RBIએ રેપો રેટ ન વધારી લોકોને આપી મોટી રાહત, જાણો શું કહ્યું રિઝર્વ બેંકના ગવર્નરે


  • Published By :
  • Published Date : 2023-04-06 16:31:17

રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે ગુરુવારે (6 એપ્રિલ) નાણાકિય વર્ષ 2024 માટેની પ્રથમ નાણાકીય નીતિની જાહેરાત કરી છે. RBI ગવર્નરે રેપો રેટ અંગેના તેમના નિર્ણય અને ફુગાવાના દર અને વૃદ્ધિ દર અંગેના તેમના અનુમાનોથી બજારને આશ્ચર્યચકિત કર્યું છે. અગાઉ એવું અનુમાન લગાવવામાં આવ્યું હતું કે MPCની બેઠક બાદ કેન્દ્રીય બેંક રેપો રેટમાં 25 bpsનો વધારો કરી શકે છે. પરંતુ સતત છ વખત રેપો રેટ વધાર્યા બાદ આ વખતે તેને યથાવત રાખવામાં આવ્યો છે. સેન્ટ્રલ બેંકના આ નિર્ણયથી હોમ લોન અને વાહન લોન ચૂકવનારા ગ્રાહકોને રાહત મળશે, કારણ કે તેમની EMI હાલના સમયમાં વધશે નહીં.


RBI ગવર્નરના નિવેદનની આ છે 10 મોટી વાતો?


(1)રેપો રેટમાં કોઈ ફેરફાર નહીંઃ RBI ગવર્નરના જણાવ્યા અનુસાર, આ વખતે MPCની બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રેપો રેટમાં છ વખત વધારો કર્યા બાદ આ વખતે તેને 6.5 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે.


(2)ફુગાવો ઘટવાની અપેક્ષા: RBI ગવર્નરે કહ્યું કે કોર ફુગાવો હજુ પણ એલિવેટેડ સ્તરે છે. જોકે, FY24માં ફુગાવો ઘટી શકે છે. FY24 માટે CPI ફુગાવાનો અનુમાન 5.3% થી ઘટાડીને 5.2% કરવામાં આવ્યો છે.


(3)જીડીપી 6.5% રહેવાનો અંદાજ: RBI ગવર્નરે FY24માં 6.5% વૃદ્ધિ દરનો અંદાજ મૂક્યો છે. તેમણે ઉમેર્યું હતું કે Q4માં ખાનગી વપરાશમાં ઘટાડો થયો છે. જો કે, સારા રવિ પાક સાથે ગ્રામીણ વિસ્તારોમાં માંગમાં સુધારો થવાની ધારણા છે.


(4)MPCના તમામ પક્ષો વ્યાજ દર સ્થિર રાખવાની તરફેણમાં: આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે મધ્યસ્થ બેંકની નાણાકીય નીતિ સમિતિના 6માંથી 5 સભ્યો અનુકૂળ વલણ પાછું ખેંચવાની તરફેણમાં હતા, જ્યારે તમામ સભ્યોએ વ્યાજ દર સ્થિર રાખવાના નિર્ણયને ટેકો આપ્યો હતો. રેપો રેટ યથાવત.

 

(5)ચાલુ ખાતાની ખાધ નિયંત્રણમાં રહેવાની ધારણા: આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ચાલુ ખાતાની ખાધ (કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ) નિયંત્રણમાં રહેવાની ધારણા છે. તેમણે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 23 ના એપ્રિલ-ડિસેમ્બરમાં ચાલુ ખાતાની ખાધ જીડીપીના 2.7 ટકા હતી.

 

(6)રૂપિયાની સ્થિરતા પર RBIની નજર: આરબીઆઈ ગવર્નરે કહ્યું કે લિક્વિડિટી મેનેજમેન્ટ પર સેન્ટ્રલ બેંકની નજર રહે છે. આરબીઆઈ રૂપિયાની સ્થિરતા જાળવી રાખવા માટે સતત પ્રયાસ કરી રહી છે. ઉપરાંત, આરબીઆઈ ગવર્નરે કંપનીઓને મૂડી બફર બનાવવાની સલાહ આપી છે.


(7)UPIને પ્રોત્સાહન: UPI પર બોલતા, RBI ગવર્નરે કહ્યું કે UPI દ્વારા પહેલાથી જ મંજૂર કરાયેલી ક્રેડિટ લાઇનને લંબાવવામાં આવશે.


(8)હોમ લોનની EMI વધશે નહીં: RBI દ્વારા રેપો રેટને યથાવત રાખવાથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે તમારી હોમ લોન EMI થોડા મહિનાઓ સુધી યથાવત રહી શકે છે.


(9)ફુગાવા સામે લડાઈ યથાવત: આરબીઆઈ ગવર્નરે કહ્યું કે ડિસેમ્બર 2022 થી છૂટક ફુગાવો વધી રહ્યો છે, પરંતુ મધ્યસ્થ બેંક તેને નિયંત્રણમાં રાખવા માટે લડત ચાલુ રાખી છે.


(10) કૌટિલ્ય અને ગાંધીને યાદ કર્યાઃ RBI ગવર્નરે તેમના નિવેદન દરમિયાન કૌટિલ્ય અને મહાત્મા ગાંધીને પણ યાદ કર્યા હતા.



Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.