હિંદુઓને લઈ રમેશ ફેફરે આપ્યું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું : ત્રેતાયુગમાં બ્રાહ્મણો અધર્મી થતા ભગવાન રામે... સાંભળો તેમનું નિવેદન


  • Published By :
  • Published Date : 2023-08-26 16:35:35

રાજકોટમાં રહેતા રમેશ ફેફર પોતાને કલ્કી અવતાર કહે છે. પોતાના નિવદેનને લઈ રમેશ ફેફર ચર્ચામાં રહે છે. ત્યારે તેમણે એક વિવાદીત નિવેદન આપ્યું છે. નિવેદન આપતા તેમણે કહ્યું કે ત્રેતાયુગમાં બ્રાહ્મણો અધર્મી થતા ભગવાન રામે ક્ષત્રિયના ઘરે જન્મ લીધો. દયાનંદ સરસ્વતી પણ રાક્ષસ હતા. કળિયુગમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, અને વેપારીઓ ભ્રષ્ટ થઈ ગયા છે. કળિયુગમાં શેરીની સફાઈ કરનાર જ શ્રેષ્ઠ છે. 

ચંદ્રયાન-3એ વડાપ્રધાન મોદીનો પબ્લિસિટી સ્ટંટ છે - રમેશ ફેફર

વધુમાં તેમણે કહ્યું કે આગામી 7 વર્ષમાં હું બ્રાહ્મણ, ક્ષત્રિય અને વ્યાપારીઓને હાર્ટ એટેકથી મારી નાખીશ. હિન્દુ ધર્મના બધા મંદિરો પેટ ભરવાના સાધન છે. શા માટે દાન પેટી પ્રથમ આવે છે અને ત્યાર બાદ મૂર્તિના દર્શન થાય છે? રાજકોટના રમેશ ફેફરે કહ્યું હતું કે, મારું એક વખત મૃત્યુ થઈ ચૂક્યું છે. હું 14 દિવસ મારા શરીરમાં નહોતો. તે ઉપરાંત તેમણે ચંદ્રયાન વિશે વાત કરતા કહ્યું કે ચંદ્રયાન-3એ વડાપ્રધાન મોદીનો પબ્લિસિટી સ્ટંટ છે. 

ભાજપ કૌરવ સેના છે - રમેશ ફેફર

વિષ્ણુ ભગવાનનો 9મો અવતાર ઈશુ ખ્રિસ્ત હતા પરંતુ 9મો અવતાર ભગવાન બુધ્ધ નહોતા. હું વિષ્ણુ ભગવાનનો દસમો અવતાર છું. સોનિયા ગાંધી ત્રીજટાનો અવતાર છે. સોનિયા ગાંધીએ સીતાજીની ખુબ સેવા કરી છે. શ્રીરામના આશીર્વાદથી જ સોનિયા ગાંધીને રાજપાટ મળ્યું હતું. જ્યારે ભાજપ કૌરવ સેના છે.



રમેશ ફેફરની કરી લેવાઈ અટકાયત   

મહત્વનું છે કે રમેશ ફેકર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને મળતી માહિતી અનુસાર તેમની અટકાયત કરી લેવામાં આવી છે. હિંદુઓ માટે આપેલા નિવદેનને કારણે અનેક હિંદુઓની લાગણી દુભાઈ હશે. જે રમેશ ફેકરે આવું નિવેદન આપ્યું છે તે પોતાને કલ્કિ અવતાર ગણાવે છે. મહત્વનું છે કે બ્રાહ્મણો માટે આપેલા નિવેદનને લઈ અલગ અલગ લોકોની પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસના હેમાંગ રાવલે એક જાહેરાત કરી છે કે જે પણ રમેશ ફેફરનું મોઢું કાળુ કરશે તેમને 11 હજારનું ઈનામ આપવામાં આવશે. 


શું કહે બંધારણ?   

Article 15 એટલે કે એવો મૌલિક અધિકાર જે હેઠળ કોઇ પણ ભારતીય નાગરિક પાસેથી એનો ધર્મ, નસ્લ, જાતિ, લિંગ અથવા જન્મ સ્થાનના આધાર પર ભેદ ભાવ કરવામાં આવશે નહીં. સરકાર અને સમાજની આ જવાબદારી છે કે તેઓ કોઇ આવો ભેદભાવ થવા દે નહીં. અમે આ માધ્યમથી કોઈ પણ સમાજ વિશે ઉચ્ચારેલા આવા વાક્યોની નિંદા કરીએ છીએ. 


ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.