RBIએ રેપો રેટ 6.5% પર યથાવત રાખ્યો, UPI Liteની ચુકવણી મર્યાદા વધારીને રૂ.500 કરાઈ


  • Published By :
  • Published Date : 2023-08-10 14:19:12

ભારતીય રિઝર્વ બેંકએ તેની ક્રેડિટ પોલીસીની જાહેરાત કરી છે, આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે ઘોષણા કરી છે કે રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રેપો રેટને 6.50 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. આ સાથે જ રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર યથાવત છે,  MSF બેંક રેટ 6.75 પર જળવાઈ રહ્યો છે. સેન્ટ્રલ MPC આવતા વર્ષના પહેલા છ મહિનામાં વ્યાજ દરોમાં વધારો કરી શકે. RBIએ ત્રીજી વખત પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી.


લોનધારકોને નિરાશા


આરબીઆઈ ગવર્નરે રેપોરેટ  યથાવત રાખતા હોમલોન, પર્સનલ લોન કે વ્હિકલ લોન ધારકોને મોટો ઝાટકો લાગ્યો છે. દેશના લાખો લોકો લોન સસ્તી થશે તેવી આશા રાખી રહ્યા હતા પણ તેમને નિરાશા હાથ લાગી છે. ત્રણ  દિવસ સુધી ચાલેલી આરબીઆઈની ક્રેડિટ પોલીસીની બેઠકમાં વ્યાજ દર ઘટાડવામાં આવશે તેનું માનવામાં આવી રહ્યા હતું. આરબીઆઈ ગવર્નરના જણાવ્યા પ્રમાણે  તેમનું ફોક્સ દેશમાં મોંઘવારીને અંકુશમાં રાકવાનું છે. દેશના અર્થતંત્રનો ગ્રોથ યથાવત છે. જો કે મોંઘવારી મોટી સમસ્યા બની છે, આરબીઆઈનું લક્ષ્ય મોંઘવારી દરને 4 ટકા પર લાવવાનો છે, આરબાઈ મુજબ જુલાઈ અને ઓગસ્ટમાં મોંઘવારી દર વધવાનું અનુમાન છે.  આરબીઆઈના જણાવ્યા પ્રમાણે વર્ષ 2023-24 માટે મોંઘવારીનું અનુમાન 5.4 ટકા રહે તેવી શક્યતા છે. 


ઑફલાઇન પેમેન્ટની સુવિધા પણ લાવવામાં આવશે


RBIએ UPI Lite પર ટ્રાન્ઝેક્શન લિમિટ વધારી છે. આ સાથે જ ટૂંક સમયમાં ઓફલાઈન પેમેન્ટની સુવિધા પણ શરૂ કરવામાં આવશે. RBI ગવર્નર શક્તિકાંત દાસે UPI પેમેન્ટ્સ વધારવા માટે અનેક પગલાંની જાહેરાત કરી હતી અને એ સાથે જ પોતાના નિવેદનમાં આ અંગેની માહિતી આપી હતી કે RBIએ UPI Lite પર ટ્રાન્ઝેક્શન લિમિટ વધારીને 200 રૂપિયાથી 500 રૂપિયા સુધી કરશે. આ સાથે જ ટૂંક સમયમાં UPI દ્વારા ઑફલાઇન ટ્રાન્જેકશનની સુવિધા પણ લાવવામાં આવશે અને UPI પ્લેટફોર્મ પર વાતચીતની ચુકવણીની સુવિધા પણ શરૂ કરવામાં આવશે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .