Dry fruit ખાતા પહેલા વાંચી લો આ સમાચાર, Jamnagarમાં ખજૂરમાંથી નીકળી જીવાત, ફૂડ વિભાગે હાથ ધરી તપાસ


  • Published By :
  • Published Date : 2023-11-08 11:38:44

દિવાળીનો સમય નજીક આવી રહ્યો છે. નાસ્તાઓ, મીઠાઈઓ તેમજ ડ્રાયફૂટ લોકો બહારથી લાવતા હોય છે. પરરંતુ બહારની વસ્તુઓ આજકાલ કેવી નિકળે છે તે આપણે જાણીએ છીએ. નકલી વસ્તુઓ લોકોને પધરાવી દેવામાં આવે છે. નકલી ઘી, નકલી મસાલો સહિત અનેક ખાદ્યપદાર્થો એવા હોય છે જે નકલી પકડાઈ રહ્યા છે. અનેક વખત એવા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે જેમાં ખાવામાંથી વંદો અથવા તો જીવાત નીકળે છે. ત્યારે અમદાવાદમાં અને જામનગરથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ડ્રાયફૂટમાંથી જીવતી જીવાત નીકળી છે. મળતી માહિતી અનુસાર પટેલ કોલોનીમાં આવેલા બોમ્બે નમકીન દુકાનમાંથી ઈયળ નીકળી છે. ગ્રાહકે ખરીદેલી ખજૂરમાંથી ઈયળ નીકળી છે. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ તઈ રહ્યો છે. આ માહિતી સામે આવતા આરોગ્ય વિભાગ એક્ટિવ થયું છે. એવી માહિતી સામે આવી છે કે જ્યારે આરોગ્ય વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી ત્યારે પેકેટમાંથી કોઈ જીવાત નીકળી ન હતી જેને કારણે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આવી માહિતી ફૂડ ઈન્સ્પેક્ટર દ્વારા આપવામાં આવી છે.     


ડ્રાયફૂટમાંથી નિકળી જીવાત!

આપણામાંથી અનેક લોકો એવા હશે જે અવાર-નવાર બહારનું ખાતા હશે. કોઈ વખત પિઝા તો કોઈ વખત બર્ગર, આઈસ્ક્રીમ અથવા તો પાણીપુરી ખાવાનો શોખ આપણામાંથી અનેક લોકોને હશે. સામાન્ય રીતે આપણે કહેતા હોઈએ છીએ કે આ બધી વસ્તુ આપણા શરીર માટે નુકસાનકારક છે. ત્યારે આપણે એ વાત નથી માનતા. પરંતુ છેલ્લા ઘણા સમયથી એવા અનેક વીડિયો સામે આવી રહ્યા છે જેમાં ખાદ્ય પદાર્થોમાંથી જીવાત નિકળી રહી છે. થોડા સમય પહેલા જામનગરમાં યુએસ પિઝાના પિઝામાંથી વંદો નિકળ્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ત્યારે હવે ડ્રાયફૂટમાંથી જીવાત નીકળી રહી છે. તો બીજી તરફ અમદાવાદમાં સાઉથ બોપલ સ્થિત શાલિગ્રામ શોપિંગ સેન્ટરમાં આવેલી માધવ ડ્રાયફ્રૂટ દુકાનમાંથી મનીષા પટેલ નામની મહિલાએ કાજુ લીધા હતા. જે બાદ ઘરે જઈને પેકેટ ખોલતા તેમાંથી ઈયળ નીકળી હતી. 


ખજૂરમાંથી નીકળી ઈયળ!

તહેવારના દિવસો નજીક આવી રહ્યા છે. નાસ્તાઓ તેમજ મીઠાઈ લોકો બહારથી ખરીદતા હોય છે. અનેક લોકો તહેવારને ધ્યાનમાં રાખી ડ્રાયફૂટ પણ ખરીદતા હોય છે. હજી સુધી સમાચાર મળતા હતા કે પિઝા અથવા તો ખાદ્યપદાર્થોમાંથી જીવાત નીકળે છે પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. ડ્રાયફૂટમાંથી જીવાત નીકળી રહ્યા છે. જામનગરથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ખજૂરમાંથી ઈયળ નીકળી છે. તેવો જ કિસ્સો અમદાવાદમાં પણ બન્યો હોય તેવી માહિતી સામે આવી છે. સઉથ બોપલ ખાતે આવેલા માઘવ ડ્રાયફૂટનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સાઉથ બોપલના શાલિગ્રામ શોપિંગ સેન્ટરની ઘટના છે.   


ચેકિંગના નામે થઈ રહ્યું છે નાટક!

મહત્વનું છે કે એક તરફ ફૂડ વિભાગ દ્વારા દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવે છે. ફૂડના સેમ્પલ લઈને સંતોષ માનવામાં આવતો હોય તેવું લાગે છે. બજારમાં શુદ્ધ અને સારો ખોરાક મળે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ એવું માનવું છે કે ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવતું ચેકિંગના નામનું નાટક અને ખોરાકમાંથી જીવાત નિકળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યું છે.         



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.