Ashwin 500: રવિચંદ્રન અશ્વિને તોડ્યો અનિલ કુંબલેનો રેકોર્ડ, સૌથી ઝડપી ખેરવી 500 વિકેટ


  • Published By :
  • Published Date : 2024-02-16 17:20:54

ક્રિકેટની દુનિયામાં અન્ના નામથી પ્રખ્યાત રવિચંદ્રન અશ્વિને તે કરી બતાવ્યું જે આજ સુધીમાં માત્ર મહાન અનિલ કુંબલે જ કરી શક્યા હતા. ઈંગ્લેન્ડ સામે રાજકોટમાં યોજાયેલી ટેસ્ટ મેચની પહેલી ઈનિગ્સમાં અશ્વિને જેક ક્રાઉલીના રૂપમાં વિકેટ લેતાની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં 500મો શિકાર કર્યો હતો. વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં તે 500 વિકેટ પૂરી કરતા રહી ગયા હતા. તેઓ આવું કરનારા બીજા ભારતીય બોલર બન્યા છે. 


અશ્વિનનો 500 વિકેટનો રેકોર્ડ કેમ છે અનોખો?


રવિચંદ્રન અશ્વિનનો 500 વિકેટનો રેકોર્ડ ઘણી બધી રીતે મહત્વનો છે. જેમ કે અનિલ કુંબલેએ પણ ઈંગ્લેન્ડ સામે 9 માર્ચ 2006માં મોહાલી ટેસ્ટમાં 500 શિકારનો આંકડાને સ્પર્શ્યો હતો. આ તેમની 105મી ટેસ્ટ હતી. જ્યારે અશ્વિનને આ સિધ્ધિ મેળવવા માટે માત્ર 98 ટેસ્ટ રમી છે. શ્રીલંકાના મહાન બોલર મુથૈયા મુરલીધરન જ તેમનાથી આગળ છે. મુરલીએ 87 ટેસ્ટમાં આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાના શેન વોર્નને 108 મેચ, ગ્લેન મેકગ્રાને 110મી ટેસ્ટ મેચમાં 500 વિકેટની સફળતા મળી હતી.


કેવું રહ્યું છે ક્રિકેટ કરિયર?


રવિચંદ્રન અશ્વિનના કરિયરની વાત કરીએ તો તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે 6 નવેમ્બર 2011માં અરુણ જેટલી સ્ટેડિયમથી ડેબ્યુ કર્યું હતું. અશ્વિને કુલ 98 મેચમાં 2.79ની ઈકોનોમી સાથે 500 વિકેટ લીધી છે. જેમાં અશ્વિને 34 વખત 5 અને 8 વખત 10 વિકેટ પણ લીધી છે.

  



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.