અમદાવાદના વાડજ વિસ્તારમાં ડિમોલેશન, જીગ્નેશ મેવાણીનો સરકાર પર બિલ્ડરો સાથે સાંઠગાંઠનો આરોપ


  • Published By :
  • Published Date : 2023-01-10 19:21:52

અમદાવાદના વાડજ વિસ્તારમા આવેલા રામાપીર ટેકરા વિસ્તારમાં ગરીબોના મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપાલિટીની ટીમે ડિમોલિશનની કામગીરી શરૂ કરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે ડિમોલિશનની કામગીરી શરૂ કરી તેને રોકવા માટે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે તાત્કાલિક કાર્યવાહી સ્થગિત કરવાનું સફળતાપૂર્વક નિવેદન કર્યું હતું.


મેવાણીએ ટ્વિટ કરી સરકાર પર લગાવ્યા આરોપ


રામાપીરના ટેકરા વિસ્તારમાં મ્યુનિસિપાલિટીની ટીમે ડિમોલિશનની કામગીરી શરૂ કરી તેને લઈ જીજ્ઞેશ મેવાણીએ ટિ્વટ કરી રાજ્ય સરકાર પર બિલ્ડરોને મદદ કરાવાના હેતુથી વગર મંજુરીએ 250થી વધુ પરિવારોના ઘરોને તોડવાનો આરોપ લગાવ્યો હતો. બિલ્ડરો દ્વારા મોકલવામાં આવેલા ગુંડાઓએ તલવારની ધારે લોકોને ડરાવ્યા હોવાનો તથા બનાવટી દસ્તાવેજો દ્વારા ભ્રષ્ટાચાર આચરવાનો અને તેમાં બિલ્ડરો અને સરકારી અધિકારીઓની સાંઠગાઠનો પણ મેવાણીએ આરોપ લગાવ્યો હતો.  


અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓની હાજરીમાં વસ્તીના મકાનો પર બુલ્ડોઝર ચલાવાયું હતું. જે લોકોએ ઝુંપડાઓ બંધાવ્યા હતા તેના મકાનો હટાવવાના હતા. અહીં આવાસ બનાવવાની યોજનાઓ છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.