Ram મંદિર ટ્રસ્ટે Lal krishna advani અને Murli Manohar Joshiને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ન આવવા કરી અપીલ, જાણો આની પાછળનું કારણ


  • Published By :
  • Published Date : 2023-12-19 10:45:06

22 જાન્યુઆરી 2024ની રાહ જોવાઈ રહી છે.આ એ તારીખ છે જ્યારે રામ લલ્લા મંદિરમાં બીરાજમાન થશે. 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રાણ પ્રતિષ્ઠા અંગેની તૈયારીઓ જોર-શોરથી ચાલી રહી છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા દેશ વિદેશથી લોકો આવવાના છે. અયોધ્યા ખાતે થનારા આ દિવ્ય કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવવાના છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય મહેમાન હશે. એવી માહિતી સામે આવી છે કે રામ મંદિર આંદોલનના મોટા ચહેરામાં સામેલ અને ભાજપના સીનિયર નેતા લાલકૃષ્ણ અડવાણી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરલી મનોહર જોશી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં સામેલ નહીં થાય.   

રામ મંદિરના પ્રતિષ્ઠામાં સામેલ નહીં થાય આ બે દિગ્ગજ નેતા!

રામ મંદિર આંદોલનના મુખ્ય ચહેરાઓમાના બે દિગ્ગજ ચહેરાઓ એવા લાલ કૃષ્ણ અડવાણી તેમજ મુરલી મનોહર જોશીઆ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ નહીં થાય. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં અડવાણી અને જોશી સામેલ નહીં થાય તે અંગેની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે બન્ને પરિવારના વૃદ્ધ છે અને તેમની ઉંમરને જોતા તેમને ના આવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે, જેનો બન્નેએ સ્વીકાર કરી લીધો છે. 

આટલા લોકોને અપાયું છે આમંત્રણ 

વધુમાં તેમણે કહ્યું કે પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાને સમારંભમાં આમંત્રણ આપવા ત્રણ સભ્યોની ટીમની રચના કરવામાં આવી છે, તેમણે કહ્યું કે વિવિધ પરંપરાઓના 150 સાધુ-સંતો અને છ દર્શન પરંપરાઓના શંકરાચાર્યો સહિત 13 અખાડા આ સમારંભમાં સામેલ થશે. કાર્યક્રમમાં લગભગ ચાર હજાર સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સિવાય 2200 અન્ય મહેમાનોને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. 


દર્શનાર્થીઓ માટે આ તારીખે ખુલ્લા મૂકાશે મંદિરના દ્વાર 

મહત્વનું છે કે આ પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થવા માટે અનેક મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ યાદીમાં આધ્યાત્મિક ગુરૂ દલાઇ લામા, કેરલની માતા અમૃતાનંદમયી, યોગ ગુરૂ બાબા રામદેવ, અભિનેતા રજનીકાંત, અમિતાભ બચ્ચન, માધુરી દીક્ષિત, અરુણ ગોવિલ, ફિલ્મ ડિરેક્ટર મધુર ભંડારકર, બિઝનેસમેન મુકેશ અંબાણી, અનિલ અંબાણી, ઇસરોના ડિરેક્ટર નીલેશ દેસાઇ અને અન્ય કેટલીક જાણીતી હસ્તીઓ પણ પ્રાણ-પ્રતિષ્ઠા સમારંભમાં સામેલ થશે. સામાન્ય દર્શનાર્થીઓ માટે મંદિર 23 જાન્યુઆરીથી ખોલવામાં આવશે. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.