શું India નામને હટાવી રહી છે સરકાર?, G-20ના નિમંત્રણ પત્રમાં 'Bharat' લખાતા થયો હોબાળો


  • Published By :
  • Published Date : 2023-09-05 18:12:15

શું દેશનું નામ ઈન્ડિયાથી બદલીને હવે ભારત કરી દેવામાં આવ્યું છે? પરંપરાગત રીતે રાષ્ટ્રપતિ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા  'President of India'ની જગ્યાએ હવે 'President of Bharat'નો ઉપયોગ સત્તાવાર રીતે કરવામાં આવ્યો છે. ભારતની અધ્યક્ષતામાં યોજાવા જઈ રહેલા જી-20 સમેલનમાં ઉપસ્થિત રહેનારા રાષ્ટ્રાધ્યક્ષોને મોકલવામાં આવેલી આમંત્રણ પત્રિકા પર હવે  'President of Bharat' લખવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ જી-20ના વિદેશી નેતા અને મુખ્યમંત્રીઓને 9 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત ડિનર માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ આંતરરાષ્ટ્રિય સ્ટેજ પર નામકરણમાં મોટા ફેરફારનું પ્રતિક છે.


જયરામ રમેશે વાંધો ઉઠાવ્યો


કોંગ્રેસના નેતા જયરામ રમેશે આ મુદ્દે આશંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે તો શું આ સમાચાર સત્ય છે રાષ્ટ્રપતિ ભવને 9 સપ્ટેમ્બરના રોજ જી20 ડિનર માટે સામાન્ય રીતે 'President of India' ની જગ્યાએ  'President of Bharat'ના નામ પર આમંત્રણ મોકલ્યું છે. હવે બંધારણમાં અનુચ્છેદ 1 માં વાંચવામાં આવશે, જે India હતું. રાજ્યોનો એક સંઘ હશે. પરંતું હવે આ રાજ્યોના સંઘ પર પણ હુમલો થઈ રહ્યો છે. 


ભારતને બદલે ભારત બોલોઃ RSS


ત્રણ દિવસ પહેલા RSSના સરસંઘ ચાલક મોહન ભાગવતે એક કાર્યક્રમ દરમિયાન લોકોને Indiaને બદલે ભારત નામનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, 'સદીઓથી આ દેશનું નામ ભારત છે, India નહીં. તેથી આપણે તેના જૂના નામનો જ ઉપયોગ કરવો જોઈએ. તેમણે કહ્યું હતું કે ભાષા ગમે તે હોય, નામ એક જ રહે છે. ભાગવતે કહ્યું, 'આપણો દેશ ભારત છે અને આપણે તમામ વ્યવહારિક ક્ષેત્રોમાં India શબ્દનો ઉપયોગ બંધ કરવો પડશે અને ભારત શબ્દનો ઉપયોગ શરૂ કરવો પડશે, તો જ પરિવર્તન આવશે. આપણે આપણા દેશને ભારત કહેવો પડશે અને બીજાને પણ સમજાવવા પડશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.