રામપુર કોર્ટે ઉત્તર પ્રદેશના કદ્દાવર નેતા આઝમ ખાનને 3 વર્ષ માટે જેલ ભેગા કર્યા


  • Published By :
  • Published Date : 2022-10-27 17:17:07

ઉત્તર પ્રદેશની રામપુર કોર્ટે સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનને હેટ સ્પીચ મામલામાં દોષી જાહેર કરી 3 વર્ષની સજા ફટકારી દીધી છે. સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનને કોર્ટની કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા હતા અને આજે કોર્ટે આઝમ ખાનને સજા ફટકારી હતી. વર્ષ 2019માં ચૂંટણી દરમિયાન આઝમ ખાને મિલક તાલુકામાં ભડકાઉ ભાષણ આપ્યું હતું જેમાં કોર્ટે તેમને દોષી જાહેર કરી 25 હજાર રૂપિયાનો દંડ અને 3 વર્ષની સજા ફટકારી દીધી છે. 


આઝમ ખાને નફરત ફેલાતું ઝેર ઓક્યું હતું

7 એપ્રિલ 2019માં રામપુરના સમાજવાદી પાર્ટીના નેતા અને બહુજન સમાજ પાર્ટીના સંયુક્ત ઉમેદવાર મોહમ્મદ આઝમ ખાને પોતીની ચૂંટણી સભામાં ભાષણ દરમિયાન રામપુરના અધિકારીઓ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર શાબ્દીક પ્રહારો કર્યા હતા. સમગ્ર મામલે ચૂંટણી પંચે નોંધ લીધી હતી અને કાર્યવાહીના આદેશ આપ્યા હતા. ચૂંટણી પંચના વીડિયો ટીમના ઈન્ચાર્જે ફરિયાદ દાખલ કરી હતી જે મામલે આજે સુનાવણી કરવામાં આવી હતી અને આઝમ ખાનને 25 હજારનો દંડ અને 3 વર્ષની જેલની સજા ફટકારી છે. આઝમ ખાન સામે ચૂંટણી દરમિયાન ભડકાઉં ભાષણ અને નફરત ફેલાવવા જેવા ગુના નોંધવામાં આવ્યા છે. 




આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.