RBIને મળ્યો ધમકીભર્યો ઈ-મેલ, "મુંબઈમાં 11 જગ્યાએ બોંબ મુકવામાં આવ્યા છે, નિર્મલા સીતારમણના રાજીનામાનું આપે"


  • Published By :
  • Published Date : 2023-12-26 19:04:32

મુંબઈમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની ઓફિસને બોમ્બની ધમકી આપવામાં આવી છે. RBI ઓફિસને ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મોકલવામાં આવ્યો છે. આ ધમકીભર્યો ઈમેલ મોકલનાર ખિલાફત ઈન્ડિયા સાથે સંકળાયેલા હોવાનો દાવો કર્યો છે. આ ધમકીભર્યા ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે મુંબઈમાં કુલ 11 સ્થળોએ બોમ્બ મુકવામાં આવ્યા છે. આ સાથે જ RBI ગવર્નર શક્તિકાંત દાસ અને નાણામંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાની માંગ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે ઈમેલમાં RBI ઓફિસ, HDFC બેંક અને ICICI બેંકમાં બોમ્બ મૂકવાની ધમકી આપવામાં આવી છે. RBI ગવર્નર શક્તિકાંત દાસ અને કેબિનેટ મંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાની ઈમેલ દ્વારા માંગ કરવામાં આવી છે.



શું લખ્યું હતું ધમકીભર્યા ઈમેલમાં?


આ ધમકીભર્યા ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે મુંબઈમાં 11 જગ્યાએ બોમ્બ મુકવામાં આવ્યા છે. ઈમેલમાં કહેવામાં આવ્યું હતું કે મંગળવારે બપોરે લગભગ 1.30 વાગ્યે બ્લાસ્ટ થવાનો છે. આ પછી, ગભરાટ ફેલાયો હતો અને પોલીસે દરેક જગ્યાએ તપાસ કરી હતી પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. આ અંગે મુંબઈની એમઆરએ માર્ગ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.આ ઈમેલ મોકલનારએ સ્પષ્ટ કહ્યું છે કે અમારી ધમકીને અવગણશો નહીં.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.