કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ધોળા દિવસે ગોળી મારી હત્યા, રાજપૂત સમાજમાં રોષ


  • Published By :
  • Published Date : 2023-12-05 16:31:18

રાજસ્થાનની રાજધાની જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટના બાદ હડકંપ મચી ગયો છે, હત્યાના સમાચાર વાયુવેગે શહેરમાં પ્રસરી ગયા હતા, પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે હુમલાખોરો સુખદેવ સિંહ ગોગામેડી પર ચાર ગોળી મારી ફરાર થઈ ગયા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે ગોળીબાર બાદ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. 


સ્કૂટર પર આવ્યા હતા હુમલાખોરો


સુખદેવ સિંહ ગોગામેડીને તાત્કાલિક મેટ્રો માસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટના વખતે હાજર રહેલા અજીત સિંહ પણ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. પોલીસનું કહેવું છે કે સુખદેવ સિંહ ગોગામેડી મંગળવારે બપોરે લગભગ 1.45 વાગ્યે શ્યામ નગર જનપથ સ્થિત ઘરમાં હતા, હુમલાખોરો સ્કૂટર પર આવ્યા હતા. 

 

રાજપૂત સમાજમાં રોષ


સુખદેવ સિંહ ગોગામેડીની ધોળાદિવસે ગોળી મારીને હત્યા થતા સમગ્ર રાજ્યમાં સનસનાટી મચી ગઈ છે. ગોગામેડીની હત્યાના સમાચાર મળતા મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલમાં ઉમટી પડ્યા છે. સમગ્ર રાજ્યમાં રાજપૂત સમાજમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. તેમની હત્યાનો છેલ્લો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.