પડતર માંગણીઓને લઈ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ લડી લેવાના મૂડમાં, 9મી ડિસેમ્બરથી આંદોલન શરૂ


  • Published By :
  • Published Date : 2023-11-27 17:24:48

ગુજરાત સરકાર સામે સરકારી કર્મચારીઓના વિવિધ સંગઠનોએ આંદોલનનું હથિયાર ઉગામ્યું છે. જ્ઞાન સહાયકો, ટીઆરબી જવાનો, આંગણવાડી કાર્યકરો બાદ હવે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે પણ સરકાર સામે બાયો ચઢાવી છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તેની પડતર માંગણીઓને લઈ આગામી દિવસોમાં સરકાર વિરૂધ્ધ ધરણા-પ્રદર્શનો કરશે. ઉલ્લેખનિય છે કે ગુજરાત સરકારે રાષ્ટ્રિય શૈક્ષિક મહાસંઘની મોટાભાગની પડતર માગણીઓ સ્વિકારી લીધી છે. જો કે સરકારે આ મુદ્દે કોઈ ઠરાવ ન કરતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે અંતે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.

પદયાત્રા યોજીને રાજ્યમાં મહાપંચાયત કરશે


રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આગામી 9મી ડિસેમ્બરે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે રાજ્ય સરકાર સામે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે. સંઘે સરકાર સમક્ષ પોતાની પડતર માંગણીઓ મનાવવા માટે વિરોધ પ્રદર્શનોનું આયોજન કર્યું છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ 9મી ડિસેમ્બરે સરકારની સામે રાજ્યભરમાં પદયાત્રા યોજીને મહાપંચાયત કરશે, જેમાં પડતર માંગણીઓને લઇને વિરોધ નોંધાવશે. ખાસ વાત છે કે, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની પડતર માંગણીઓ સરકારે સ્વીકારી લીધી છે પરંતુ ઠરાવ હજુ સુધી પસાર કરવામાં આવ્યો નથી.


આંદોલનમાં તમામ શિક્ષકો જોડાશે


રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જ્ઞાન સહાયક શિક્ષક યોજના, જૂની પેન્શન યોજનાનો લાભ, ગ્રાન્ટ વધારો, કર્મચારીઓને બદલીના લાભ સહિતની બીજી કેટલાય પડતર માંગણીઓ માટે આગામી 9મી ડિસેમ્બરે ખુલ્લો વિરોધ નોંધાવશે. 9મી ડિસેમ્બરે રાજ્યભરમાં પદયાત્રા કરશે અને બાદમાં મહાપંચાયત કાર્યક્ર્મનું આયોજન કરશે. આ આંદોલનમાં રાજ્યભરમાંથી મોટા પ્રમાણમાં શિક્ષકો જોડાશે, આ આંદોલનમાં પ્રાથમિકથી લઈને ઉચ્ચતર માધ્યમિક સુધીના શિક્ષકો, આચાર્યો, વહીવટી કર્મચારી અને સંચાલકો જોડાશે. અલગ-અલગ જિલ્લાઓમાં પદયાત્રા અને મહાપંચાયત કરી આ વિરોધ નોંધાવશે. 


અનેક રજૂઆતો છતાં નિવેડો નહીં


રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રાંત ઉપાધ્યક્ષ ભરતસિંહ ચાવડા એ જણાવ્યુ કે સરકારમાં વારંવાર રજૂઆતો તથા મુલાકાતો કરવામાં આવી છતાં પણ સમાધાન થયું નથી. અને પડતર પ્રશ્નોનું સરકાર દ્વારા કોઈ યોગ્ય નિરાકરણ લાવવામાં આવ્યું નથી. સરકાર સાથે‌ અગાઉ સમાધાન દરમિયાન જે જાહેરાત કરવામાં આવી હતી તથા જે તે આંદોલન વખતે જે માંગણીઓ હતી તેના પણ પરિપત્ર અલગ કરવામાં આવ્યા હતા. તેથી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ દ્વારા શિક્ષણ વિભાગને 21 તારીખનું અલ્ટીમેટમ આપી અને જણાવ્યું છે કે ત્યાં સુધીમાં તમામ પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ સરકાર સામે રણ મેદાનમાં ઉતરશે તથા ગુજરાતના માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક આચાર્ય સંવર્ગના તમામ મિત્રો પોતાના પડતર પ્રશ્નો માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ સાથે આંદોલનમાં સહભાગી બનશે. 


રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના આ છે પડતર પ્રશ્નો 


1. જ્ઞાનસહાયક યોજના રદ્દ કરીને 10,000થી વધુ ખાલી જગ્યામાં કાયમી ભરતી કરવી 2. 2005 પછી નિમણુક પામેલા તમામ શિક્ષકોને જૂની પેનશન યોજનામાં સમાવવા 3. આચાર્યને 1965ના ઠરાવ મુજબ ઇજાફો આપવો 4. NPSમાં 300 રજાનું રોકડમાં રૂપાંતર 5. ધોરણ 9 થી 12માં સરાસરી કાયમી ધોરણે ઘટાડવી 6. એન.પી.એસ.માં 10 ટકા કપાતની સામે સરકારનો 14 ટકા ફાળો કરવો 7. વર્ગદીઠ 2 શિક્ષકનો રેશિયો આપી સુધારો કરવો 8. પીટી શિક્ષક, લાઇબ્રેરીયન વગેરેની તત્કાલ ભરતી કરવી 9. સાતમા પગાર પંચનો પાંચમો હપ્તો રોકડમાં ચૂકવવો 10. ફાજલના કાયમી રક્ષણમાં 120 દિવસની મર્યાદા દૂર કરવી 11. ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષકોની ભરતી બદલી સહિત લાભા આપવા 12. વિદ્યાર્થી દીઠ રૂ.2 હજારની ગ્રાન્ટ ફાળવવી 13. ઉદ્યોગ શિક્ષકોનો એન્ટ્રી લેવલ પે સ્કેલ, લઘુ લાયકાતના કારણે અટવાયેલ ઉચ્ચતર પગાર ધોરણ સત્વરે આપવું વગેરે વગેરે....



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.