રવિન્દ્ર જાડેજાના પિતાએ પુત્રવધૂ રીવાબાને મત ન આપવાની અપીલ કરતા રાજકારણ ગરમાયું


  • Published By :
  • Published Date : 2022-11-29 16:36:29

ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે દરરોજ અવનવા વિવાદો સામે આવી રહ્યા છે. જેમ  કે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ તેમના જ પુત્રવધૂ રીવાબા જાડેજાને મત ન આપવા લોકોને અપીલ કરતા રાજકારણ ગરમાયું છે. રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા ભાજપની ટિકિટ પર જામનગર ઉત્તર બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે.


અનિરુદ્ધસિંહ જાડેજાએ શું કહ્યું?


ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ કોંગ્રેસના ઉમેદવાર બીપેન્દ્રસિંહ જાડેજાને મત આપવા અપીલ કરી રહ્યા છે. તેમના પુત્રવધૂ રિવાબા જાડેજા ભાજપના ઉમેદવાર છે અને તે પણ જામનગર ઉત્તર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. હવે રસપ્રદ બાબત એ છે કે રવિન્દ્ર જાડેજાની બહેન નયનાબા જાડેજા અને પિતા અનિરુદ્ધસિંહ જાડેજા કોંગ્રેસ માટે પ્રચાર કરે છે તો રવિન્દ્ર જાડેજા તેમના પત્ની અને ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજા માટે પ્રચાર કરી રહ્યાં છે. 


નણંદ-ભોજાઈ આમને-સામને


રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા અને તેમની નણંદ રીવાબા વચ્ચેની તકરાર જાણીતી છે. કોંગ્રેસના નેતા અને સ્ટાર પ્રચારક નયનાબાએ તેમની ભાભી રીવાબા જાડેજા પર આરોપ લગાવ્યો હતો કે, તે પ્રચાર માટે બાળકોનો ઉપયોગ કરી રહી છે. સહાનુભૂતિ મેળવવા માટે તે બાળકોને પ્રચાર કરી રહી છે. તે ઉપરાંત નણંદ નયનાબાએ તેમને નિશાન બનાવતા તેમની જાતિ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. નયનાબાએ દાવો કર્યો હતો કે, રિવાબાના નામાંકન ફોર્મ પર તેમનું નામ રીવા સિંહ હરદેવ સિંહ સોલંકી તરીકે લખવામાં આવ્યું હતું. જેમાં ક્રોસમાં રવિન્દ્ર જાડેજાનું નામ લખવામાં આવ્યું છે. આ અંગે જણાવતા નયનાબાએ કહ્યું હતું કે, તે રવીન્દ્ર જાડેજાની અટકનો ઉપયોગ માત્ર મત મેળવવા માટે કરી રહી છે જ્યારે બંનેના લગ્નને 6 વર્ષ થયા છે પરંતુ આજદિન સુધી રીવાબા તેમની અટક બદલી શક્યા નથી.  આ સાથે જ નયનાબાએ રીવાબાને સવાલ કર્યો હતો કે, રીવાબા રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠકના મતદાર છે, પરંતુ તેઓ જામનગર ઉત્તરમાંથી કેવી રીતે ચૂંટણી લડી શકે?. રીવાબા પોતાના માટે પણ મત આપી શકશે નહીં, તો તે કેવી રીતે આશા રાખી શકે કે અન્ય લોકો તેમને મત આપે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.