RBIએ ICICI બેંકને 12.19 કરોડ અને કોટક મહિન્દ્રા બેંકને 3.95 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો, જાણો કારણ


  • Published By :
  • Published Date : 2023-10-17 21:22:05

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ ICICI અને કોટક મહિન્દ્રા બેંક સામે મોટી કાર્યવાહી કરી છે. RBIએ નિયમનકારી નિયમોના ઉલ્લંઘન બદલ બંને બેંકો પર દંડ ફટકાર્યો છે. જેમાં ICICI બેંક પર 12.19 કરોડ રૂપિયા અને કોટક મહિન્દ્રા બેંક પર 3.95 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ મંગળવારે કહ્યું કે નિયમનકારી નિયમોનું પાલન ન કરવાના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટની જોગવાઈઓનું યોગ્ય રીતે પાલન ન કરવા બદલ ICICI બેંક પર દંડ ફટકારવામાં આવ્યો છે. તે જ પ્રકારે કોટક મહિન્દ્રા બેંક પર આ દંડ રિઝર્વ બેંકની અનેક ગાઈડલાઈન્સના ઉલ્લંઘન માટે લગાવવામાં આવ્યો છે.


શા માટે ફટકાર્યો દંડ?


મીડિયા રિપોર્ટ મુજબ, કોટક મહિન્દ્રા બેંકે RBIની રિકવરી ચેતવણી, બેંકની અંદર ગ્રાહક સેવા, નાણાકીય સેવાઓના આઉટસોર્સિંગમાં રિસ્ક મેનેજમેન્ટ, આચાર સંહિતા અને લોન વિતરણ સંબંધિત માર્ગદર્શિકાનું યોગ્ય રીતે પાલન કર્યું નથી. તેથી સેન્ટ્રલ બેંકે તેના પર દંડ ફટકાર્યો છે. બેંક આ તમામ માર્ગદર્શિકાની વાર્ષિક સમીક્ષા કરવામાં નિષ્ફળ રહી છે.


RBIએ ICICI બેંક પર છેતરપિંડીના ક્લાસિફિકેશન અને રિપોર્ટિંગમાં બેદરકારી બદલ દંડ ફટકાર્યો છે. RBIનું કહેવું છે કે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ હેઠળ તેની પાસે આવી કાર્યવાહી કરવાની સત્તા છે, જેનો ઉપયોગ કરીને તેણે આ કાર્યવાહી કરી છે. ઉલ્લેખનિય છે કે આરબીઆઈના આ પગલાની ગ્રાહકો પર કોઈ અસર નહીં થાય. ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકો સામે આ કાર્યવાહી કરવામાં આવી છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.