RBIનો મોટો નિર્ણય, હોમ લોન ચૂકવી છે તો પણ કંપની 30 દિવસમાં ડોક્યુમેન્ટ પરત નહીં કરે તો ગ્રાહકને દરરોજ રૂ.5000 વળતર ચૂકવવું પડશે


  • Published By :
  • Published Date : 2023-09-14 19:51:36

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ હોમ લોન ધારકોના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે. હવે હોમલોન ભરપાઈ કરાયા બાદ બેંક ઓફ ફાયનાન્સિયલ ઈન્સ્ટીટ્યુટન્સએ 30 દિવસમાં ગ્રાહકોના ડોકયુમેન્ટ પાછા આપવા પડશે.રિઝર્વ બેંકએ બુધવારે એક સર્ક્યુલર બહાર પાડીને આ અંગે જાણકારી આપી છે. આ સુચના બેંકો, NBFCs,હાઉસિંગ ઈન્સ્ટીટ્યૂશન, એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની, રીઝનલ બેંક અને કો-ઓપરેટિવ  બેંક પર લાગુ પડશે. જો કોઈ હાઉસિંગ કંપની આ ડોક્યુમેન્ટ આપવામાં વિલંબ થશે તો હવે દરરોજના 5 હજાર પેટે પેનલ્ટી ચુકવવી પડશે.


શા માટે નિર્ણય કરાયો?


રિઝર્વ બેંકએ આ નિર્ણય હોમ લોન કંપનીની ગ્રાહકો સાથે વધી રહેલી હેરાનગતિના કારણે લીધો છે. હાઉસિંગ કંપનીઓ લોન ધારકોની લોન પૂર્ણ થયા પછી પણ મકાનની ફાઈલ પરત કરવામાં ગલ્લાતલ્લા કરે છે તેવી ફરિયાદો સામે આવતા આરબીઆઈએ આ નિર્ણય કર્યો છે. જૂનમાં, આરબીઆઈની એક સમિતિએ કહ્યું હતું કે જો બેંક લોન લેનારાઓના મૂળ કાગળો 

ખોઈ નાખે છે તો તો તેમને વળતરની સાથે દંડ પણ ચૂકવવો પડશે. 



હવે લોન કરાર સ્થાનિક ભાષામાં થશે



તાજેતરમાં,રિઝર્વ બેંકે લોન અંગે બેંકોને નવી માર્ગદર્શિકા જાહેર કરી હતી.તેમાં કહેવામાં આવ્યું હતું કે હવે લોન એગ્રીમેન્ટ ગ્રાહકની પોતાની ભાષામાં હશે. તેમાં બેંકોએ પેનલ્ટી અને લેટ ફીના નિયમો બોલ્ડ અક્ષરોમાં લખવાના રહેશે. આ નિયમો આવતા વર્ષે 1 જાન્યુઆરીથી લાગુ થશે.


આ 4 ફેરફારોને જાણવા જરૂરી 


લોન કરાર ગ્રાહકની પોતાની ભાષામાં હશે. આ કરતી વખતે,બેંકો બોલ્ડ અક્ષરોમાં લેટ પેમેન્ટ પર પેનલ્ટી અને લેટ ફી લખશે.


હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ હોમ લોન લેનાર ગ્રાહકને જણાવશે કે જો લોન સમયસર ન આપવામાં આવે તો કેટલી ફી પરત કરવામાં આવશે. જો લોન ફ્લોટિંગમાંથી ફિક્સમાં બદલવાની હોય,તો ફી કેટલી હશે? સમય પહેલા ચૂકવણી અંગેની સ્થિતિ પણ સ્પષ્ટ કરવી પડશે.


હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ ગ્રાહકને સ્થાનિક ભાષામાં મંજૂરી પત્ર  (સેક્શન લેટર) આપશે.આમાં,વાર્ષિક વ્યાજ દર અને EMI માળખું નક્કી કરવાની પ્રક્રિયા વિશે સમજી શકાય તેવી માહિતી આપવી પડશે.


હોમ લોનના ગ્રાહકોને વાર્ષિક ધોરણે વ્યાજ દર જણાવવો પડશે, જેથી ગ્રાહક જાણી શકે કે તે એક વર્ષમાં કેટલું વ્યાજ ચૂકવી રહ્યો છે. અગાઉ દંડનીય ચાર્જ અંગે પણ માહિતી આપવી પડતી હતી, જે હવે જરૂરી નથી.


પેનલ્ટી માટે બોર્ડ બનાવવામાં આવશે


દંડ અથવા લોન શુલ્ક નક્કી કરવા માટે સામાન્ય રીતે સ્વીકૃત પ્રક્રિયા અપનાવવામાં આવશે. બોર્ડની રચના કરવામાં આવશે. તે જે પણ નિર્ણય લેશે તે બધાએ સ્વીકારવું પડશે.


દંડનો દર નક્કી કરવામાં આવશે. ગ્રાહકે અગાઉ જણાવેલ શરતોમાંથી કઈ શરતોનું ઉલ્લંઘન કર્યું છે તે સ્પષ્ટ કરવું પડશે. આના અમલીકરણમાં કોઈપણ ગ્રાહક સાથે કોઈ ભેદભાવ કરવામાં આવશે નહીં.


ફાઇનાન્શિયલ કંપનીઓની સેલ્સ ટીમે લોન આપતા પહેલા શરતો અને દંડની વિગતો વિગતવાર જણાવવી પડશે. દરો સાઇટ પર દર્શાવવા આવશ્યક છે.


EMIની ચુકવણી ન કરવા પર લાદવામાં આવનાર દંડ ગ્રાહકોને મોકલવામાં આવેલા રિમાઇન્ડર સંદેશામાં વિગતવાર જણાવવામાં આવશે.


વ્યક્તિગત લોન લેનારાઓ પાસેથી વ્યવસાય અને અન્ય જરૂરિયાતો માટે મંજૂર કરાયેલ લોનની ચુકવણીમાં વિલંબ માટે નિયમો કરતાં વધુ કોઈ દંડ વસૂલવામાં આવશે નહીં.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.