Ashwin 500: રવિચંદ્રન અશ્વિને તોડ્યો અનિલ કુંબલેનો રેકોર્ડ, સૌથી ઝડપી ખેરવી 500 વિકેટ


  • Published By :
  • Published Date : 2024-02-16 17:20:54

ક્રિકેટની દુનિયામાં અન્ના નામથી પ્રખ્યાત રવિચંદ્રન અશ્વિને તે કરી બતાવ્યું જે આજ સુધીમાં માત્ર મહાન અનિલ કુંબલે જ કરી શક્યા હતા. ઈંગ્લેન્ડ સામે રાજકોટમાં યોજાયેલી ટેસ્ટ મેચની પહેલી ઈનિગ્સમાં અશ્વિને જેક ક્રાઉલીના રૂપમાં વિકેટ લેતાની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં 500મો શિકાર કર્યો હતો. વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં તે 500 વિકેટ પૂરી કરતા રહી ગયા હતા. તેઓ આવું કરનારા બીજા ભારતીય બોલર બન્યા છે. 


અશ્વિનનો 500 વિકેટનો રેકોર્ડ કેમ છે અનોખો?


રવિચંદ્રન અશ્વિનનો 500 વિકેટનો રેકોર્ડ ઘણી બધી રીતે મહત્વનો છે. જેમ કે અનિલ કુંબલેએ પણ ઈંગ્લેન્ડ સામે 9 માર્ચ 2006માં મોહાલી ટેસ્ટમાં 500 શિકારનો આંકડાને સ્પર્શ્યો હતો. આ તેમની 105મી ટેસ્ટ હતી. જ્યારે અશ્વિનને આ સિધ્ધિ મેળવવા માટે માત્ર 98 ટેસ્ટ રમી છે. શ્રીલંકાના મહાન બોલર મુથૈયા મુરલીધરન જ તેમનાથી આગળ છે. મુરલીએ 87 ટેસ્ટમાં આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાના શેન વોર્નને 108 મેચ, ગ્લેન મેકગ્રાને 110મી ટેસ્ટ મેચમાં 500 વિકેટની સફળતા મળી હતી.


કેવું રહ્યું છે ક્રિકેટ કરિયર?


રવિચંદ્રન અશ્વિનના કરિયરની વાત કરીએ તો તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે 6 નવેમ્બર 2011માં અરુણ જેટલી સ્ટેડિયમથી ડેબ્યુ કર્યું હતું. અશ્વિને કુલ 98 મેચમાં 2.79ની ઈકોનોમી સાથે 500 વિકેટ લીધી છે. જેમાં અશ્વિને 34 વખત 5 અને 8 વખત 10 વિકેટ પણ લીધી છે.

  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.