Parshottam Rupalaના નિવેદન બાદ સામે આવી ક્ષત્રિય સંકલન સમિતીની પ્રતિક્રિયા, સાંભળો શું કહ્યું તેમના નિવેદન પર?


  • Published By :
  • Published Date : 2024-05-08 17:22:45

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈ ગુજરાતમાં ક્ષત્રિય સમાજના લોકો રોષે ભરાયા હતા. આ બધા વચ્ચે લોકસભા ચૂંટણીનું મતદાન ગઈકાલે પૂર્ણ થઈ ગયું. ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજની પ્રતિક્રિયા સામે આવી છે. પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું હતું કે ,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'

ઈલેક્શન બાદ પરષોત્તમ રૂપાલાએ ફરી માગી માફી

લોકસભા ચૂંટણી રાજકોટ લોકસભા બેઠકની ચર્ચા સૌથી વધારે થઈ.. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે.. ક્ષત્રિય સમાજની માગ હતી કે તેમની ટિકીટ રદ્દ કરવામાં આવે.. વિરોધના વંટોળ વચ્ચે તેમણે ઉમેદવારી ફોર્મ ભર્યું અને ગઈકાલે લોકસભા ચૂંટણી ગુજરાતમાં પૂર્ણ થઈ.. ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક વખત આ વિવાદને શાંત કરવાનો પ્રયત્ન કર્યો. સી,આર.પાટીલે પણ ક્ષત્રિય સમાજની માફી માગી અને પરષોત્તમ રૂપાલાએ પણ અનેક વખત માફી માગી. લોકસભા ચૂંટણી પૂર્ણ થાય બાદ આજે ફરી એક વખત પરષોત્તમ રૂપાલાએ માફી માગી છે. જેમાં તેમણે ભારતીય જનતા પાર્ટીનો ઉલ્લેખ કર્યો હતો. 


નિવેદન બાદ ક્ષત્રિય સમાજની સામે આવી પ્રતિક્રિયા 

પરષોત્તમ રૂપાલાની માફી બાદ ક્ષત્રિય સમાજના આગેવાનોએ મીડિયા સાથે વાત કરી હતી. મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે. તેમણે માંગેલી આ પહેલાની માફી રાજકીય જ હતી તે તેમના આજના નિવેદન પરથી જાણી શકાય છે. ત્યારે જોવું રહ્યું કે આ મામલે આગળ શું થાય છે? 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે