અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા: અમિત શાહ દ્વારા મંગળા આરતી અને CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે પહિંદ વિધિ


  • Published By :
  • Published Date : 2023-06-16 15:36:16

અમદાવાદમાં ભગવાન જગન્નાથની પરંપરાગત 146મી રથયાત્રા અષાઢી બીજના રોજ યોજાશે. અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્ચા માટે નિકળશે. આ 146મી રથયાત્રાને લઈ હાલ જમાલપુર જગન્નાથ મંદિરમાં ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ વખતની રથયાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા મંગળા આરતી તથા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પહિંદ વિધિ કરવામાં આવશે. રથયાત્રાને પગલે મંદિરમાં અત્યારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. પેરા મિલિટરી ફોર્સની એક ટુકડીને મંદિરમાં જ તૈનાત કરવામાં આવી છે. વરસાદની આગાહીના પગલે જમાલપુર જગન્નાથ મંદિરના પ્રાંગણમાં વિશાળ ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે.


ભગવાન હાલ મોસાળમાં છે 


ભગવાન જગન્નાથ હાલ તેમના મોસાળ સરસપુરમાં જ છે. 18 જૂનના રોજ રવિવારે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે નિજ મંદિરે પરત ફરશે. 18 જૂનના રોજ ભગવાન જગન્નાથ મામાના ઘરેથી પરત ફરશે ત્યારે ગર્ભગૃહમાં તેમની પ્રતિષ્ઠા કરવામાં આવશે. ત્યારબાદ સવારે 7:30 વાગ્યે ભગવાનની નેત્રોત્સવ પૂજન વિધિ કરવામાં આવશે. ભગવાનની નેત્રોત્સવ પૂજન વિધિ અને ધ્વજારોહણમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ભાજપના નેતાઓ અને ધારાસભ્યો હાજર રહેશે. બાદમાં નેત્ર વિધિ, ધ્વજારોહણ અને મહાઆરતી યોજાશે. બપોરે સાધુ-સંતો માટે ભંડારો અને વસ્ત્રદાન થશે. સોમવારે ભગવાનનો સોનાવેશ શણગાર, પૂજન વિધિ અને મંદિર પ્રાંગણમાં રથપૂજા થશે. સાંજે વિશિષ્ટ સંધ્યા આરતી યોજાશે અને અષાઢ સુદ બીજના દિવસે મંગળવારે સવારે ચાર વાગ્યે મંગળા આરતી, મહાભોગ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પહિંદ વિધિ કરાવી બાદ રથયાત્રાનો પ્રારંભ થશે.


વાજતે-ગાજતે યોજાશે રથયાત્રા


આ વખતે 20 જૂને યોજાનારી રથયાત્રામાં પણ ભગવાન જગન્નાથ વાજતે-ગાજતે નગરચર્યા માટે નિકળશે. રથયાત્રામાં 18 ગજરાજ, 101 ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળી, 3 બેન્ડવાજા જોડાશે. સાધુ-સંતો અને ભક્તો સાથે 1000થી 1200 જેટલા ખલાસીઓ જોડાશે. રથયાત્રા દરમિયાન 3,000 કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમનો પ્રસાદ વિતરણ કરવામાં આવશે. રથયાત્રામાં દર્શન માટે આવનાર લોકોને 2 લાખ ઉપરણા પ્રસાદમાં અપાશે.


 આ છે રથયાત્રાનો સમગ્ર કાર્યક્રમ  


સવારે 7 વાગ્યે રથયાત્રાનો પ્રારંભ થશે, 9 વાગ્યે મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ પહોંચશે, 9.45 વાગ્યે રાયપુર ચકલા 10.30 વાગ્યે ખાડિયા ચાર રસ્તા 11.15 વાગ્યે કાલુપુર સર્કલ, 12 વાગ્યે સરસપુર, બપોરે મોસાળમાં વિરામ,1.30 વાગ્યે સરસપુરથી પરત, 2 વાગ્યે કાલુપુર સર્કલ, 2.30 વાગ્યે પ્રેમ દરવાજા, 3.15 વાગ્યે દિલ્હી ચકલા, 3.45 વાગ્યે શાહપુર દરવાજા, 4.30 વાગ્યે આર.સી. હાઇસ્કૂલ, 5 વાગ્યે ઘી કાંટા, 5.45 વાગ્યે પાનકોર નાકા,6.30 વાગ્યે માણેકચોક, 8.30 વાગ્યે નિજ મંદિર પરત ફરશે.


CM ભૂપેન્દ્ર પટેલ રથયાત્રાને કરાવશે પ્રસ્થાન


અષાઢી સુદ બીજના દિવસે મંગળવારે સવારે 3.45 વાગ્યે ભગવાનના આંખેથી પાટા ખોલવાની વિધિ કરવામાં આવશે અને ચાર વાગ્યે ભગવાનની મંગળા આરતી યોજાશે. 4:30 વાગ્યે ખીચડીનો ભોગ ધરાવવામાં આવશે. ભગવાનની મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ હાજર રહેશે અને અતિથિ વિશેષ તરીકે એડીસી બેંકના ચેરમેન અજય પટેલ હાજર રહેશે. ત્યારબાદ સવારે 6:00 વાગ્યે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને રથમાં બેસાડવામાં આવશે. 7.05 વાગ્યે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરી ભગવાનની રથ ખેંચી રથયાત્રાનો પ્રારંભ કરાવશે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.