RBIએ ICICI બેંકને 12.19 કરોડ અને કોટક મહિન્દ્રા બેંકને 3.95 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો, જાણો કારણ


  • Published By :
  • Published Date : 2023-10-17 21:22:05

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ ICICI અને કોટક મહિન્દ્રા બેંક સામે મોટી કાર્યવાહી કરી છે. RBIએ નિયમનકારી નિયમોના ઉલ્લંઘન બદલ બંને બેંકો પર દંડ ફટકાર્યો છે. જેમાં ICICI બેંક પર 12.19 કરોડ રૂપિયા અને કોટક મહિન્દ્રા બેંક પર 3.95 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ મંગળવારે કહ્યું કે નિયમનકારી નિયમોનું પાલન ન કરવાના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટની જોગવાઈઓનું યોગ્ય રીતે પાલન ન કરવા બદલ ICICI બેંક પર દંડ ફટકારવામાં આવ્યો છે. તે જ પ્રકારે કોટક મહિન્દ્રા બેંક પર આ દંડ રિઝર્વ બેંકની અનેક ગાઈડલાઈન્સના ઉલ્લંઘન માટે લગાવવામાં આવ્યો છે.


શા માટે ફટકાર્યો દંડ?


મીડિયા રિપોર્ટ મુજબ, કોટક મહિન્દ્રા બેંકે RBIની રિકવરી ચેતવણી, બેંકની અંદર ગ્રાહક સેવા, નાણાકીય સેવાઓના આઉટસોર્સિંગમાં રિસ્ક મેનેજમેન્ટ, આચાર સંહિતા અને લોન વિતરણ સંબંધિત માર્ગદર્શિકાનું યોગ્ય રીતે પાલન કર્યું નથી. તેથી સેન્ટ્રલ બેંકે તેના પર દંડ ફટકાર્યો છે. બેંક આ તમામ માર્ગદર્શિકાની વાર્ષિક સમીક્ષા કરવામાં નિષ્ફળ રહી છે.


RBIએ ICICI બેંક પર છેતરપિંડીના ક્લાસિફિકેશન અને રિપોર્ટિંગમાં બેદરકારી બદલ દંડ ફટકાર્યો છે. RBIનું કહેવું છે કે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ હેઠળ તેની પાસે આવી કાર્યવાહી કરવાની સત્તા છે, જેનો ઉપયોગ કરીને તેણે આ કાર્યવાહી કરી છે. ઉલ્લેખનિય છે કે આરબીઆઈના આ પગલાની ગ્રાહકો પર કોઈ અસર નહીં થાય. ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકો સામે આ કાર્યવાહી કરવામાં આવી છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .