વધુ ત્રણ મહિના મફતમાં રાશન મળશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 19:04:18

કેન્દ્રીય નાણા મંત્રાલયે નિર્ણય લીધો છે કે વધુ ત્રણ મહિના દેશના લોકોને ફ્રીમાં રાશન આપવામાં આવશે. કેન્દ્ર સરકાર ત્રણ મહિના મફતમાં રાશન આપશે તો કેન્દ્ર સરકાર પર 45 હજાર કરોડ રૂપિયાનો બોજો પડશે. વરિષ્ઠ પત્રકારો ચર્ચા કરી રહ્યા છે કે રાજકીય દ્રષ્ટિકોણના કારણે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે તેવું લાગી રહ્યું છે. 


કેમ કેન્દ્ર સરકારે નિર્ણય લીધો?

કેન્દ્ર સરકાર પાસે રાશન આપવા માટેનો જથ્થો વધારે હોવાના કારણે નિર્ણય લેવાયો હોવાની વાત સામે આવી રહી છે. વરિષ્ઠ પત્રકારોનું કહેવું છે કે ટૂંક સમયમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી યોજાનાર છે. જેને ધ્યાનમાં લઈને પણ નિર્ણય લીધો હોય શકે. 


રાશનકાર્ડમાં શું-શું મળશે?

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત વધુ 3 મહિના માટે 5-5 કિલો વધુ ઘઉં અને ચોખા મળશે. સસ્તા અનાજની દુકાન પરથી મફતમાં અનાજ મળી શકશે. કોરોનાની કપરી પરિસ્થિતિમાં લોકોને તકલીફ ના પડે તેના માટે કેન્દ્ર સરકારે મફતમાં 80 કરોડ લોકોને રાશન વિતરણ કર્યું હતું. 



લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવી ગયું છે. આજે ફોર્મની ચકાસણી કરાઈ. આ બધા વચ્ચે ગેનીબેન ઠાકોર પર પાલનપુરના પૂર્વ ધારાસભ્યએ ગંભીર આરોપો લગાવ્યા છે. ગેનીબેન ઠાકોર દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે.

ગુજરાત માટે ભાજપ પાંચ લાખની લીડ સાથે દરેક બેઠક પર જીત હાંસલ કરશે તેવો લક્ષ્ય રાખ્યો છે. આ લક્ષ્યને પાર કરવા માટે ભાજપનું સંગઠન કામ કરશે. પેજ પ્રમુખ તેમજ સમિતીને આને લઈ જવાબદારી સોંપવામાં આવી છે.

અનેક ઉદાહરણો આપણે જોયા હશે જેમાં માણસો આપણી સામે કંઈ અલગ હોય છે અને બીજાની સામે કંઈ અલગ હોય છે.. પારકી પંચાતમાં અનેક લોકો પોતાની જીંદગીને વેડફી નાખે છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે બેફામસાહેબની રચના

એક વીડિયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાના કાર્યક્રમમાં એક યુવાન સ્ટેજ પર ચઢી જાય છે અને સાંસદને સવાલો કરે છે.. કામ અંગે તેમને સવાલ કરે છે. મનસુખ વસાવાએ પ્રશ્નોના જવાબ તો ના આપ્યા પરંતુ તેમણે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા.