અમદાવાદના વાડજ વિસ્તારમાં ડિમોલેશન, જીગ્નેશ મેવાણીનો સરકાર પર બિલ્ડરો સાથે સાંઠગાંઠનો આરોપ


  • Published By :
  • Published Date : 2023-01-10 19:21:52

અમદાવાદના વાડજ વિસ્તારમા આવેલા રામાપીર ટેકરા વિસ્તારમાં ગરીબોના મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપાલિટીની ટીમે ડિમોલિશનની કામગીરી શરૂ કરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે ડિમોલિશનની કામગીરી શરૂ કરી તેને રોકવા માટે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે તાત્કાલિક કાર્યવાહી સ્થગિત કરવાનું સફળતાપૂર્વક નિવેદન કર્યું હતું.


મેવાણીએ ટ્વિટ કરી સરકાર પર લગાવ્યા આરોપ


રામાપીરના ટેકરા વિસ્તારમાં મ્યુનિસિપાલિટીની ટીમે ડિમોલિશનની કામગીરી શરૂ કરી તેને લઈ જીજ્ઞેશ મેવાણીએ ટિ્વટ કરી રાજ્ય સરકાર પર બિલ્ડરોને મદદ કરાવાના હેતુથી વગર મંજુરીએ 250થી વધુ પરિવારોના ઘરોને તોડવાનો આરોપ લગાવ્યો હતો. બિલ્ડરો દ્વારા મોકલવામાં આવેલા ગુંડાઓએ તલવારની ધારે લોકોને ડરાવ્યા હોવાનો તથા બનાવટી દસ્તાવેજો દ્વારા ભ્રષ્ટાચાર આચરવાનો અને તેમાં બિલ્ડરો અને સરકારી અધિકારીઓની સાંઠગાઠનો પણ મેવાણીએ આરોપ લગાવ્યો હતો.  


અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓની હાજરીમાં વસ્તીના મકાનો પર બુલ્ડોઝર ચલાવાયું હતું. જે લોકોએ ઝુંપડાઓ બંધાવ્યા હતા તેના મકાનો હટાવવાના હતા. અહીં આવાસ બનાવવાની યોજનાઓ છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.