ભાજપના નેતા રામ મોકરિયાનો આરોપ, મારી પાર્ટીના એક નેતાએ કરોડો રૂપિયા દબાવ્યા, સોશિયલ મિડીયા પોસ્ટ વાયરલ


  • Published By :
  • Published Date : 2023-05-29 22:50:36

રાજ્યમાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે, રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની એક સોશિયલ મીડિયા પોસ્ટએ રાજકીય વર્તુળોમાં જોરદાર જગાવી છે. રામ મોકરીયાની સોશિયલ મીડિયામાં કોમેન્ટ વાયરલના કારણે રાજ્યનું રાજકારણ ગરમાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રામ મોકરીયાએ તેમની  ફેસબુક કોમેન્ટમાં લખ્યું છે કે, એક અબજોપતિ સિનિયર નેતાએ મારા પૈસા આપ્યા નથી. રામ મોકરિયાનો આ ઈશારો કોની તરફ છે તે અંગે અને તર્ક-વિતર્કો થઈ રહ્યા છે.


રામ મોકરિયાએ કોના પર સાધ્યું નિશાન?


ભાજપના અગ્રણી નેતા અને રાજ્ય સાંસદ રામ મોકરીયાએ તેમની સોશિય મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, એક અબજોપતિ સિનિયર નેતાએ મારા પૈસા આપ્યા નથી. તેમણે તે નેતાની નિયત પર સવાલ કરતા કહ્યું કે તેની દાનત ખરાબ હોવાથી મારા પૈસા આપ્યા નથી. તેમણે કહ્યું કે, એ નેતા 1990થી સરકારમાં જુદા જુદા પદે રહી ચૂક્યા છે તેમજ 1980થી આ નેતા રાજકારણમાં સક્રિય છે તેમણે વધુમાં લખ્યું છે કે, નેતા ગુજરાત બહાર હતા ત્યારે રિટાયર્ડ થયા હતા. અત્રે ઉલ્લેખનિય કે, સાંસદ રામ મોકરીયાની પોસ્ટ સૌરાષ્ટ્રના કોઈ ભાજપી નેતા પર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.


રકમ કરોડોમાં છે-રામ મોકરિયા


રામ મોકરિયાના જણાવ્યા પ્રમાણે ઘણા વર્ષોથી તે નેતા મોટી રકમનું ચૂકવણુ કરતા નથી. જો કે તેમણે તે નેતાનું નામ જાહેર કર્યું નહોતું. રામ ભાઈને પૂછવામાં આવ્યું કે અંદાજે કેટલી રકમ હશે તો તેમણે કહ્યું કે આંકડો કરોડોમાં છે. અંગત સંબંધના કારણે આ નાણાકિય વ્યવહાર કર્યો હોવાનું પણ તેમણે સ્વીકાર્યું હતું. આ નેતા ભાજપ છે કે કોંગ્રેસના તેવું પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે ભાજપના જ નેતા છે કોંગ્રેસના નેતા સાથે મારે આર્થિક વ્યવહાર કરવાનો હોય જ નહીં? રામ મોકરિયાએ તે પણ જણાવ્યું કે મારી પાસે તે નાણાકિય વ્યવહારના પુરાવા પણ છે. હિસાબ 2008નો છે પણ રકમ 2011થી બાકી છે. જો કે તે નેતા વડીલ હોવાથી કાઈ કહીં શકાતું નથી.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.