રાજકોટ અગ્નિકાંડ મામલે પ્રતિક્રિયા આપતા ભાનુબેન બાબરીયા ભાવુક થયા, સાંભળો સમગ્ર મામલે શું કહ્યું તેમણે? એકબીજા પર દોષનો ટોપલો ઢોળવા તત્પર નેતાઓ..!


  • Published By :
  • Published Date : 2024-06-01 13:41:57

રાજકોટમાં બનેલી દુર્ઘટનામાં અનેક જિંદગીઓ હોમાઈ છે.. ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી.. મૃતકના પરિવારજનોના આંસુ સૂકાઈ નથી રહ્યા... જનતામાં આક્રોશ ફેલાઈ રહ્યો છે.. મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ કોથળામાં આવી રહ્યા છે.. અંતિમ વખત પરિવારજનોને તેમનો ચહેરો પણ નસીબ નથી થતો. એવું કહેવામાં આવે છે કે સ્ત્રી સંવેદનશીલ હોય છે.. પીડા ભલે બીજાની હોય પરંતુ તેની થોડી અનુભૂતિ તો તેમને પણ થતી હોય છે.. પરંતુ એક માત્ર મહિલા મંત્રી ભાનુબેન બાબરીયાએ રાજકોટ અગ્નિકાંડ મામલે કોઈ પ્રતિક્રિયા સામે આવી ન હતી. પરંતુ આટલા દિવસો બાદ તે આ મામલે બોલ્યા છે.. 

શું કહ્યું ભાનુબેન બાબરીયાએ પ્રતિક્રિયા આપતા? 

રાજકોટમાં ગયા શનિવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ.. આગની લપેટમાં આવીને 27 જેટલી જિંદગીઓ હોમાઈ ગઈ.. ગેમ ઝોનની મજા લેવા ગયેલા લોકોના જીવન સાથે ગેમ થઈ ગઈ હોય તેવું લાગ્યું. અનેક નેતાઓની પ્રતિક્રિયા સામે આવી પરંતુ ગુજરાતના એક માત્ર મહિલા મંત્રીએ આ મામલે પ્રતિક્રિયા આપી ના હતી આટલા દિવસો સુધી. ત્યારે આ મામલે ભાનુબેને  પ્રતિક્રિયા આપી છે.. તેમણે કહ્યું કે તે તેમનાથી બનતી બધી કાર્યવાહી કરી રહ્યા છે.. ઘટના બની તે બાદથી તે અધિકારીઓ સાથે તે સંપર્કમાં છે.. જે લોકોના મૃત્યુ થયા છે તેમના પરિવારને મૃતદેહ મળી જાય તે માટે તે સતતને સતત ચિંતા કરી રહ્યા છે.. તેમણે કહ્યું કે એસઆઈટી દ્વારા જે કાર્યવાહી કરવામાં આવશે તેમાં દોષિતોને છોડવામાં નહીં આવે... પ્રતિક્રિયા આપતા આપતા તે ઈમોશનલ થયા હતા.. મહત્વનું છે કે આટલા દિવસો ભાનુ બાબરીયા મૌન રહ્યા, જમાવટની ટીમે જ્યારે તેમની સાથે વાત કરી હતી ત્યારે તેમણે વાત કરવાનું ટાળ્યું હતું પરંતુ અચાનક તેમની પ્રતિક્રિયા સામે આવી છે.. 



અગ્નિકાંડ મામલે અનેક નેતાઓએ સાધ્યું મૌન 

મહત્વનું છે કે જ્યારે જ્યારે આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે નેતાઓ દ્વારા, ધારાસભ્યો દ્વારા અનેક વખત મૌન સેવી લેવાતું હોય છે.. રાજકોટમાં જે દુર્ઘટના બની, તેમાં મૃત્યુ પામેલા પરિવારજનોને પોતાના સ્વજન પાછા નથી મળવાના, એ માતા પિતાને પોતાના સંતાનો પાછા નથી મળવાના પરંતુ શું નેતાઓની ફરજમાં નથી આવતું કે તે બે શબ્દો સંવેદનના વ્યક્ત કરે, સહાનુભૂતિના વ્યક્ત કરે.. મહિલા તરીકે તે આવી લાગણીને સમજી શકે છે, ભાનુબેન બાબરીયા તો મહિલા અને બાળ વિકાસ મંત્રી છે અને રાજ્યના એક માત્ર મહિલા મંત્રી છે.. ત્યારે મંત્રીની પ્રતિક્રિયા પર આપનું શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવો..             



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.