RBIનો મોટો નિર્ણય, હોમ લોન ચૂકવી છે તો પણ કંપની 30 દિવસમાં ડોક્યુમેન્ટ પરત નહીં કરે તો ગ્રાહકને દરરોજ રૂ.5000 વળતર ચૂકવવું પડશે


  • Published By :
  • Published Date : 2023-09-14 19:51:36

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ હોમ લોન ધારકોના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે. હવે હોમલોન ભરપાઈ કરાયા બાદ બેંક ઓફ ફાયનાન્સિયલ ઈન્સ્ટીટ્યુટન્સએ 30 દિવસમાં ગ્રાહકોના ડોકયુમેન્ટ પાછા આપવા પડશે.રિઝર્વ બેંકએ બુધવારે એક સર્ક્યુલર બહાર પાડીને આ અંગે જાણકારી આપી છે. આ સુચના બેંકો, NBFCs,હાઉસિંગ ઈન્સ્ટીટ્યૂશન, એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની, રીઝનલ બેંક અને કો-ઓપરેટિવ  બેંક પર લાગુ પડશે. જો કોઈ હાઉસિંગ કંપની આ ડોક્યુમેન્ટ આપવામાં વિલંબ થશે તો હવે દરરોજના 5 હજાર પેટે પેનલ્ટી ચુકવવી પડશે.


શા માટે નિર્ણય કરાયો?


રિઝર્વ બેંકએ આ નિર્ણય હોમ લોન કંપનીની ગ્રાહકો સાથે વધી રહેલી હેરાનગતિના કારણે લીધો છે. હાઉસિંગ કંપનીઓ લોન ધારકોની લોન પૂર્ણ થયા પછી પણ મકાનની ફાઈલ પરત કરવામાં ગલ્લાતલ્લા કરે છે તેવી ફરિયાદો સામે આવતા આરબીઆઈએ આ નિર્ણય કર્યો છે. જૂનમાં, આરબીઆઈની એક સમિતિએ કહ્યું હતું કે જો બેંક લોન લેનારાઓના મૂળ કાગળો 

ખોઈ નાખે છે તો તો તેમને વળતરની સાથે દંડ પણ ચૂકવવો પડશે. 



હવે લોન કરાર સ્થાનિક ભાષામાં થશે



તાજેતરમાં,રિઝર્વ બેંકે લોન અંગે બેંકોને નવી માર્ગદર્શિકા જાહેર કરી હતી.તેમાં કહેવામાં આવ્યું હતું કે હવે લોન એગ્રીમેન્ટ ગ્રાહકની પોતાની ભાષામાં હશે. તેમાં બેંકોએ પેનલ્ટી અને લેટ ફીના નિયમો બોલ્ડ અક્ષરોમાં લખવાના રહેશે. આ નિયમો આવતા વર્ષે 1 જાન્યુઆરીથી લાગુ થશે.


આ 4 ફેરફારોને જાણવા જરૂરી 


લોન કરાર ગ્રાહકની પોતાની ભાષામાં હશે. આ કરતી વખતે,બેંકો બોલ્ડ અક્ષરોમાં લેટ પેમેન્ટ પર પેનલ્ટી અને લેટ ફી લખશે.


હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ હોમ લોન લેનાર ગ્રાહકને જણાવશે કે જો લોન સમયસર ન આપવામાં આવે તો કેટલી ફી પરત કરવામાં આવશે. જો લોન ફ્લોટિંગમાંથી ફિક્સમાં બદલવાની હોય,તો ફી કેટલી હશે? સમય પહેલા ચૂકવણી અંગેની સ્થિતિ પણ સ્પષ્ટ કરવી પડશે.


હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ ગ્રાહકને સ્થાનિક ભાષામાં મંજૂરી પત્ર  (સેક્શન લેટર) આપશે.આમાં,વાર્ષિક વ્યાજ દર અને EMI માળખું નક્કી કરવાની પ્રક્રિયા વિશે સમજી શકાય તેવી માહિતી આપવી પડશે.


હોમ લોનના ગ્રાહકોને વાર્ષિક ધોરણે વ્યાજ દર જણાવવો પડશે, જેથી ગ્રાહક જાણી શકે કે તે એક વર્ષમાં કેટલું વ્યાજ ચૂકવી રહ્યો છે. અગાઉ દંડનીય ચાર્જ અંગે પણ માહિતી આપવી પડતી હતી, જે હવે જરૂરી નથી.


પેનલ્ટી માટે બોર્ડ બનાવવામાં આવશે


દંડ અથવા લોન શુલ્ક નક્કી કરવા માટે સામાન્ય રીતે સ્વીકૃત પ્રક્રિયા અપનાવવામાં આવશે. બોર્ડની રચના કરવામાં આવશે. તે જે પણ નિર્ણય લેશે તે બધાએ સ્વીકારવું પડશે.


દંડનો દર નક્કી કરવામાં આવશે. ગ્રાહકે અગાઉ જણાવેલ શરતોમાંથી કઈ શરતોનું ઉલ્લંઘન કર્યું છે તે સ્પષ્ટ કરવું પડશે. આના અમલીકરણમાં કોઈપણ ગ્રાહક સાથે કોઈ ભેદભાવ કરવામાં આવશે નહીં.


ફાઇનાન્શિયલ કંપનીઓની સેલ્સ ટીમે લોન આપતા પહેલા શરતો અને દંડની વિગતો વિગતવાર જણાવવી પડશે. દરો સાઇટ પર દર્શાવવા આવશ્યક છે.


EMIની ચુકવણી ન કરવા પર લાદવામાં આવનાર દંડ ગ્રાહકોને મોકલવામાં આવેલા રિમાઇન્ડર સંદેશામાં વિગતવાર જણાવવામાં આવશે.


વ્યક્તિગત લોન લેનારાઓ પાસેથી વ્યવસાય અને અન્ય જરૂરિયાતો માટે મંજૂર કરાયેલ લોનની ચુકવણીમાં વિલંબ માટે નિયમો કરતાં વધુ કોઈ દંડ વસૂલવામાં આવશે નહીં.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.