Ashwin 500: રવિચંદ્રન અશ્વિને તોડ્યો અનિલ કુંબલેનો રેકોર્ડ, સૌથી ઝડપી ખેરવી 500 વિકેટ


  • Published By :
  • Published Date : 2024-02-16 17:20:54

ક્રિકેટની દુનિયામાં અન્ના નામથી પ્રખ્યાત રવિચંદ્રન અશ્વિને તે કરી બતાવ્યું જે આજ સુધીમાં માત્ર મહાન અનિલ કુંબલે જ કરી શક્યા હતા. ઈંગ્લેન્ડ સામે રાજકોટમાં યોજાયેલી ટેસ્ટ મેચની પહેલી ઈનિગ્સમાં અશ્વિને જેક ક્રાઉલીના રૂપમાં વિકેટ લેતાની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં 500મો શિકાર કર્યો હતો. વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં તે 500 વિકેટ પૂરી કરતા રહી ગયા હતા. તેઓ આવું કરનારા બીજા ભારતીય બોલર બન્યા છે. 


અશ્વિનનો 500 વિકેટનો રેકોર્ડ કેમ છે અનોખો?


રવિચંદ્રન અશ્વિનનો 500 વિકેટનો રેકોર્ડ ઘણી બધી રીતે મહત્વનો છે. જેમ કે અનિલ કુંબલેએ પણ ઈંગ્લેન્ડ સામે 9 માર્ચ 2006માં મોહાલી ટેસ્ટમાં 500 શિકારનો આંકડાને સ્પર્શ્યો હતો. આ તેમની 105મી ટેસ્ટ હતી. જ્યારે અશ્વિનને આ સિધ્ધિ મેળવવા માટે માત્ર 98 ટેસ્ટ રમી છે. શ્રીલંકાના મહાન બોલર મુથૈયા મુરલીધરન જ તેમનાથી આગળ છે. મુરલીએ 87 ટેસ્ટમાં આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાના શેન વોર્નને 108 મેચ, ગ્લેન મેકગ્રાને 110મી ટેસ્ટ મેચમાં 500 વિકેટની સફળતા મળી હતી.


કેવું રહ્યું છે ક્રિકેટ કરિયર?


રવિચંદ્રન અશ્વિનના કરિયરની વાત કરીએ તો તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે 6 નવેમ્બર 2011માં અરુણ જેટલી સ્ટેડિયમથી ડેબ્યુ કર્યું હતું. અશ્વિને કુલ 98 મેચમાં 2.79ની ઈકોનોમી સાથે 500 વિકેટ લીધી છે. જેમાં અશ્વિને 34 વખત 5 અને 8 વખત 10 વિકેટ પણ લીધી છે.

  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.