કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ધોળા દિવસે ગોળી મારી હત્યા, રાજપૂત સમાજમાં રોષ


  • Published By :
  • Published Date : 2023-12-05 16:31:18

રાજસ્થાનની રાજધાની જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટના બાદ હડકંપ મચી ગયો છે, હત્યાના સમાચાર વાયુવેગે શહેરમાં પ્રસરી ગયા હતા, પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે હુમલાખોરો સુખદેવ સિંહ ગોગામેડી પર ચાર ગોળી મારી ફરાર થઈ ગયા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે ગોળીબાર બાદ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. 


સ્કૂટર પર આવ્યા હતા હુમલાખોરો


સુખદેવ સિંહ ગોગામેડીને તાત્કાલિક મેટ્રો માસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટના વખતે હાજર રહેલા અજીત સિંહ પણ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. પોલીસનું કહેવું છે કે સુખદેવ સિંહ ગોગામેડી મંગળવારે બપોરે લગભગ 1.45 વાગ્યે શ્યામ નગર જનપથ સ્થિત ઘરમાં હતા, હુમલાખોરો સ્કૂટર પર આવ્યા હતા. 

 

રાજપૂત સમાજમાં રોષ


સુખદેવ સિંહ ગોગામેડીની ધોળાદિવસે ગોળી મારીને હત્યા થતા સમગ્ર રાજ્યમાં સનસનાટી મચી ગઈ છે. ગોગામેડીની હત્યાના સમાચાર મળતા મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલમાં ઉમટી પડ્યા છે. સમગ્ર રાજ્યમાં રાજપૂત સમાજમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. તેમની હત્યાનો છેલ્લો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.