો દ્વારા 600 રૂમ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. 25મી ડિસેમ્બરથી ત્રણ મુખ્ય સ્થળોએ ભંડારા પણ શરૂ થશે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.