RBIએ રેપો રેટને લઈ આપી અપડેટ, જાણો લોનધારકોને આ નિર્ણયથી ફાયદો થશે કે નહીં?


  • Published By :
  • Published Date : 2023-12-08 11:02:37

રેપો રેટને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આરબીઆઈએ રેપો રેટ તેમજ અન્ય નીતિ દરોમાં કોઈ ફેરફાર નથી કર્યા મતલબ કે જે રેપો રેટ અત્યારે છે તે યથાવત રાખવામાં આવ્યા છે. આ અંગેની જાહેરાત ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી. કમિટીએ ફરી એકવાર રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. રેપો રેટ હાલમાં 6.5 ટકા છે. 

રેપો રેટમાં નથી કરાયો ફેરફાર 

રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાને કારણે લોનની ઈએમઆઈ પર કોઈ રાહત મળશે નહીં. કોઈ વધારો પણ નથી કરવામાં આવ્યો અને રાહત પણ નથી આપવામાં આવી. આરબીઆઈએ રેપો રેટને સ્થિર રાખ્યા છે. મહત્વનું છે કે આ સતત ચોથી વખત એવું બન્યું છે કે રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. મોનેટરી પોલિસી રિવ્યુની મીટિંગ મળી હતી જે ત્રણ દિવસ સુધી ચાલી હતી RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે કમિટીએ ફરી એકવાર રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. રેપો રેટ હાલમાં 6.5 ટકા છે.



રેપો રેટની અસર પડે છે ઈએમઆઈ પર! 

રેપો રેટની વાત કરીએ તો આ એ દર છે જેના પર રિઝર્વ બેન્ક અન્ય બેંકોને લોન આપે છે. રિઝર્વ બેંક દ્વારા જે નાણા બેંકોને આપવામાં આવે છે તે પૈસા બેંક તેમના ધારકોને આપે છે. જ્યારે રેપો રેટમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવે છે ત્યારે તેની સીધી અસર ઈએમઆઈ પર પડે છે. રેપો રેટમાં વધારો થાય છે તો લોનના ઈએમઆઈ પણ વધે છે. ત્યારે આ વખતે ફરી એક વખત રેપો રેટમાં ફેરફાર નથી કરવામાં આવ્યું. રેપો રેટ યથાવત રહેતા ઈએમઆઈ પર હમણાં કોઈ અસર નહીં પડે.  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.