વધુ ત્રણ મહિના મફતમાં રાશન મળશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 19:04:18

કેન્દ્રીય નાણા મંત્રાલયે નિર્ણય લીધો છે કે વધુ ત્રણ મહિના દેશના લોકોને ફ્રીમાં રાશન આપવામાં આવશે. કેન્દ્ર સરકાર ત્રણ મહિના મફતમાં રાશન આપશે તો કેન્દ્ર સરકાર પર 45 હજાર કરોડ રૂપિયાનો બોજો પડશે. વરિષ્ઠ પત્રકારો ચર્ચા કરી રહ્યા છે કે રાજકીય દ્રષ્ટિકોણના કારણે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે તેવું લાગી રહ્યું છે. 


કેમ કેન્દ્ર સરકારે નિર્ણય લીધો?

કેન્દ્ર સરકાર પાસે રાશન આપવા માટેનો જથ્થો વધારે હોવાના કારણે નિર્ણય લેવાયો હોવાની વાત સામે આવી રહી છે. વરિષ્ઠ પત્રકારોનું કહેવું છે કે ટૂંક સમયમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી યોજાનાર છે. જેને ધ્યાનમાં લઈને પણ નિર્ણય લીધો હોય શકે. 


રાશનકાર્ડમાં શું-શું મળશે?

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત વધુ 3 મહિના માટે 5-5 કિલો વધુ ઘઉં અને ચોખા મળશે. સસ્તા અનાજની દુકાન પરથી મફતમાં અનાજ મળી શકશે. કોરોનાની કપરી પરિસ્થિતિમાં લોકોને તકલીફ ના પડે તેના માટે કેન્દ્ર સરકારે મફતમાં 80 કરોડ લોકોને રાશન વિતરણ કર્યું હતું. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.