Ratnakar ભાન પણ ભુલ્યા અને મર્યાદા પણ ચુક્યા, સોશિયલ મીડિયા પર કુતરાની પોસ્ટ મૂકી અને.. જાણો શું છે સમગ્ર મામલો ?


  • Published By :
  • Published Date : 2024-06-08 10:24:00

કહેવાય છે કે અહંકાર જ્યારે માણસના દિમાગમાં છવાઈ જાય છે ત્યારે સૌથી પહેલા તેનો વિવેક મરી જાય છે.. માણસનો અહંકાર મગજ પર ચઢી જાય છે અને તેને ખબર નથી હોતી કે તે શું બોલી રહ્યો છે.. વિવેક મરેલા એક રાજનેતાની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. નાશ જ્યારે મનુખ્ય પર મંડરાતો હોય છે ત્યારે સૌથી પહેલા માણસમાં રહેલો વિવેક મરી પરવારતો હોય છે. માણસ પોતાની વિવેક બુદ્ધિ અને ભાન ભૂલી જતો હોય છે. જે નેતાની પોસ્ટ તમને બતાવી છે તે છે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી. મહામંત્રીનું પદ મહત્વનું હોય છે. 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે.. 

આ પદ પર રહેલા નેતાની ભાષામાં મર્યાદા હોવી જોઈએ, ભાષામાં સંયમ હોવા જોઈએ.. આ પદ પર બેઠલા વ્યક્તિ માટે આ અપેક્ષિત હોય છે. પરંતુ ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં એ પદ પર અત્યારે રત્નાકર બેઠા છે અને તેમના ટ્વિટર પરથી એક ટ્વિટ પોસ્ટ કરવામાં આવી એમના X એકાઉન્ટ પર. તેમણે એક પોસ્ટ કરી જેમાં  એક નવો બનેલો રસ્તો બતાવવામાં આવ્યો હતો અને રોડ પર એક કૂતરો છે એ નવનિર્મિત રસ્તા પર ચાલે છે. રસ્તા પર તે પગ પાડતા પાડતા જાય છે.



જો તમને વોટ નથી મળતા તો તેનો મતબલ એ નથી કે.. 

એ ફોટાની નીચે કેપ્શન લખવામાં આવ્યું છે કે ઈસ ચિત્ર સે હમે યે શિક્ષા મિલતી હેં કી કુત્તો કો વિકાસ સે કોઈ મતલબ નહીં હોતા. તેની પર તેમણે કેપ્શન લખ્યું કે કિતનાભી અચ્છા કામ કિયા ગયા હો, લેકિન કુછ લોગોં કો ઉસસે કુછ નહીં લેના હોતા હેં. Xની પ્રોફાઈલમાં રત્નાકરે મોદી કા પરિવાર લખ્યું છે.. જે વ્યક્તિએ આ શેર કર્યું છે તે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના સંગઠન મહામંત્રી છે. જો તેમને કોઈ વોટ નથી આપતું અને વોટ તેમને ના આપે જનતા, તો તેમને કુતરા સાથે સરખાવી દેવાના? જેમની સરખામણી કૂતરા સાથે કરવામાં આવી છે તેમણે જ ભારતીય જનતા પાર્ટીને 26માંથી 25 સીટો આપી છે.  


ગુજરાતમાં અનેક સમસ્યાઓ છે તેમ છતાંય મતદાતા..

આ દેશ જનાદેશ પર ટકેલો છે.. તમે એ ગુજરાત રાજ્યના સંગઠન મહામંત્રી છો જેમાં તમને ખબર છેકે અનેક સમસ્યાઓ સામે છે.. ગુજરાત રાજ્ય સંપૂર્ણ નથી કે અહીંયા રામ રાજ્ય પણ નથી. આખી દુનિયામાં હોય છે એમ અહીંયા એ અઢળક સમસ્યાઓ છે.. ગુજરાતની જનતા પોતાની મુશ્કેલીને બાજુમાં રાખીને માત્રને માત્ર હિન્દુત્વને ધ્યાનમાં રાખી, નરેન્દ્ર મોદીને મત આપે છે. પરંતુ જ્યારે આવા મોટા પદ પર રહેલા લોકો આ પ્રકારની પોસ્ટ મૂકે છે ત્યારે તે ચર્ચાનો વિષય તો બનતો હોય છે.. ત્યારે આ પોસ્ટને લઈ તમારૂં શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો.      




ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.