Ashwin 500: રવિચંદ્રન અશ્વિને તોડ્યો અનિલ કુંબલેનો રેકોર્ડ, સૌથી ઝડપી ખેરવી 500 વિકેટ


  • Published By :
  • Published Date : 2024-02-16 17:20:54

ક્રિકેટની દુનિયામાં અન્ના નામથી પ્રખ્યાત રવિચંદ્રન અશ્વિને તે કરી બતાવ્યું જે આજ સુધીમાં માત્ર મહાન અનિલ કુંબલે જ કરી શક્યા હતા. ઈંગ્લેન્ડ સામે રાજકોટમાં યોજાયેલી ટેસ્ટ મેચની પહેલી ઈનિગ્સમાં અશ્વિને જેક ક્રાઉલીના રૂપમાં વિકેટ લેતાની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં 500મો શિકાર કર્યો હતો. વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં તે 500 વિકેટ પૂરી કરતા રહી ગયા હતા. તેઓ આવું કરનારા બીજા ભારતીય બોલર બન્યા છે. 


અશ્વિનનો 500 વિકેટનો રેકોર્ડ કેમ છે અનોખો?


રવિચંદ્રન અશ્વિનનો 500 વિકેટનો રેકોર્ડ ઘણી બધી રીતે મહત્વનો છે. જેમ કે અનિલ કુંબલેએ પણ ઈંગ્લેન્ડ સામે 9 માર્ચ 2006માં મોહાલી ટેસ્ટમાં 500 શિકારનો આંકડાને સ્પર્શ્યો હતો. આ તેમની 105મી ટેસ્ટ હતી. જ્યારે અશ્વિનને આ સિધ્ધિ મેળવવા માટે માત્ર 98 ટેસ્ટ રમી છે. શ્રીલંકાના મહાન બોલર મુથૈયા મુરલીધરન જ તેમનાથી આગળ છે. મુરલીએ 87 ટેસ્ટમાં આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાના શેન વોર્નને 108 મેચ, ગ્લેન મેકગ્રાને 110મી ટેસ્ટ મેચમાં 500 વિકેટની સફળતા મળી હતી.


કેવું રહ્યું છે ક્રિકેટ કરિયર?


રવિચંદ્રન અશ્વિનના કરિયરની વાત કરીએ તો તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે 6 નવેમ્બર 2011માં અરુણ જેટલી સ્ટેડિયમથી ડેબ્યુ કર્યું હતું. અશ્વિને કુલ 98 મેચમાં 2.79ની ઈકોનોમી સાથે 500 વિકેટ લીધી છે. જેમાં અશ્વિને 34 વખત 5 અને 8 વખત 10 વિકેટ પણ લીધી છે.

  



ઇન્દોરના રાજા રઘુવંશી કેસમાં આરોપીઓનું કબુલનામું સામે આવ્યું છે . ચારેય આરોપીઓએ સોનમ રઘુવંશીને જ માસ્ટમાઈન્ડ ગણાવી છે કેમ કે , સોનમ રાજા રઘુવંશી સાથે લગન કરવા નહોતી માંગતી . આ ખુબ ચોંકાવનારો ખુલાસો છે કેમ કે , સોનમ દ્વારા એવું કેહવામાં આવ્યું હતું કે , તેને ડ્રગ આપીને ગાઝીપુર લાવવામાં આવી હતી . સાથે જ આપણે જાણીશું કે રાજા રઘુવંશીના કેસમાં પોલીસ પાસે ક્યા મહત્વના પુરાવા છે?

કોઈ પણ કંપનીમાં જેમ એક ફાઉન્ડરની સાથે એક કો-ફાઉન્ડર હોય છે તેમ અમેરિકા માટે એવું કહેવાતું હતું કે , પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે એક કો પ્રેસિડન્ટ છે જે છે ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક . પરંતુ જ્યારથી તેમણે ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાંથી રાજીનામુ આપી દીધું ત્યારથી જ બેઉ વચ્ચેના સંબંધોમાં જોરદાર તણાવ જોવા મળી રહ્યો છે. એક બાજુ પ્લેટફોર્મ એક્સ પર ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક વચ્ચેની અસેહમતીઓ બહાર આવી ગઈ. હવે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કના તણાવની અસર અમેરિકાની સિલિકોન વેલી પર પડવા જઈ રહી છે.

ઈંદોરના રાજા રઘુવંશીના હત્યાના કેસમાં હવે નવા ખુલાસા સામે આવ્યા છે . ઈંદોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશી જયારે મેઘાલયની રાજધાની શિલોન્ગ ખાતે તેમની પત્ની સોનમ સાથે હનીમૂન મનાવવા ગયા ત્યારે પત્ની સોનમે જ તેમની હત્યા કરાવડાવી હતી . આ બાબતે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા અને મેઘાલયના ડીજીપીની પ્રતિક્રિયા સામે આવી છે.

જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠકમાં અત્યારસુધીમાં માત્ર ને માત્ર નેતાઓ નિવેદનબાજીઓ કરતા હતા પરંતુ હવે થયું છે એવું કે , જયારે વિસાવદરના જીવાપરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જયારે સભા કરી રહ્યા હતા ત્યારે રાત્રી દરમ્યાન ભાજપના સમર્થકો દ્વારા તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો .