વધુ ત્રણ મહિના મફતમાં રાશન મળશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 19:04:18

કેન્દ્રીય નાણા મંત્રાલયે નિર્ણય લીધો છે કે વધુ ત્રણ મહિના દેશના લોકોને ફ્રીમાં રાશન આપવામાં આવશે. કેન્દ્ર સરકાર ત્રણ મહિના મફતમાં રાશન આપશે તો કેન્દ્ર સરકાર પર 45 હજાર કરોડ રૂપિયાનો બોજો પડશે. વરિષ્ઠ પત્રકારો ચર્ચા કરી રહ્યા છે કે રાજકીય દ્રષ્ટિકોણના કારણે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે તેવું લાગી રહ્યું છે. 


કેમ કેન્દ્ર સરકારે નિર્ણય લીધો?

કેન્દ્ર સરકાર પાસે રાશન આપવા માટેનો જથ્થો વધારે હોવાના કારણે નિર્ણય લેવાયો હોવાની વાત સામે આવી રહી છે. વરિષ્ઠ પત્રકારોનું કહેવું છે કે ટૂંક સમયમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી યોજાનાર છે. જેને ધ્યાનમાં લઈને પણ નિર્ણય લીધો હોય શકે. 


રાશનકાર્ડમાં શું-શું મળશે?

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત વધુ 3 મહિના માટે 5-5 કિલો વધુ ઘઉં અને ચોખા મળશે. સસ્તા અનાજની દુકાન પરથી મફતમાં અનાજ મળી શકશે. કોરોનાની કપરી પરિસ્થિતિમાં લોકોને તકલીફ ના પડે તેના માટે કેન્દ્ર સરકારે મફતમાં 80 કરોડ લોકોને રાશન વિતરણ કર્યું હતું. 



ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.