Ratnakar ભાન પણ ભુલ્યા અને મર્યાદા પણ ચુક્યા, સોશિયલ મીડિયા પર કુતરાની પોસ્ટ મૂકી અને.. જાણો શું છે સમગ્ર મામલો ?


  • Published By :
  • Published Date : 2024-06-08 10:24:00

કહેવાય છે કે અહંકાર જ્યારે માણસના દિમાગમાં છવાઈ જાય છે ત્યારે સૌથી પહેલા તેનો વિવેક મરી જાય છે.. માણસનો અહંકાર મગજ પર ચઢી જાય છે અને તેને ખબર નથી હોતી કે તે શું બોલી રહ્યો છે.. વિવેક મરેલા એક રાજનેતાની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. નાશ જ્યારે મનુખ્ય પર મંડરાતો હોય છે ત્યારે સૌથી પહેલા માણસમાં રહેલો વિવેક મરી પરવારતો હોય છે. માણસ પોતાની વિવેક બુદ્ધિ અને ભાન ભૂલી જતો હોય છે. જે નેતાની પોસ્ટ તમને બતાવી છે તે છે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી. મહામંત્રીનું પદ મહત્વનું હોય છે. 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે.. 

આ પદ પર રહેલા નેતાની ભાષામાં મર્યાદા હોવી જોઈએ, ભાષામાં સંયમ હોવા જોઈએ.. આ પદ પર બેઠલા વ્યક્તિ માટે આ અપેક્ષિત હોય છે. પરંતુ ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં એ પદ પર અત્યારે રત્નાકર બેઠા છે અને તેમના ટ્વિટર પરથી એક ટ્વિટ પોસ્ટ કરવામાં આવી એમના X એકાઉન્ટ પર. તેમણે એક પોસ્ટ કરી જેમાં  એક નવો બનેલો રસ્તો બતાવવામાં આવ્યો હતો અને રોડ પર એક કૂતરો છે એ નવનિર્મિત રસ્તા પર ચાલે છે. રસ્તા પર તે પગ પાડતા પાડતા જાય છે.



જો તમને વોટ નથી મળતા તો તેનો મતબલ એ નથી કે.. 

એ ફોટાની નીચે કેપ્શન લખવામાં આવ્યું છે કે ઈસ ચિત્ર સે હમે યે શિક્ષા મિલતી હેં કી કુત્તો કો વિકાસ સે કોઈ મતલબ નહીં હોતા. તેની પર તેમણે કેપ્શન લખ્યું કે કિતનાભી અચ્છા કામ કિયા ગયા હો, લેકિન કુછ લોગોં કો ઉસસે કુછ નહીં લેના હોતા હેં. Xની પ્રોફાઈલમાં રત્નાકરે મોદી કા પરિવાર લખ્યું છે.. જે વ્યક્તિએ આ શેર કર્યું છે તે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના સંગઠન મહામંત્રી છે. જો તેમને કોઈ વોટ નથી આપતું અને વોટ તેમને ના આપે જનતા, તો તેમને કુતરા સાથે સરખાવી દેવાના? જેમની સરખામણી કૂતરા સાથે કરવામાં આવી છે તેમણે જ ભારતીય જનતા પાર્ટીને 26માંથી 25 સીટો આપી છે.  


ગુજરાતમાં અનેક સમસ્યાઓ છે તેમ છતાંય મતદાતા..

આ દેશ જનાદેશ પર ટકેલો છે.. તમે એ ગુજરાત રાજ્યના સંગઠન મહામંત્રી છો જેમાં તમને ખબર છેકે અનેક સમસ્યાઓ સામે છે.. ગુજરાત રાજ્ય સંપૂર્ણ નથી કે અહીંયા રામ રાજ્ય પણ નથી. આખી દુનિયામાં હોય છે એમ અહીંયા એ અઢળક સમસ્યાઓ છે.. ગુજરાતની જનતા પોતાની મુશ્કેલીને બાજુમાં રાખીને માત્રને માત્ર હિન્દુત્વને ધ્યાનમાં રાખી, નરેન્દ્ર મોદીને મત આપે છે. પરંતુ જ્યારે આવા મોટા પદ પર રહેલા લોકો આ પ્રકારની પોસ્ટ મૂકે છે ત્યારે તે ચર્ચાનો વિષય તો બનતો હોય છે.. ત્યારે આ પોસ્ટને લઈ તમારૂં શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો.      




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે