રામ મોકરિયાના ઉછીના રુપિયાનો મામલો ફરી ગાજ્યો, કોંગ્રેસના આ નેતાએ સવાલ ઉઠાવતા રાજકારણ ગરમાયું


  • Published By :
  • Published Date : 2023-06-27 16:58:50

ભાજપના રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાની એક સોશિયલ મીડિયા પોસ્ટ થોડા  દિવસો પહેલા ખુબ વાયરલ થઈ હતી. આ પોસ્ટમાં તેમણે ભાજપના એક સિનિયર નેતા પર તેમના દ્વારા આપવામાં આવેલા ઉછીના રૂપિયા પરત નહીં આપવાનો આરોપ લગાવ્યો હતો. રામ મોકરિયાની આ પોસ્ટ બાદ ખળભળાટ મચી ગયો હતો. રાજકીય વર્તુળોમાં આ સિનિયર કોણ છે તે અંગે અનેક તર્ક-વિતર્કો કરવામાં આવ્યા હતા. રામ મોકરિયાના જણાવ્યા પ્રમાણે આ રકમ કરોડોમાં હતી. જો કે હવે આ મામલે કોંગ્રેસે પણ ઝંપલાવ્યું છે. કોંગ્રેસના અગ્રણી નેતા મહેશ રાજપૂતે આ મુદ્દે સવાલ ઉઠાવતા રામ મોકરીયાની હાલત કફોડી બની છે. આ સમગ્ર મામલે તેમણે મૌન સેવ્યું છે.


મહેશ રાજપૂતના આરોપોએ મોકરિયાની ચિંતા વધારી


રાજ્ય સભા સાંસદ રામભાઈ મોકરિયાની ફેસબુક પોસ્ટ અંગે મહેશ રાજપૂતે તેમના પર આક્ષેપ લગાવતા જણાવ્યું છે કે, રામભાઈ મોકરિયાએ તેમના ચૂંટણી સોગંદનામામાં 2008 અને 2011નો હિસાબ દર્શાવ્યો નથી. રામ મોકરીયાએ કોઈને મોટી રકમ ઉછીની આપી હોય તો રાજ્યસભાના ઉમેદવાર તરીકેના તેમના સોગંદનામામાં તે રકમનો ઉલ્લેખ કેમ કર્યો નથી? મહેશ રાજપૂતે વધુમાં કહ્યું હતું કે જ્યારે પણ કોઈ ઉમેદવાર કોઈપણ ચૂંટણી લડતા હોય ત્યારે તેમણે મિલકતો, દેવું, રોકડ રકમ સહિતની વિગતો સોગંદનામામાં રજૂ કરવી પડે.  જો કે રામ મોકરિયાએ આ રકમ વિશે કેમ ઉલ્લેખ કર્યો નથી.આ મિલકત કાળું નાણું હોઇ શકે છે. મહેશ રાજપૂતે દાવો કર્યો છે કે આ મુદ્દે તેઓ ચૂંટણી પંચમાં પણ ફરિયાદ કરશે અને સભ્યપદ રદ્દ કરવામાં આવે તેવી માંગ કરશે,જોકે રામ મોકરીયાએ આ મુદ્દે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.


સમગ્ર મામલે રામ મોકરિયાનું ભેદી મૌન


કોંગ્રેસના આરોપો અંગે જ્યારે સાંસદ રામ મોકરિયાનો સંપર્ક કરાયો તો તેમણે કંઇ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો. રામ મોકરિયાએ દાવો કર્યો હતો કે "આ મારી વ્યક્તિગત બાબત છે અને તેનો જવાબ દેવો જરૂરી નથી હું મૌન રહેવા માંગુ છું.આ મુદ્દે મને પાર્ટી પુછશે તો હું જવાબ આપવા તૈયાર છું, જ્યાં સુધી સોગંદનામાની વાત છે તો આ મુદ્દે ફરિયાદ કરી શકે છે. મેં આ રૂપિયા અંગે ક્યારેય કોઇનું નામ લીધું નથી અને લેવા પણ માંગતો નથી."  



થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?