રવિન્દ્ર જાડેજાના પિતાએ પુત્રવધૂ રીવાબાને મત ન આપવાની અપીલ કરતા રાજકારણ ગરમાયું


  • Published By :
  • Published Date : 2022-11-29 16:36:29

ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે દરરોજ અવનવા વિવાદો સામે આવી રહ્યા છે. જેમ  કે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ તેમના જ પુત્રવધૂ રીવાબા જાડેજાને મત ન આપવા લોકોને અપીલ કરતા રાજકારણ ગરમાયું છે. રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા ભાજપની ટિકિટ પર જામનગર ઉત્તર બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે.


અનિરુદ્ધસિંહ જાડેજાએ શું કહ્યું?


ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ કોંગ્રેસના ઉમેદવાર બીપેન્દ્રસિંહ જાડેજાને મત આપવા અપીલ કરી રહ્યા છે. તેમના પુત્રવધૂ રિવાબા જાડેજા ભાજપના ઉમેદવાર છે અને તે પણ જામનગર ઉત્તર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. હવે રસપ્રદ બાબત એ છે કે રવિન્દ્ર જાડેજાની બહેન નયનાબા જાડેજા અને પિતા અનિરુદ્ધસિંહ જાડેજા કોંગ્રેસ માટે પ્રચાર કરે છે તો રવિન્દ્ર જાડેજા તેમના પત્ની અને ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજા માટે પ્રચાર કરી રહ્યાં છે. 


નણંદ-ભોજાઈ આમને-સામને


રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા અને તેમની નણંદ રીવાબા વચ્ચેની તકરાર જાણીતી છે. કોંગ્રેસના નેતા અને સ્ટાર પ્રચારક નયનાબાએ તેમની ભાભી રીવાબા જાડેજા પર આરોપ લગાવ્યો હતો કે, તે પ્રચાર માટે બાળકોનો ઉપયોગ કરી રહી છે. સહાનુભૂતિ મેળવવા માટે તે બાળકોને પ્રચાર કરી રહી છે. તે ઉપરાંત નણંદ નયનાબાએ તેમને નિશાન બનાવતા તેમની જાતિ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. નયનાબાએ દાવો કર્યો હતો કે, રિવાબાના નામાંકન ફોર્મ પર તેમનું નામ રીવા સિંહ હરદેવ સિંહ સોલંકી તરીકે લખવામાં આવ્યું હતું. જેમાં ક્રોસમાં રવિન્દ્ર જાડેજાનું નામ લખવામાં આવ્યું છે. આ અંગે જણાવતા નયનાબાએ કહ્યું હતું કે, તે રવીન્દ્ર જાડેજાની અટકનો ઉપયોગ માત્ર મત મેળવવા માટે કરી રહી છે જ્યારે બંનેના લગ્નને 6 વર્ષ થયા છે પરંતુ આજદિન સુધી રીવાબા તેમની અટક બદલી શક્યા નથી.  આ સાથે જ નયનાબાએ રીવાબાને સવાલ કર્યો હતો કે, રીવાબા રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠકના મતદાર છે, પરંતુ તેઓ જામનગર ઉત્તરમાંથી કેવી રીતે ચૂંટણી લડી શકે?. રીવાબા પોતાના માટે પણ મત આપી શકશે નહીં, તો તે કેવી રીતે આશા રાખી શકે કે અન્ય લોકો તેમને મત આપે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.