RBIનો મોટો નિર્ણય, હોમ લોન ચૂકવી છે તો પણ કંપની 30 દિવસમાં ડોક્યુમેન્ટ પરત નહીં કરે તો ગ્રાહકને દરરોજ રૂ.5000 વળતર ચૂકવવું પડશે


  • Published By :
  • Published Date : 2023-09-14 19:51:36

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ હોમ લોન ધારકોના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે. હવે હોમલોન ભરપાઈ કરાયા બાદ બેંક ઓફ ફાયનાન્સિયલ ઈન્સ્ટીટ્યુટન્સએ 30 દિવસમાં ગ્રાહકોના ડોકયુમેન્ટ પાછા આપવા પડશે.રિઝર્વ બેંકએ બુધવારે એક સર્ક્યુલર બહાર પાડીને આ અંગે જાણકારી આપી છે. આ સુચના બેંકો, NBFCs,હાઉસિંગ ઈન્સ્ટીટ્યૂશન, એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની, રીઝનલ બેંક અને કો-ઓપરેટિવ  બેંક પર લાગુ પડશે. જો કોઈ હાઉસિંગ કંપની આ ડોક્યુમેન્ટ આપવામાં વિલંબ થશે તો હવે દરરોજના 5 હજાર પેટે પેનલ્ટી ચુકવવી પડશે.


શા માટે નિર્ણય કરાયો?


રિઝર્વ બેંકએ આ નિર્ણય હોમ લોન કંપનીની ગ્રાહકો સાથે વધી રહેલી હેરાનગતિના કારણે લીધો છે. હાઉસિંગ કંપનીઓ લોન ધારકોની લોન પૂર્ણ થયા પછી પણ મકાનની ફાઈલ પરત કરવામાં ગલ્લાતલ્લા કરે છે તેવી ફરિયાદો સામે આવતા આરબીઆઈએ આ નિર્ણય કર્યો છે. જૂનમાં, આરબીઆઈની એક સમિતિએ કહ્યું હતું કે જો બેંક લોન લેનારાઓના મૂળ કાગળો 

ખોઈ નાખે છે તો તો તેમને વળતરની સાથે દંડ પણ ચૂકવવો પડશે. 



હવે લોન કરાર સ્થાનિક ભાષામાં થશે



તાજેતરમાં,રિઝર્વ બેંકે લોન અંગે બેંકોને નવી માર્ગદર્શિકા જાહેર કરી હતી.તેમાં કહેવામાં આવ્યું હતું કે હવે લોન એગ્રીમેન્ટ ગ્રાહકની પોતાની ભાષામાં હશે. તેમાં બેંકોએ પેનલ્ટી અને લેટ ફીના નિયમો બોલ્ડ અક્ષરોમાં લખવાના રહેશે. આ નિયમો આવતા વર્ષે 1 જાન્યુઆરીથી લાગુ થશે.


આ 4 ફેરફારોને જાણવા જરૂરી 


લોન કરાર ગ્રાહકની પોતાની ભાષામાં હશે. આ કરતી વખતે,બેંકો બોલ્ડ અક્ષરોમાં લેટ પેમેન્ટ પર પેનલ્ટી અને લેટ ફી લખશે.


હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ હોમ લોન લેનાર ગ્રાહકને જણાવશે કે જો લોન સમયસર ન આપવામાં આવે તો કેટલી ફી પરત કરવામાં આવશે. જો લોન ફ્લોટિંગમાંથી ફિક્સમાં બદલવાની હોય,તો ફી કેટલી હશે? સમય પહેલા ચૂકવણી અંગેની સ્થિતિ પણ સ્પષ્ટ કરવી પડશે.


હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ ગ્રાહકને સ્થાનિક ભાષામાં મંજૂરી પત્ર  (સેક્શન લેટર) આપશે.આમાં,વાર્ષિક વ્યાજ દર અને EMI માળખું નક્કી કરવાની પ્રક્રિયા વિશે સમજી શકાય તેવી માહિતી આપવી પડશે.


હોમ લોનના ગ્રાહકોને વાર્ષિક ધોરણે વ્યાજ દર જણાવવો પડશે, જેથી ગ્રાહક જાણી શકે કે તે એક વર્ષમાં કેટલું વ્યાજ ચૂકવી રહ્યો છે. અગાઉ દંડનીય ચાર્જ અંગે પણ માહિતી આપવી પડતી હતી, જે હવે જરૂરી નથી.


પેનલ્ટી માટે બોર્ડ બનાવવામાં આવશે


દંડ અથવા લોન શુલ્ક નક્કી કરવા માટે સામાન્ય રીતે સ્વીકૃત પ્રક્રિયા અપનાવવામાં આવશે. બોર્ડની રચના કરવામાં આવશે. તે જે પણ નિર્ણય લેશે તે બધાએ સ્વીકારવું પડશે.


દંડનો દર નક્કી કરવામાં આવશે. ગ્રાહકે અગાઉ જણાવેલ શરતોમાંથી કઈ શરતોનું ઉલ્લંઘન કર્યું છે તે સ્પષ્ટ કરવું પડશે. આના અમલીકરણમાં કોઈપણ ગ્રાહક સાથે કોઈ ભેદભાવ કરવામાં આવશે નહીં.


ફાઇનાન્શિયલ કંપનીઓની સેલ્સ ટીમે લોન આપતા પહેલા શરતો અને દંડની વિગતો વિગતવાર જણાવવી પડશે. દરો સાઇટ પર દર્શાવવા આવશ્યક છે.


EMIની ચુકવણી ન કરવા પર લાદવામાં આવનાર દંડ ગ્રાહકોને મોકલવામાં આવેલા રિમાઇન્ડર સંદેશામાં વિગતવાર જણાવવામાં આવશે.


વ્યક્તિગત લોન લેનારાઓ પાસેથી વ્યવસાય અને અન્ય જરૂરિયાતો માટે મંજૂર કરાયેલ લોનની ચુકવણીમાં વિલંબ માટે નિયમો કરતાં વધુ કોઈ દંડ વસૂલવામાં આવશે નહીં.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.