છેલ્લા 24 કલાકથી Google Trendsમાં ફક્ત રામ જ રામ, આ દેશોમાં રામ મંદિર ટોપ સર્ચ પર


  • Published By :
  • Published Date : 2024-01-22 19:14:44

500 વર્ષથી વધુની રાહ જોયા બાદ અંતે આજે અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થઈ છે. રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલા બિરાજમાન છે. જ્યાં તેમની આરતી ઉતારવામાં આવી હતી. અભિષેક બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠાના આ ખાસ પ્રસંગે  દેશ અને દુનિયામાં ઉજવણીનો માહોલ છે. દેશ અને દુનિયામાં દિવાળી જેવો માહોલ છે.


ટોપ-10 સર્ચમાં રામ મંદિર


આજે એટલે કે 22મી જાન્યુઆરીએ Google પર પ્રાણ પ્રતિષ્ઠા વિશે અગાઉ કરતાં વધુ સર્ચ થયું છે. આ કદાચ પ્રથમ વખત છે જ્યારે Google Trends trends.google.com/trends/trendingsearchesના તમામ ટોપ-10 સર્ચ રામ મંદિર સાથે સંબંધિત છે. આ અગાઉ છેલ્લા 24 કલાકમાં એક જ વિષય પર આવો ટ્રેન્ડ જોવા મળ્યો નથી.


આ દેશોમાં પણ રામ મંદિર ટોપ સર્ચ પર 


સમગ્ર ભારત જ રામને સમર્પિત છે  તેવું નથી, વિદેશોમાં પણ આ રામ મંદિરને લઈને ઘણી સર્ચ થઈ રહી છે. ભારત ઉપરાંત મોરેશિયસ, નેપાળ, યુએઈ, સિંગાપોર, કેનેડા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, મલેશિયા વગેરે દેશોમાં ટોપ ટેન સર્ચમાં રામ મંદિરનો સમાવેશ થાય છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.