રામપુર કોર્ટે ઉત્તર પ્રદેશના કદ્દાવર નેતા આઝમ ખાનને 3 વર્ષ માટે જેલ ભેગા કર્યા


  • Published By :
  • Published Date : 2022-10-27 17:17:07

ઉત્તર પ્રદેશની રામપુર કોર્ટે સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનને હેટ સ્પીચ મામલામાં દોષી જાહેર કરી 3 વર્ષની સજા ફટકારી દીધી છે. સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનને કોર્ટની કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા હતા અને આજે કોર્ટે આઝમ ખાનને સજા ફટકારી હતી. વર્ષ 2019માં ચૂંટણી દરમિયાન આઝમ ખાને મિલક તાલુકામાં ભડકાઉ ભાષણ આપ્યું હતું જેમાં કોર્ટે તેમને દોષી જાહેર કરી 25 હજાર રૂપિયાનો દંડ અને 3 વર્ષની સજા ફટકારી દીધી છે. 


આઝમ ખાને નફરત ફેલાતું ઝેર ઓક્યું હતું

7 એપ્રિલ 2019માં રામપુરના સમાજવાદી પાર્ટીના નેતા અને બહુજન સમાજ પાર્ટીના સંયુક્ત ઉમેદવાર મોહમ્મદ આઝમ ખાને પોતીની ચૂંટણી સભામાં ભાષણ દરમિયાન રામપુરના અધિકારીઓ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર શાબ્દીક પ્રહારો કર્યા હતા. સમગ્ર મામલે ચૂંટણી પંચે નોંધ લીધી હતી અને કાર્યવાહીના આદેશ આપ્યા હતા. ચૂંટણી પંચના વીડિયો ટીમના ઈન્ચાર્જે ફરિયાદ દાખલ કરી હતી જે મામલે આજે સુનાવણી કરવામાં આવી હતી અને આઝમ ખાનને 25 હજારનો દંડ અને 3 વર્ષની જેલની સજા ફટકારી છે. આઝમ ખાન સામે ચૂંટણી દરમિયાન ભડકાઉં ભાષણ અને નફરત ફેલાવવા જેવા ગુના નોંધવામાં આવ્યા છે. 




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.