ભાજપના નેતા રામ મોકરિયાનો આરોપ, મારી પાર્ટીના એક નેતાએ કરોડો રૂપિયા દબાવ્યા, સોશિયલ મિડીયા પોસ્ટ વાયરલ


  • Published By :
  • Published Date : 2023-05-29 22:50:36

રાજ્યમાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે, રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની એક સોશિયલ મીડિયા પોસ્ટએ રાજકીય વર્તુળોમાં જોરદાર જગાવી છે. રામ મોકરીયાની સોશિયલ મીડિયામાં કોમેન્ટ વાયરલના કારણે રાજ્યનું રાજકારણ ગરમાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રામ મોકરીયાએ તેમની  ફેસબુક કોમેન્ટમાં લખ્યું છે કે, એક અબજોપતિ સિનિયર નેતાએ મારા પૈસા આપ્યા નથી. રામ મોકરિયાનો આ ઈશારો કોની તરફ છે તે અંગે અને તર્ક-વિતર્કો થઈ રહ્યા છે.


રામ મોકરિયાએ કોના પર સાધ્યું નિશાન?


ભાજપના અગ્રણી નેતા અને રાજ્ય સાંસદ રામ મોકરીયાએ તેમની સોશિય મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, એક અબજોપતિ સિનિયર નેતાએ મારા પૈસા આપ્યા નથી. તેમણે તે નેતાની નિયત પર સવાલ કરતા કહ્યું કે તેની દાનત ખરાબ હોવાથી મારા પૈસા આપ્યા નથી. તેમણે કહ્યું કે, એ નેતા 1990થી સરકારમાં જુદા જુદા પદે રહી ચૂક્યા છે તેમજ 1980થી આ નેતા રાજકારણમાં સક્રિય છે તેમણે વધુમાં લખ્યું છે કે, નેતા ગુજરાત બહાર હતા ત્યારે રિટાયર્ડ થયા હતા. અત્રે ઉલ્લેખનિય કે, સાંસદ રામ મોકરીયાની પોસ્ટ સૌરાષ્ટ્રના કોઈ ભાજપી નેતા પર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.


રકમ કરોડોમાં છે-રામ મોકરિયા


રામ મોકરિયાના જણાવ્યા પ્રમાણે ઘણા વર્ષોથી તે નેતા મોટી રકમનું ચૂકવણુ કરતા નથી. જો કે તેમણે તે નેતાનું નામ જાહેર કર્યું નહોતું. રામ ભાઈને પૂછવામાં આવ્યું કે અંદાજે કેટલી રકમ હશે તો તેમણે કહ્યું કે આંકડો કરોડોમાં છે. અંગત સંબંધના કારણે આ નાણાકિય વ્યવહાર કર્યો હોવાનું પણ તેમણે સ્વીકાર્યું હતું. આ નેતા ભાજપ છે કે કોંગ્રેસના તેવું પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે ભાજપના જ નેતા છે કોંગ્રેસના નેતા સાથે મારે આર્થિક વ્યવહાર કરવાનો હોય જ નહીં? રામ મોકરિયાએ તે પણ જણાવ્યું કે મારી પાસે તે નાણાકિય વ્યવહારના પુરાવા પણ છે. હિસાબ 2008નો છે પણ રકમ 2011થી બાકી છે. જો કે તે નેતા વડીલ હોવાથી કાઈ કહીં શકાતું નથી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.