કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ધોળા દિવસે ગોળી મારી હત્યા, રાજપૂત સમાજમાં રોષ


  • Published By :
  • Published Date : 2023-12-05 16:31:18

રાજસ્થાનની રાજધાની જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટના બાદ હડકંપ મચી ગયો છે, હત્યાના સમાચાર વાયુવેગે શહેરમાં પ્રસરી ગયા હતા, પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે હુમલાખોરો સુખદેવ સિંહ ગોગામેડી પર ચાર ગોળી મારી ફરાર થઈ ગયા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે ગોળીબાર બાદ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. 


સ્કૂટર પર આવ્યા હતા હુમલાખોરો


સુખદેવ સિંહ ગોગામેડીને તાત્કાલિક મેટ્રો માસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટના વખતે હાજર રહેલા અજીત સિંહ પણ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. પોલીસનું કહેવું છે કે સુખદેવ સિંહ ગોગામેડી મંગળવારે બપોરે લગભગ 1.45 વાગ્યે શ્યામ નગર જનપથ સ્થિત ઘરમાં હતા, હુમલાખોરો સ્કૂટર પર આવ્યા હતા. 

 

રાજપૂત સમાજમાં રોષ


સુખદેવ સિંહ ગોગામેડીની ધોળાદિવસે ગોળી મારીને હત્યા થતા સમગ્ર રાજ્યમાં સનસનાટી મચી ગઈ છે. ગોગામેડીની હત્યાના સમાચાર મળતા મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલમાં ઉમટી પડ્યા છે. સમગ્ર રાજ્યમાં રાજપૂત સમાજમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. તેમની હત્યાનો છેલ્લો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 



ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..