શું India નામને હટાવી રહી છે સરકાર?, G-20ના નિમંત્રણ પત્રમાં 'Bharat' લખાતા થયો હોબાળો


  • Published By :
  • Published Date : 2023-09-05 18:12:15

શું દેશનું નામ ઈન્ડિયાથી બદલીને હવે ભારત કરી દેવામાં આવ્યું છે? પરંપરાગત રીતે રાષ્ટ્રપતિ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા  'President of India'ની જગ્યાએ હવે 'President of Bharat'નો ઉપયોગ સત્તાવાર રીતે કરવામાં આવ્યો છે. ભારતની અધ્યક્ષતામાં યોજાવા જઈ રહેલા જી-20 સમેલનમાં ઉપસ્થિત રહેનારા રાષ્ટ્રાધ્યક્ષોને મોકલવામાં આવેલી આમંત્રણ પત્રિકા પર હવે  'President of Bharat' લખવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ જી-20ના વિદેશી નેતા અને મુખ્યમંત્રીઓને 9 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત ડિનર માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ આંતરરાષ્ટ્રિય સ્ટેજ પર નામકરણમાં મોટા ફેરફારનું પ્રતિક છે.


જયરામ રમેશે વાંધો ઉઠાવ્યો


કોંગ્રેસના નેતા જયરામ રમેશે આ મુદ્દે આશંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે તો શું આ સમાચાર સત્ય છે રાષ્ટ્રપતિ ભવને 9 સપ્ટેમ્બરના રોજ જી20 ડિનર માટે સામાન્ય રીતે 'President of India' ની જગ્યાએ  'President of Bharat'ના નામ પર આમંત્રણ મોકલ્યું છે. હવે બંધારણમાં અનુચ્છેદ 1 માં વાંચવામાં આવશે, જે India હતું. રાજ્યોનો એક સંઘ હશે. પરંતું હવે આ રાજ્યોના સંઘ પર પણ હુમલો થઈ રહ્યો છે. 


ભારતને બદલે ભારત બોલોઃ RSS


ત્રણ દિવસ પહેલા RSSના સરસંઘ ચાલક મોહન ભાગવતે એક કાર્યક્રમ દરમિયાન લોકોને Indiaને બદલે ભારત નામનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, 'સદીઓથી આ દેશનું નામ ભારત છે, India નહીં. તેથી આપણે તેના જૂના નામનો જ ઉપયોગ કરવો જોઈએ. તેમણે કહ્યું હતું કે ભાષા ગમે તે હોય, નામ એક જ રહે છે. ભાગવતે કહ્યું, 'આપણો દેશ ભારત છે અને આપણે તમામ વ્યવહારિક ક્ષેત્રોમાં India શબ્દનો ઉપયોગ બંધ કરવો પડશે અને ભારત શબ્દનો ઉપયોગ શરૂ કરવો પડશે, તો જ પરિવર્તન આવશે. આપણે આપણા દેશને ભારત કહેવો પડશે અને બીજાને પણ સમજાવવા પડશે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.