RBIએ ICICI બેંકને 12.19 કરોડ અને કોટક મહિન્દ્રા બેંકને 3.95 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો, જાણો કારણ


  • Published By :
  • Published Date : 2023-10-17 21:22:05

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ ICICI અને કોટક મહિન્દ્રા બેંક સામે મોટી કાર્યવાહી કરી છે. RBIએ નિયમનકારી નિયમોના ઉલ્લંઘન બદલ બંને બેંકો પર દંડ ફટકાર્યો છે. જેમાં ICICI બેંક પર 12.19 કરોડ રૂપિયા અને કોટક મહિન્દ્રા બેંક પર 3.95 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ મંગળવારે કહ્યું કે નિયમનકારી નિયમોનું પાલન ન કરવાના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટની જોગવાઈઓનું યોગ્ય રીતે પાલન ન કરવા બદલ ICICI બેંક પર દંડ ફટકારવામાં આવ્યો છે. તે જ પ્રકારે કોટક મહિન્દ્રા બેંક પર આ દંડ રિઝર્વ બેંકની અનેક ગાઈડલાઈન્સના ઉલ્લંઘન માટે લગાવવામાં આવ્યો છે.


શા માટે ફટકાર્યો દંડ?


મીડિયા રિપોર્ટ મુજબ, કોટક મહિન્દ્રા બેંકે RBIની રિકવરી ચેતવણી, બેંકની અંદર ગ્રાહક સેવા, નાણાકીય સેવાઓના આઉટસોર્સિંગમાં રિસ્ક મેનેજમેન્ટ, આચાર સંહિતા અને લોન વિતરણ સંબંધિત માર્ગદર્શિકાનું યોગ્ય રીતે પાલન કર્યું નથી. તેથી સેન્ટ્રલ બેંકે તેના પર દંડ ફટકાર્યો છે. બેંક આ તમામ માર્ગદર્શિકાની વાર્ષિક સમીક્ષા કરવામાં નિષ્ફળ રહી છે.


RBIએ ICICI બેંક પર છેતરપિંડીના ક્લાસિફિકેશન અને રિપોર્ટિંગમાં બેદરકારી બદલ દંડ ફટકાર્યો છે. RBIનું કહેવું છે કે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ હેઠળ તેની પાસે આવી કાર્યવાહી કરવાની સત્તા છે, જેનો ઉપયોગ કરીને તેણે આ કાર્યવાહી કરી છે. ઉલ્લેખનિય છે કે આરબીઆઈના આ પગલાની ગ્રાહકો પર કોઈ અસર નહીં થાય. ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકો સામે આ કાર્યવાહી કરવામાં આવી છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે