Dry fruit ખાતા પહેલા વાંચી લો આ સમાચાર, Jamnagarમાં ખજૂરમાંથી નીકળી જીવાત, ફૂડ વિભાગે હાથ ધરી તપાસ


  • Published By :
  • Published Date : 2023-11-08 11:38:44

દિવાળીનો સમય નજીક આવી રહ્યો છે. નાસ્તાઓ, મીઠાઈઓ તેમજ ડ્રાયફૂટ લોકો બહારથી લાવતા હોય છે. પરરંતુ બહારની વસ્તુઓ આજકાલ કેવી નિકળે છે તે આપણે જાણીએ છીએ. નકલી વસ્તુઓ લોકોને પધરાવી દેવામાં આવે છે. નકલી ઘી, નકલી મસાલો સહિત અનેક ખાદ્યપદાર્થો એવા હોય છે જે નકલી પકડાઈ રહ્યા છે. અનેક વખત એવા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે જેમાં ખાવામાંથી વંદો અથવા તો જીવાત નીકળે છે. ત્યારે અમદાવાદમાં અને જામનગરથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ડ્રાયફૂટમાંથી જીવતી જીવાત નીકળી છે. મળતી માહિતી અનુસાર પટેલ કોલોનીમાં આવેલા બોમ્બે નમકીન દુકાનમાંથી ઈયળ નીકળી છે. ગ્રાહકે ખરીદેલી ખજૂરમાંથી ઈયળ નીકળી છે. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ તઈ રહ્યો છે. આ માહિતી સામે આવતા આરોગ્ય વિભાગ એક્ટિવ થયું છે. એવી માહિતી સામે આવી છે કે જ્યારે આરોગ્ય વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી ત્યારે પેકેટમાંથી કોઈ જીવાત નીકળી ન હતી જેને કારણે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આવી માહિતી ફૂડ ઈન્સ્પેક્ટર દ્વારા આપવામાં આવી છે.     


ડ્રાયફૂટમાંથી નિકળી જીવાત!

આપણામાંથી અનેક લોકો એવા હશે જે અવાર-નવાર બહારનું ખાતા હશે. કોઈ વખત પિઝા તો કોઈ વખત બર્ગર, આઈસ્ક્રીમ અથવા તો પાણીપુરી ખાવાનો શોખ આપણામાંથી અનેક લોકોને હશે. સામાન્ય રીતે આપણે કહેતા હોઈએ છીએ કે આ બધી વસ્તુ આપણા શરીર માટે નુકસાનકારક છે. ત્યારે આપણે એ વાત નથી માનતા. પરંતુ છેલ્લા ઘણા સમયથી એવા અનેક વીડિયો સામે આવી રહ્યા છે જેમાં ખાદ્ય પદાર્થોમાંથી જીવાત નિકળી રહી છે. થોડા સમય પહેલા જામનગરમાં યુએસ પિઝાના પિઝામાંથી વંદો નિકળ્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ત્યારે હવે ડ્રાયફૂટમાંથી જીવાત નીકળી રહી છે. તો બીજી તરફ અમદાવાદમાં સાઉથ બોપલ સ્થિત શાલિગ્રામ શોપિંગ સેન્ટરમાં આવેલી માધવ ડ્રાયફ્રૂટ દુકાનમાંથી મનીષા પટેલ નામની મહિલાએ કાજુ લીધા હતા. જે બાદ ઘરે જઈને પેકેટ ખોલતા તેમાંથી ઈયળ નીકળી હતી. 


ખજૂરમાંથી નીકળી ઈયળ!

તહેવારના દિવસો નજીક આવી રહ્યા છે. નાસ્તાઓ તેમજ મીઠાઈ લોકો બહારથી ખરીદતા હોય છે. અનેક લોકો તહેવારને ધ્યાનમાં રાખી ડ્રાયફૂટ પણ ખરીદતા હોય છે. હજી સુધી સમાચાર મળતા હતા કે પિઝા અથવા તો ખાદ્યપદાર્થોમાંથી જીવાત નીકળે છે પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. ડ્રાયફૂટમાંથી જીવાત નીકળી રહ્યા છે. જામનગરથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ખજૂરમાંથી ઈયળ નીકળી છે. તેવો જ કિસ્સો અમદાવાદમાં પણ બન્યો હોય તેવી માહિતી સામે આવી છે. સઉથ બોપલ ખાતે આવેલા માઘવ ડ્રાયફૂટનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સાઉથ બોપલના શાલિગ્રામ શોપિંગ સેન્ટરની ઘટના છે.   


ચેકિંગના નામે થઈ રહ્યું છે નાટક!

મહત્વનું છે કે એક તરફ ફૂડ વિભાગ દ્વારા દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવે છે. ફૂડના સેમ્પલ લઈને સંતોષ માનવામાં આવતો હોય તેવું લાગે છે. બજારમાં શુદ્ધ અને સારો ખોરાક મળે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ એવું માનવું છે કે ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવતું ચેકિંગના નામનું નાટક અને ખોરાકમાંથી જીવાત નિકળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યું છે.         



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.