RBIએ રેપો રેટ 6.5% પર યથાવત રાખ્યો, UPI Liteની ચુકવણી મર્યાદા વધારીને રૂ.500 કરાઈ


  • Published By :
  • Published Date : 2023-08-10 14:19:12

ભારતીય રિઝર્વ બેંકએ તેની ક્રેડિટ પોલીસીની જાહેરાત કરી છે, આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે ઘોષણા કરી છે કે રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રેપો રેટને 6.50 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. આ સાથે જ રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર યથાવત છે,  MSF બેંક રેટ 6.75 પર જળવાઈ રહ્યો છે. સેન્ટ્રલ MPC આવતા વર્ષના પહેલા છ મહિનામાં વ્યાજ દરોમાં વધારો કરી શકે. RBIએ ત્રીજી વખત પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી.


લોનધારકોને નિરાશા


આરબીઆઈ ગવર્નરે રેપોરેટ  યથાવત રાખતા હોમલોન, પર્સનલ લોન કે વ્હિકલ લોન ધારકોને મોટો ઝાટકો લાગ્યો છે. દેશના લાખો લોકો લોન સસ્તી થશે તેવી આશા રાખી રહ્યા હતા પણ તેમને નિરાશા હાથ લાગી છે. ત્રણ  દિવસ સુધી ચાલેલી આરબીઆઈની ક્રેડિટ પોલીસીની બેઠકમાં વ્યાજ દર ઘટાડવામાં આવશે તેનું માનવામાં આવી રહ્યા હતું. આરબીઆઈ ગવર્નરના જણાવ્યા પ્રમાણે  તેમનું ફોક્સ દેશમાં મોંઘવારીને અંકુશમાં રાકવાનું છે. દેશના અર્થતંત્રનો ગ્રોથ યથાવત છે. જો કે મોંઘવારી મોટી સમસ્યા બની છે, આરબીઆઈનું લક્ષ્ય મોંઘવારી દરને 4 ટકા પર લાવવાનો છે, આરબાઈ મુજબ જુલાઈ અને ઓગસ્ટમાં મોંઘવારી દર વધવાનું અનુમાન છે.  આરબીઆઈના જણાવ્યા પ્રમાણે વર્ષ 2023-24 માટે મોંઘવારીનું અનુમાન 5.4 ટકા રહે તેવી શક્યતા છે. 


ઑફલાઇન પેમેન્ટની સુવિધા પણ લાવવામાં આવશે


RBIએ UPI Lite પર ટ્રાન્ઝેક્શન લિમિટ વધારી છે. આ સાથે જ ટૂંક સમયમાં ઓફલાઈન પેમેન્ટની સુવિધા પણ શરૂ કરવામાં આવશે. RBI ગવર્નર શક્તિકાંત દાસે UPI પેમેન્ટ્સ વધારવા માટે અનેક પગલાંની જાહેરાત કરી હતી અને એ સાથે જ પોતાના નિવેદનમાં આ અંગેની માહિતી આપી હતી કે RBIએ UPI Lite પર ટ્રાન્ઝેક્શન લિમિટ વધારીને 200 રૂપિયાથી 500 રૂપિયા સુધી કરશે. આ સાથે જ ટૂંક સમયમાં UPI દ્વારા ઑફલાઇન ટ્રાન્જેકશનની સુવિધા પણ લાવવામાં આવશે અને UPI પ્લેટફોર્મ પર વાતચીતની ચુકવણીની સુવિધા પણ શરૂ કરવામાં આવશે.



રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.