હિંદુઓને લઈ રમેશ ફેફરે આપ્યું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું : ત્રેતાયુગમાં બ્રાહ્મણો અધર્મી થતા ભગવાન રામે... સાંભળો તેમનું નિવેદન


  • Published By :
  • Published Date : 2023-08-26 16:35:35

રાજકોટમાં રહેતા રમેશ ફેફર પોતાને કલ્કી અવતાર કહે છે. પોતાના નિવદેનને લઈ રમેશ ફેફર ચર્ચામાં રહે છે. ત્યારે તેમણે એક વિવાદીત નિવેદન આપ્યું છે. નિવેદન આપતા તેમણે કહ્યું કે ત્રેતાયુગમાં બ્રાહ્મણો અધર્મી થતા ભગવાન રામે ક્ષત્રિયના ઘરે જન્મ લીધો. દયાનંદ સરસ્વતી પણ રાક્ષસ હતા. કળિયુગમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, અને વેપારીઓ ભ્રષ્ટ થઈ ગયા છે. કળિયુગમાં શેરીની સફાઈ કરનાર જ શ્રેષ્ઠ છે. 

ચંદ્રયાન-3એ વડાપ્રધાન મોદીનો પબ્લિસિટી સ્ટંટ છે - રમેશ ફેફર

વધુમાં તેમણે કહ્યું કે આગામી 7 વર્ષમાં હું બ્રાહ્મણ, ક્ષત્રિય અને વ્યાપારીઓને હાર્ટ એટેકથી મારી નાખીશ. હિન્દુ ધર્મના બધા મંદિરો પેટ ભરવાના સાધન છે. શા માટે દાન પેટી પ્રથમ આવે છે અને ત્યાર બાદ મૂર્તિના દર્શન થાય છે? રાજકોટના રમેશ ફેફરે કહ્યું હતું કે, મારું એક વખત મૃત્યુ થઈ ચૂક્યું છે. હું 14 દિવસ મારા શરીરમાં નહોતો. તે ઉપરાંત તેમણે ચંદ્રયાન વિશે વાત કરતા કહ્યું કે ચંદ્રયાન-3એ વડાપ્રધાન મોદીનો પબ્લિસિટી સ્ટંટ છે. 

ભાજપ કૌરવ સેના છે - રમેશ ફેફર

વિષ્ણુ ભગવાનનો 9મો અવતાર ઈશુ ખ્રિસ્ત હતા પરંતુ 9મો અવતાર ભગવાન બુધ્ધ નહોતા. હું વિષ્ણુ ભગવાનનો દસમો અવતાર છું. સોનિયા ગાંધી ત્રીજટાનો અવતાર છે. સોનિયા ગાંધીએ સીતાજીની ખુબ સેવા કરી છે. શ્રીરામના આશીર્વાદથી જ સોનિયા ગાંધીને રાજપાટ મળ્યું હતું. જ્યારે ભાજપ કૌરવ સેના છે.



રમેશ ફેફરની કરી લેવાઈ અટકાયત   

મહત્વનું છે કે રમેશ ફેકર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને મળતી માહિતી અનુસાર તેમની અટકાયત કરી લેવામાં આવી છે. હિંદુઓ માટે આપેલા નિવદેનને કારણે અનેક હિંદુઓની લાગણી દુભાઈ હશે. જે રમેશ ફેકરે આવું નિવેદન આપ્યું છે તે પોતાને કલ્કિ અવતાર ગણાવે છે. મહત્વનું છે કે બ્રાહ્મણો માટે આપેલા નિવેદનને લઈ અલગ અલગ લોકોની પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસના હેમાંગ રાવલે એક જાહેરાત કરી છે કે જે પણ રમેશ ફેફરનું મોઢું કાળુ કરશે તેમને 11 હજારનું ઈનામ આપવામાં આવશે. 


શું કહે બંધારણ?   

Article 15 એટલે કે એવો મૌલિક અધિકાર જે હેઠળ કોઇ પણ ભારતીય નાગરિક પાસેથી એનો ધર્મ, નસ્લ, જાતિ, લિંગ અથવા જન્મ સ્થાનના આધાર પર ભેદ ભાવ કરવામાં આવશે નહીં. સરકાર અને સમાજની આ જવાબદારી છે કે તેઓ કોઇ આવો ભેદભાવ થવા દે નહીં. અમે આ માધ્યમથી કોઈ પણ સમાજ વિશે ઉચ્ચારેલા આવા વાક્યોની નિંદા કરીએ છીએ. 


ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી