Parshottam Rupalaના નિવેદન બાદ સામે આવી ક્ષત્રિય સંકલન સમિતીની પ્રતિક્રિયા, સાંભળો શું કહ્યું તેમના નિવેદન પર?


  • Published By :
  • Published Date : 2024-05-08 17:22:45

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈ ગુજરાતમાં ક્ષત્રિય સમાજના લોકો રોષે ભરાયા હતા. આ બધા વચ્ચે લોકસભા ચૂંટણીનું મતદાન ગઈકાલે પૂર્ણ થઈ ગયું. ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજની પ્રતિક્રિયા સામે આવી છે. પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું હતું કે ,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'

ઈલેક્શન બાદ પરષોત્તમ રૂપાલાએ ફરી માગી માફી

લોકસભા ચૂંટણી રાજકોટ લોકસભા બેઠકની ચર્ચા સૌથી વધારે થઈ.. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે.. ક્ષત્રિય સમાજની માગ હતી કે તેમની ટિકીટ રદ્દ કરવામાં આવે.. વિરોધના વંટોળ વચ્ચે તેમણે ઉમેદવારી ફોર્મ ભર્યું અને ગઈકાલે લોકસભા ચૂંટણી ગુજરાતમાં પૂર્ણ થઈ.. ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક વખત આ વિવાદને શાંત કરવાનો પ્રયત્ન કર્યો. સી,આર.પાટીલે પણ ક્ષત્રિય સમાજની માફી માગી અને પરષોત્તમ રૂપાલાએ પણ અનેક વખત માફી માગી. લોકસભા ચૂંટણી પૂર્ણ થાય બાદ આજે ફરી એક વખત પરષોત્તમ રૂપાલાએ માફી માગી છે. જેમાં તેમણે ભારતીય જનતા પાર્ટીનો ઉલ્લેખ કર્યો હતો. 


નિવેદન બાદ ક્ષત્રિય સમાજની સામે આવી પ્રતિક્રિયા 

પરષોત્તમ રૂપાલાની માફી બાદ ક્ષત્રિય સમાજના આગેવાનોએ મીડિયા સાથે વાત કરી હતી. મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે. તેમણે માંગેલી આ પહેલાની માફી રાજકીય જ હતી તે તેમના આજના નિવેદન પરથી જાણી શકાય છે. ત્યારે જોવું રહ્યું કે આ મામલે આગળ શું થાય છે? 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.