Dry fruit ખાતા પહેલા વાંચી લો આ સમાચાર, Jamnagarમાં ખજૂરમાંથી નીકળી જીવાત, ફૂડ વિભાગે હાથ ધરી તપાસ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-08 11:38:44

દિવાળીનો સમય નજીક આવી રહ્યો છે. નાસ્તાઓ, મીઠાઈઓ તેમજ ડ્રાયફૂટ લોકો બહારથી લાવતા હોય છે. પરરંતુ બહારની વસ્તુઓ આજકાલ કેવી નિકળે છે તે આપણે જાણીએ છીએ. નકલી વસ્તુઓ લોકોને પધરાવી દેવામાં આવે છે. નકલી ઘી, નકલી મસાલો સહિત અનેક ખાદ્યપદાર્થો એવા હોય છે જે નકલી પકડાઈ રહ્યા છે. અનેક વખત એવા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે જેમાં ખાવામાંથી વંદો અથવા તો જીવાત નીકળે છે. ત્યારે અમદાવાદમાં અને જામનગરથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ડ્રાયફૂટમાંથી જીવતી જીવાત નીકળી છે. મળતી માહિતી અનુસાર પટેલ કોલોનીમાં આવેલા બોમ્બે નમકીન દુકાનમાંથી ઈયળ નીકળી છે. ગ્રાહકે ખરીદેલી ખજૂરમાંથી ઈયળ નીકળી છે. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ તઈ રહ્યો છે. આ માહિતી સામે આવતા આરોગ્ય વિભાગ એક્ટિવ થયું છે. એવી માહિતી સામે આવી છે કે જ્યારે આરોગ્ય વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી ત્યારે પેકેટમાંથી કોઈ જીવાત નીકળી ન હતી જેને કારણે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આવી માહિતી ફૂડ ઈન્સ્પેક્ટર દ્વારા આપવામાં આવી છે.     


ડ્રાયફૂટમાંથી નિકળી જીવાત!

આપણામાંથી અનેક લોકો એવા હશે જે અવાર-નવાર બહારનું ખાતા હશે. કોઈ વખત પિઝા તો કોઈ વખત બર્ગર, આઈસ્ક્રીમ અથવા તો પાણીપુરી ખાવાનો શોખ આપણામાંથી અનેક લોકોને હશે. સામાન્ય રીતે આપણે કહેતા હોઈએ છીએ કે આ બધી વસ્તુ આપણા શરીર માટે નુકસાનકારક છે. ત્યારે આપણે એ વાત નથી માનતા. પરંતુ છેલ્લા ઘણા સમયથી એવા અનેક વીડિયો સામે આવી રહ્યા છે જેમાં ખાદ્ય પદાર્થોમાંથી જીવાત નિકળી રહી છે. થોડા સમય પહેલા જામનગરમાં યુએસ પિઝાના પિઝામાંથી વંદો નિકળ્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ત્યારે હવે ડ્રાયફૂટમાંથી જીવાત નીકળી રહી છે. તો બીજી તરફ અમદાવાદમાં સાઉથ બોપલ સ્થિત શાલિગ્રામ શોપિંગ સેન્ટરમાં આવેલી માધવ ડ્રાયફ્રૂટ દુકાનમાંથી મનીષા પટેલ નામની મહિલાએ કાજુ લીધા હતા. જે બાદ ઘરે જઈને પેકેટ ખોલતા તેમાંથી ઈયળ નીકળી હતી. 


ખજૂરમાંથી નીકળી ઈયળ!

તહેવારના દિવસો નજીક આવી રહ્યા છે. નાસ્તાઓ તેમજ મીઠાઈ લોકો બહારથી ખરીદતા હોય છે. અનેક લોકો તહેવારને ધ્યાનમાં રાખી ડ્રાયફૂટ પણ ખરીદતા હોય છે. હજી સુધી સમાચાર મળતા હતા કે પિઝા અથવા તો ખાદ્યપદાર્થોમાંથી જીવાત નીકળે છે પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. ડ્રાયફૂટમાંથી જીવાત નીકળી રહ્યા છે. જામનગરથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ખજૂરમાંથી ઈયળ નીકળી છે. તેવો જ કિસ્સો અમદાવાદમાં પણ બન્યો હોય તેવી માહિતી સામે આવી છે. સઉથ બોપલ ખાતે આવેલા માઘવ ડ્રાયફૂટનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સાઉથ બોપલના શાલિગ્રામ શોપિંગ સેન્ટરની ઘટના છે.   


ચેકિંગના નામે થઈ રહ્યું છે નાટક!

મહત્વનું છે કે એક તરફ ફૂડ વિભાગ દ્વારા દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવે છે. ફૂડના સેમ્પલ લઈને સંતોષ માનવામાં આવતો હોય તેવું લાગે છે. બજારમાં શુદ્ધ અને સારો ખોરાક મળે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ એવું માનવું છે કે ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવતું ચેકિંગના નામનું નાટક અને ખોરાકમાંથી જીવાત નિકળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યું છે.         



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.