RBIએ રેપો રેટ ન વધારી લોકોને આપી મોટી રાહત, જાણો શું કહ્યું રિઝર્વ બેંકના ગવર્નરે


  • Published By :
  • Published Date : 2023-04-06 16:31:17

રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે ગુરુવારે (6 એપ્રિલ) નાણાકિય વર્ષ 2024 માટેની પ્રથમ નાણાકીય નીતિની જાહેરાત કરી છે. RBI ગવર્નરે રેપો રેટ અંગેના તેમના નિર્ણય અને ફુગાવાના દર અને વૃદ્ધિ દર અંગેના તેમના અનુમાનોથી બજારને આશ્ચર્યચકિત કર્યું છે. અગાઉ એવું અનુમાન લગાવવામાં આવ્યું હતું કે MPCની બેઠક બાદ કેન્દ્રીય બેંક રેપો રેટમાં 25 bpsનો વધારો કરી શકે છે. પરંતુ સતત છ વખત રેપો રેટ વધાર્યા બાદ આ વખતે તેને યથાવત રાખવામાં આવ્યો છે. સેન્ટ્રલ બેંકના આ નિર્ણયથી હોમ લોન અને વાહન લોન ચૂકવનારા ગ્રાહકોને રાહત મળશે, કારણ કે તેમની EMI હાલના સમયમાં વધશે નહીં.


RBI ગવર્નરના નિવેદનની આ છે 10 મોટી વાતો?


(1)રેપો રેટમાં કોઈ ફેરફાર નહીંઃ RBI ગવર્નરના જણાવ્યા અનુસાર, આ વખતે MPCની બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રેપો રેટમાં છ વખત વધારો કર્યા બાદ આ વખતે તેને 6.5 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે.


(2)ફુગાવો ઘટવાની અપેક્ષા: RBI ગવર્નરે કહ્યું કે કોર ફુગાવો હજુ પણ એલિવેટેડ સ્તરે છે. જોકે, FY24માં ફુગાવો ઘટી શકે છે. FY24 માટે CPI ફુગાવાનો અનુમાન 5.3% થી ઘટાડીને 5.2% કરવામાં આવ્યો છે.


(3)જીડીપી 6.5% રહેવાનો અંદાજ: RBI ગવર્નરે FY24માં 6.5% વૃદ્ધિ દરનો અંદાજ મૂક્યો છે. તેમણે ઉમેર્યું હતું કે Q4માં ખાનગી વપરાશમાં ઘટાડો થયો છે. જો કે, સારા રવિ પાક સાથે ગ્રામીણ વિસ્તારોમાં માંગમાં સુધારો થવાની ધારણા છે.


(4)MPCના તમામ પક્ષો વ્યાજ દર સ્થિર રાખવાની તરફેણમાં: આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે મધ્યસ્થ બેંકની નાણાકીય નીતિ સમિતિના 6માંથી 5 સભ્યો અનુકૂળ વલણ પાછું ખેંચવાની તરફેણમાં હતા, જ્યારે તમામ સભ્યોએ વ્યાજ દર સ્થિર રાખવાના નિર્ણયને ટેકો આપ્યો હતો. રેપો રેટ યથાવત.

 

(5)ચાલુ ખાતાની ખાધ નિયંત્રણમાં રહેવાની ધારણા: આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ચાલુ ખાતાની ખાધ (કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ) નિયંત્રણમાં રહેવાની ધારણા છે. તેમણે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 23 ના એપ્રિલ-ડિસેમ્બરમાં ચાલુ ખાતાની ખાધ જીડીપીના 2.7 ટકા હતી.

 

(6)રૂપિયાની સ્થિરતા પર RBIની નજર: આરબીઆઈ ગવર્નરે કહ્યું કે લિક્વિડિટી મેનેજમેન્ટ પર સેન્ટ્રલ બેંકની નજર રહે છે. આરબીઆઈ રૂપિયાની સ્થિરતા જાળવી રાખવા માટે સતત પ્રયાસ કરી રહી છે. ઉપરાંત, આરબીઆઈ ગવર્નરે કંપનીઓને મૂડી બફર બનાવવાની સલાહ આપી છે.


(7)UPIને પ્રોત્સાહન: UPI પર બોલતા, RBI ગવર્નરે કહ્યું કે UPI દ્વારા પહેલાથી જ મંજૂર કરાયેલી ક્રેડિટ લાઇનને લંબાવવામાં આવશે.


(8)હોમ લોનની EMI વધશે નહીં: RBI દ્વારા રેપો રેટને યથાવત રાખવાથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે તમારી હોમ લોન EMI થોડા મહિનાઓ સુધી યથાવત રહી શકે છે.


(9)ફુગાવા સામે લડાઈ યથાવત: આરબીઆઈ ગવર્નરે કહ્યું કે ડિસેમ્બર 2022 થી છૂટક ફુગાવો વધી રહ્યો છે, પરંતુ મધ્યસ્થ બેંક તેને નિયંત્રણમાં રાખવા માટે લડત ચાલુ રાખી છે.


(10) કૌટિલ્ય અને ગાંધીને યાદ કર્યાઃ RBI ગવર્નરે તેમના નિવેદન દરમિયાન કૌટિલ્ય અને મહાત્મા ગાંધીને પણ યાદ કર્યા હતા.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.