રામ મોકરિયાના ઉછીના રુપિયાનો મામલો ફરી ગાજ્યો, કોંગ્રેસના આ નેતાએ સવાલ ઉઠાવતા રાજકારણ ગરમાયું


  • Published By :
  • Published Date : 2023-06-27 16:58:50

ભાજપના રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાની એક સોશિયલ મીડિયા પોસ્ટ થોડા  દિવસો પહેલા ખુબ વાયરલ થઈ હતી. આ પોસ્ટમાં તેમણે ભાજપના એક સિનિયર નેતા પર તેમના દ્વારા આપવામાં આવેલા ઉછીના રૂપિયા પરત નહીં આપવાનો આરોપ લગાવ્યો હતો. રામ મોકરિયાની આ પોસ્ટ બાદ ખળભળાટ મચી ગયો હતો. રાજકીય વર્તુળોમાં આ સિનિયર કોણ છે તે અંગે અનેક તર્ક-વિતર્કો કરવામાં આવ્યા હતા. રામ મોકરિયાના જણાવ્યા પ્રમાણે આ રકમ કરોડોમાં હતી. જો કે હવે આ મામલે કોંગ્રેસે પણ ઝંપલાવ્યું છે. કોંગ્રેસના અગ્રણી નેતા મહેશ રાજપૂતે આ મુદ્દે સવાલ ઉઠાવતા રામ મોકરીયાની હાલત કફોડી બની છે. આ સમગ્ર મામલે તેમણે મૌન સેવ્યું છે.


મહેશ રાજપૂતના આરોપોએ મોકરિયાની ચિંતા વધારી


રાજ્ય સભા સાંસદ રામભાઈ મોકરિયાની ફેસબુક પોસ્ટ અંગે મહેશ રાજપૂતે તેમના પર આક્ષેપ લગાવતા જણાવ્યું છે કે, રામભાઈ મોકરિયાએ તેમના ચૂંટણી સોગંદનામામાં 2008 અને 2011નો હિસાબ દર્શાવ્યો નથી. રામ મોકરીયાએ કોઈને મોટી રકમ ઉછીની આપી હોય તો રાજ્યસભાના ઉમેદવાર તરીકેના તેમના સોગંદનામામાં તે રકમનો ઉલ્લેખ કેમ કર્યો નથી? મહેશ રાજપૂતે વધુમાં કહ્યું હતું કે જ્યારે પણ કોઈ ઉમેદવાર કોઈપણ ચૂંટણી લડતા હોય ત્યારે તેમણે મિલકતો, દેવું, રોકડ રકમ સહિતની વિગતો સોગંદનામામાં રજૂ કરવી પડે.  જો કે રામ મોકરિયાએ આ રકમ વિશે કેમ ઉલ્લેખ કર્યો નથી.આ મિલકત કાળું નાણું હોઇ શકે છે. મહેશ રાજપૂતે દાવો કર્યો છે કે આ મુદ્દે તેઓ ચૂંટણી પંચમાં પણ ફરિયાદ કરશે અને સભ્યપદ રદ્દ કરવામાં આવે તેવી માંગ કરશે,જોકે રામ મોકરીયાએ આ મુદ્દે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.


સમગ્ર મામલે રામ મોકરિયાનું ભેદી મૌન


કોંગ્રેસના આરોપો અંગે જ્યારે સાંસદ રામ મોકરિયાનો સંપર્ક કરાયો તો તેમણે કંઇ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો. રામ મોકરિયાએ દાવો કર્યો હતો કે "આ મારી વ્યક્તિગત બાબત છે અને તેનો જવાબ દેવો જરૂરી નથી હું મૌન રહેવા માંગુ છું.આ મુદ્દે મને પાર્ટી પુછશે તો હું જવાબ આપવા તૈયાર છું, જ્યાં સુધી સોગંદનામાની વાત છે તો આ મુદ્દે ફરિયાદ કરી શકે છે. મેં આ રૂપિયા અંગે ક્યારેય કોઇનું નામ લીધું નથી અને લેવા પણ માંગતો નથી."  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.