ભાજપના નેતા રામ મોકરિયાનો આરોપ, મારી પાર્ટીના એક નેતાએ કરોડો રૂપિયા દબાવ્યા, સોશિયલ મિડીયા પોસ્ટ વાયરલ


  • Published By :
  • Published Date : 2023-05-29 22:50:36

રાજ્યમાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે, રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની એક સોશિયલ મીડિયા પોસ્ટએ રાજકીય વર્તુળોમાં જોરદાર જગાવી છે. રામ મોકરીયાની સોશિયલ મીડિયામાં કોમેન્ટ વાયરલના કારણે રાજ્યનું રાજકારણ ગરમાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રામ મોકરીયાએ તેમની  ફેસબુક કોમેન્ટમાં લખ્યું છે કે, એક અબજોપતિ સિનિયર નેતાએ મારા પૈસા આપ્યા નથી. રામ મોકરિયાનો આ ઈશારો કોની તરફ છે તે અંગે અને તર્ક-વિતર્કો થઈ રહ્યા છે.


રામ મોકરિયાએ કોના પર સાધ્યું નિશાન?


ભાજપના અગ્રણી નેતા અને રાજ્ય સાંસદ રામ મોકરીયાએ તેમની સોશિય મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, એક અબજોપતિ સિનિયર નેતાએ મારા પૈસા આપ્યા નથી. તેમણે તે નેતાની નિયત પર સવાલ કરતા કહ્યું કે તેની દાનત ખરાબ હોવાથી મારા પૈસા આપ્યા નથી. તેમણે કહ્યું કે, એ નેતા 1990થી સરકારમાં જુદા જુદા પદે રહી ચૂક્યા છે તેમજ 1980થી આ નેતા રાજકારણમાં સક્રિય છે તેમણે વધુમાં લખ્યું છે કે, નેતા ગુજરાત બહાર હતા ત્યારે રિટાયર્ડ થયા હતા. અત્રે ઉલ્લેખનિય કે, સાંસદ રામ મોકરીયાની પોસ્ટ સૌરાષ્ટ્રના કોઈ ભાજપી નેતા પર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.


રકમ કરોડોમાં છે-રામ મોકરિયા


રામ મોકરિયાના જણાવ્યા પ્રમાણે ઘણા વર્ષોથી તે નેતા મોટી રકમનું ચૂકવણુ કરતા નથી. જો કે તેમણે તે નેતાનું નામ જાહેર કર્યું નહોતું. રામ ભાઈને પૂછવામાં આવ્યું કે અંદાજે કેટલી રકમ હશે તો તેમણે કહ્યું કે આંકડો કરોડોમાં છે. અંગત સંબંધના કારણે આ નાણાકિય વ્યવહાર કર્યો હોવાનું પણ તેમણે સ્વીકાર્યું હતું. આ નેતા ભાજપ છે કે કોંગ્રેસના તેવું પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે ભાજપના જ નેતા છે કોંગ્રેસના નેતા સાથે મારે આર્થિક વ્યવહાર કરવાનો હોય જ નહીં? રામ મોકરિયાએ તે પણ જણાવ્યું કે મારી પાસે તે નાણાકિય વ્યવહારના પુરાવા પણ છે. હિસાબ 2008નો છે પણ રકમ 2011થી બાકી છે. જો કે તે નેતા વડીલ હોવાથી કાઈ કહીં શકાતું નથી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.