અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી 'રામલલ્લા'ની મૂર્તિની કરાશે Ram Mandirમાં સ્થાપના, શિલ્પકારની માતાએ કહ્યું...


  • Published By :
  • Published Date : 2024-01-02 12:52:08

લાખો કરોડો રામ ભક્તો એ ક્ષણની રાહ જોઈ રહ્યા છે જ્યારે ભગવાન શ્રી રામની મૂર્તિની સ્થાપના ભવ્ય મંદિરમાં કરવામાં આવશે. 22 જાન્યુઆરીએ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે જેને લઈ અયોધ્યામાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.કરોડો હિંદુઓની આસ્થા આ મૂર્તિ સાથે જોડાયેલી છે. મંદિરમાં ભગવાન શ્રી રામની કઈ પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે તે અંગેની જાણકારી સામે આવી છે. મૂર્તિની પસંદગી કરવામાં આવી ગઈ છે જેના દર્શન રામ ભક્તો કરવાના છે. જે મૂર્તિ પર નજર ઠરી છે તે મૂર્તિ આપણા દેશના મૂર્તિકાર યોગીરાજ અરૂણ દ્વારા બનાવવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી દ્વારા આ અંગેની માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આપવામાં આવી છે.

Image

22 જાન્યુઆરીએ થવાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા

રામ મંદિરમાં કઈ મૂર્તિની સ્થાપના કરવામાં આવશે તે અંગેની ચર્ચા છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી છે. ત્રણ મૂર્તિઓમાંથી એક મૂર્તિની પસંદગી કરવાની હતી અને તેની પસંદગી થઈ ગઈ છે. રામ મંદિરમાં કર્ણાટકના શિલ્પકાર અરૂણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવશે. અયોધ્યામાં 22 જાન્યુઆરીએ ભવ્ય કાર્યક્રમનું આયોજન થવાનું છે. આ ઉત્સવને લઈને રામનગરીને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. મૂર્તિની પંસદગી કરવામાં આવી છે જે દેશના પ્રખ્યાત શિલ્પકાર યોગારાજ અરૂણ દ્વારા બનાવવામાં આવી છે. આ વાતની જાણકારી પ્રહલાદ જોષીએ આપી છે.


પ્રહલાદ જોશીએ આપી આ અંગેની જાણકારી 

તેમણે લખ્યું છે કે જ્યાં રામ છે, ત્યાં હનુમાન છે. 'જ્યાં રામ છે ત્યાં હનુમાન છે. અયોધ્યામાં ભગવાન રામના અભિષેક માટે મૂર્તિની પસંદગીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આપણા દેશના પ્રસિદ્ધ શિલ્પકાર, આપણા ગૌરવ યોગીરાજ અરુણજી દ્વારા બનાવવામાં આવેલી ભગવાન રામની મૂર્તિ અયોધ્યામાં સ્થાપિત કરવામાં આવશે. આ વાતની જાણ જ્યારે શિલ્પકારના માતાને થઈ ત્યારે તે ગદગદ થઈ ગયા હતા કારણ કે તેમના પુત્ર દ્વારા બનેલી મૂર્તિના દર્શન રામ ભગવાનના કરોડો ભક્ત કરશે. 

પુત્રની સફળતા જોઈને ખુશ છું - શિલ્પકાર અરુણની માતા  

દુનિયામાં માત્ર માતા પિતા જ એવા વ્યક્તિ હોય છે જે દિલથી ઈચ્છતા હોય છે કે તેમનું સંતાન તેમના કરતા પણ વધારે સફળ થાય. બાળકની નાની નાની સફળતામાં પણ વાલીઓ ખુશ થઈ જતા હોય છે. શિલ્પકાર અરૂણની માતાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓ આનાથી ખૂબ ખુશ છે. તેમની માતાએ કહ્યું કે તેમના પુત્રએ તેમને રામ લલ્લાની મૂર્તિ પણ બતાવી ન હતી. તેમણે કહ્યું કે આ અમારા માટે ગૌરવની ક્ષણ છે, હું તેને મૂર્તિ બનાવતા જોવા માંગતી હતી પરંતુ તેણે કહ્યું કે તે મને છેલ્લા દિવસે લઈ જશે. હું પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે અયોધ્યા જઈશ. હું મારા પુત્રની પ્રગતિ અને સફળતા જોઈને ખુશ છું. તેની સફળતા જોવા તેના પિતા હાજર નથી.     



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.