પડતર માંગણીઓને લઈ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ લડી લેવાના મૂડમાં, 9મી ડિસેમ્બરથી આંદોલન શરૂ


  • Published By :
  • Published Date : 2023-11-27 17:24:48

ગુજરાત સરકાર સામે સરકારી કર્મચારીઓના વિવિધ સંગઠનોએ આંદોલનનું હથિયાર ઉગામ્યું છે. જ્ઞાન સહાયકો, ટીઆરબી જવાનો, આંગણવાડી કાર્યકરો બાદ હવે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે પણ સરકાર સામે બાયો ચઢાવી છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તેની પડતર માંગણીઓને લઈ આગામી દિવસોમાં સરકાર વિરૂધ્ધ ધરણા-પ્રદર્શનો કરશે. ઉલ્લેખનિય છે કે ગુજરાત સરકારે રાષ્ટ્રિય શૈક્ષિક મહાસંઘની મોટાભાગની પડતર માગણીઓ સ્વિકારી લીધી છે. જો કે સરકારે આ મુદ્દે કોઈ ઠરાવ ન કરતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે અંતે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.

પદયાત્રા યોજીને રાજ્યમાં મહાપંચાયત કરશે


રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આગામી 9મી ડિસેમ્બરે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે રાજ્ય સરકાર સામે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે. સંઘે સરકાર સમક્ષ પોતાની પડતર માંગણીઓ મનાવવા માટે વિરોધ પ્રદર્શનોનું આયોજન કર્યું છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ 9મી ડિસેમ્બરે સરકારની સામે રાજ્યભરમાં પદયાત્રા યોજીને મહાપંચાયત કરશે, જેમાં પડતર માંગણીઓને લઇને વિરોધ નોંધાવશે. ખાસ વાત છે કે, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની પડતર માંગણીઓ સરકારે સ્વીકારી લીધી છે પરંતુ ઠરાવ હજુ સુધી પસાર કરવામાં આવ્યો નથી.


આંદોલનમાં તમામ શિક્ષકો જોડાશે


રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જ્ઞાન સહાયક શિક્ષક યોજના, જૂની પેન્શન યોજનાનો લાભ, ગ્રાન્ટ વધારો, કર્મચારીઓને બદલીના લાભ સહિતની બીજી કેટલાય પડતર માંગણીઓ માટે આગામી 9મી ડિસેમ્બરે ખુલ્લો વિરોધ નોંધાવશે. 9મી ડિસેમ્બરે રાજ્યભરમાં પદયાત્રા કરશે અને બાદમાં મહાપંચાયત કાર્યક્ર્મનું આયોજન કરશે. આ આંદોલનમાં રાજ્યભરમાંથી મોટા પ્રમાણમાં શિક્ષકો જોડાશે, આ આંદોલનમાં પ્રાથમિકથી લઈને ઉચ્ચતર માધ્યમિક સુધીના શિક્ષકો, આચાર્યો, વહીવટી કર્મચારી અને સંચાલકો જોડાશે. અલગ-અલગ જિલ્લાઓમાં પદયાત્રા અને મહાપંચાયત કરી આ વિરોધ નોંધાવશે. 


અનેક રજૂઆતો છતાં નિવેડો નહીં


રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રાંત ઉપાધ્યક્ષ ભરતસિંહ ચાવડા એ જણાવ્યુ કે સરકારમાં વારંવાર રજૂઆતો તથા મુલાકાતો કરવામાં આવી છતાં પણ સમાધાન થયું નથી. અને પડતર પ્રશ્નોનું સરકાર દ્વારા કોઈ યોગ્ય નિરાકરણ લાવવામાં આવ્યું નથી. સરકાર સાથે‌ અગાઉ સમાધાન દરમિયાન જે જાહેરાત કરવામાં આવી હતી તથા જે તે આંદોલન વખતે જે માંગણીઓ હતી તેના પણ પરિપત્ર અલગ કરવામાં આવ્યા હતા. તેથી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ દ્વારા શિક્ષણ વિભાગને 21 તારીખનું અલ્ટીમેટમ આપી અને જણાવ્યું છે કે ત્યાં સુધીમાં તમામ પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ સરકાર સામે રણ મેદાનમાં ઉતરશે તથા ગુજરાતના માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક આચાર્ય સંવર્ગના તમામ મિત્રો પોતાના પડતર પ્રશ્નો માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ સાથે આંદોલનમાં સહભાગી બનશે. 


રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના આ છે પડતર પ્રશ્નો 


1. જ્ઞાનસહાયક યોજના રદ્દ કરીને 10,000થી વધુ ખાલી જગ્યામાં કાયમી ભરતી કરવી 2. 2005 પછી નિમણુક પામેલા તમામ શિક્ષકોને જૂની પેનશન યોજનામાં સમાવવા 3. આચાર્યને 1965ના ઠરાવ મુજબ ઇજાફો આપવો 4. NPSમાં 300 રજાનું રોકડમાં રૂપાંતર 5. ધોરણ 9 થી 12માં સરાસરી કાયમી ધોરણે ઘટાડવી 6. એન.પી.એસ.માં 10 ટકા કપાતની સામે સરકારનો 14 ટકા ફાળો કરવો 7. વર્ગદીઠ 2 શિક્ષકનો રેશિયો આપી સુધારો કરવો 8. પીટી શિક્ષક, લાઇબ્રેરીયન વગેરેની તત્કાલ ભરતી કરવી 9. સાતમા પગાર પંચનો પાંચમો હપ્તો રોકડમાં ચૂકવવો 10. ફાજલના કાયમી રક્ષણમાં 120 દિવસની મર્યાદા દૂર કરવી 11. ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષકોની ભરતી બદલી સહિત લાભા આપવા 12. વિદ્યાર્થી દીઠ રૂ.2 હજારની ગ્રાન્ટ ફાળવવી 13. ઉદ્યોગ શિક્ષકોનો એન્ટ્રી લેવલ પે સ્કેલ, લઘુ લાયકાતના કારણે અટવાયેલ ઉચ્ચતર પગાર ધોરણ સત્વરે આપવું વગેરે વગેરે....



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.