RBIએ રેપો રેટને લઈ આપી અપડેટ, જાણો લોનધારકોને આ નિર્ણયથી ફાયદો થશે કે નહીં?


  • Published By :
  • Published Date : 2023-12-08 11:02:37

રેપો રેટને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આરબીઆઈએ રેપો રેટ તેમજ અન્ય નીતિ દરોમાં કોઈ ફેરફાર નથી કર્યા મતલબ કે જે રેપો રેટ અત્યારે છે તે યથાવત રાખવામાં આવ્યા છે. આ અંગેની જાહેરાત ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી. કમિટીએ ફરી એકવાર રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. રેપો રેટ હાલમાં 6.5 ટકા છે. 

રેપો રેટમાં નથી કરાયો ફેરફાર 

રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાને કારણે લોનની ઈએમઆઈ પર કોઈ રાહત મળશે નહીં. કોઈ વધારો પણ નથી કરવામાં આવ્યો અને રાહત પણ નથી આપવામાં આવી. આરબીઆઈએ રેપો રેટને સ્થિર રાખ્યા છે. મહત્વનું છે કે આ સતત ચોથી વખત એવું બન્યું છે કે રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. મોનેટરી પોલિસી રિવ્યુની મીટિંગ મળી હતી જે ત્રણ દિવસ સુધી ચાલી હતી RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે કમિટીએ ફરી એકવાર રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. રેપો રેટ હાલમાં 6.5 ટકા છે.



રેપો રેટની અસર પડે છે ઈએમઆઈ પર! 

રેપો રેટની વાત કરીએ તો આ એ દર છે જેના પર રિઝર્વ બેન્ક અન્ય બેંકોને લોન આપે છે. રિઝર્વ બેંક દ્વારા જે નાણા બેંકોને આપવામાં આવે છે તે પૈસા બેંક તેમના ધારકોને આપે છે. જ્યારે રેપો રેટમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવે છે ત્યારે તેની સીધી અસર ઈએમઆઈ પર પડે છે. રેપો રેટમાં વધારો થાય છે તો લોનના ઈએમઆઈ પણ વધે છે. ત્યારે આ વખતે ફરી એક વખત રેપો રેટમાં ફેરફાર નથી કરવામાં આવ્યું. રેપો રેટ યથાવત રહેતા ઈએમઆઈ પર હમણાં કોઈ અસર નહીં પડે.  



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.