RBIએ રેપો રેટ ન વધારી લોકોને આપી મોટી રાહત, જાણો શું કહ્યું રિઝર્વ બેંકના ગવર્નરે


  • Published By :
  • Published Date : 2023-04-06 16:31:17

રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે ગુરુવારે (6 એપ્રિલ) નાણાકિય વર્ષ 2024 માટેની પ્રથમ નાણાકીય નીતિની જાહેરાત કરી છે. RBI ગવર્નરે રેપો રેટ અંગેના તેમના નિર્ણય અને ફુગાવાના દર અને વૃદ્ધિ દર અંગેના તેમના અનુમાનોથી બજારને આશ્ચર્યચકિત કર્યું છે. અગાઉ એવું અનુમાન લગાવવામાં આવ્યું હતું કે MPCની બેઠક બાદ કેન્દ્રીય બેંક રેપો રેટમાં 25 bpsનો વધારો કરી શકે છે. પરંતુ સતત છ વખત રેપો રેટ વધાર્યા બાદ આ વખતે તેને યથાવત રાખવામાં આવ્યો છે. સેન્ટ્રલ બેંકના આ નિર્ણયથી હોમ લોન અને વાહન લોન ચૂકવનારા ગ્રાહકોને રાહત મળશે, કારણ કે તેમની EMI હાલના સમયમાં વધશે નહીં.


RBI ગવર્નરના નિવેદનની આ છે 10 મોટી વાતો?


(1)રેપો રેટમાં કોઈ ફેરફાર નહીંઃ RBI ગવર્નરના જણાવ્યા અનુસાર, આ વખતે MPCની બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રેપો રેટમાં છ વખત વધારો કર્યા બાદ આ વખતે તેને 6.5 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે.


(2)ફુગાવો ઘટવાની અપેક્ષા: RBI ગવર્નરે કહ્યું કે કોર ફુગાવો હજુ પણ એલિવેટેડ સ્તરે છે. જોકે, FY24માં ફુગાવો ઘટી શકે છે. FY24 માટે CPI ફુગાવાનો અનુમાન 5.3% થી ઘટાડીને 5.2% કરવામાં આવ્યો છે.


(3)જીડીપી 6.5% રહેવાનો અંદાજ: RBI ગવર્નરે FY24માં 6.5% વૃદ્ધિ દરનો અંદાજ મૂક્યો છે. તેમણે ઉમેર્યું હતું કે Q4માં ખાનગી વપરાશમાં ઘટાડો થયો છે. જો કે, સારા રવિ પાક સાથે ગ્રામીણ વિસ્તારોમાં માંગમાં સુધારો થવાની ધારણા છે.


(4)MPCના તમામ પક્ષો વ્યાજ દર સ્થિર રાખવાની તરફેણમાં: આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે મધ્યસ્થ બેંકની નાણાકીય નીતિ સમિતિના 6માંથી 5 સભ્યો અનુકૂળ વલણ પાછું ખેંચવાની તરફેણમાં હતા, જ્યારે તમામ સભ્યોએ વ્યાજ દર સ્થિર રાખવાના નિર્ણયને ટેકો આપ્યો હતો. રેપો રેટ યથાવત.

 

(5)ચાલુ ખાતાની ખાધ નિયંત્રણમાં રહેવાની ધારણા: આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ચાલુ ખાતાની ખાધ (કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ) નિયંત્રણમાં રહેવાની ધારણા છે. તેમણે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 23 ના એપ્રિલ-ડિસેમ્બરમાં ચાલુ ખાતાની ખાધ જીડીપીના 2.7 ટકા હતી.

 

(6)રૂપિયાની સ્થિરતા પર RBIની નજર: આરબીઆઈ ગવર્નરે કહ્યું કે લિક્વિડિટી મેનેજમેન્ટ પર સેન્ટ્રલ બેંકની નજર રહે છે. આરબીઆઈ રૂપિયાની સ્થિરતા જાળવી રાખવા માટે સતત પ્રયાસ કરી રહી છે. ઉપરાંત, આરબીઆઈ ગવર્નરે કંપનીઓને મૂડી બફર બનાવવાની સલાહ આપી છે.


(7)UPIને પ્રોત્સાહન: UPI પર બોલતા, RBI ગવર્નરે કહ્યું કે UPI દ્વારા પહેલાથી જ મંજૂર કરાયેલી ક્રેડિટ લાઇનને લંબાવવામાં આવશે.


(8)હોમ લોનની EMI વધશે નહીં: RBI દ્વારા રેપો રેટને યથાવત રાખવાથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે તમારી હોમ લોન EMI થોડા મહિનાઓ સુધી યથાવત રહી શકે છે.


(9)ફુગાવા સામે લડાઈ યથાવત: આરબીઆઈ ગવર્નરે કહ્યું કે ડિસેમ્બર 2022 થી છૂટક ફુગાવો વધી રહ્યો છે, પરંતુ મધ્યસ્થ બેંક તેને નિયંત્રણમાં રાખવા માટે લડત ચાલુ રાખી છે.


(10) કૌટિલ્ય અને ગાંધીને યાદ કર્યાઃ RBI ગવર્નરે તેમના નિવેદન દરમિયાન કૌટિલ્ય અને મહાત્મા ગાંધીને પણ યાદ કર્યા હતા.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.