વાહન લેતા પહેલા વાંચી લો આ સમાચાર. RTOએ નંબર પ્લેટના નિયમોમાં કર્યા ફેરફાર જાણો કોણ હવેથી કઢાવી આપશે HSRP નંબર પ્લેટ?


  • Published By :
  • Published Date : 2023-09-14 12:41:11

સામાન્ય રીતે આપણે જ્યારે નવું વાહન ખરીદીએ છીએ ત્યારે નંબર પ્લેટ લેવા માટે આરટીઓના ધક્કા ખાવા પડતા હોય છે. નંબર પ્લેટ વગર વાહન નકામું ગણાય છે. જ્યાં સુધી નંબર પ્લેટ નથી આવતી ત્યાં સુધી વાહનને લઈ આપણે રસ્તા પર ફરી શક્તા નથી. પરંતુ હવે નિયમોમાં ફેરબદલ કરવામાં આવ્યો છે. નંબર પ્લેટ માટે નવા નિયમો બનાવવામાં આવ્યા છે. હવેથી નવા વાહનોમાં ટેમ્પરરી નંબર પ્લેટ આપવામાં આવી છે. ચેન્જ કરવામાં આવેલા નિયમો અનુસાર ગાડીની સાથે જ હવે નંબર પ્લેટ આવી જશે. રજિસ્ટ્રેશન થયા બાદ અને તમામ ટેક્સ ભર્યા બાદ વાહનનો નંબર આપવામાં આવશે અને તે બાદ વાહન આપવામાં આવશે.  


વાહનનો નંબર હવે ડિલરો જ આપશે

પહેલા તમે ગાડી લેવા જતા હતા તો ગાડીમાં નંબર નહોતી આવતી. આરટીઓમાં પણ આપણે જ ધકા ખાવા પડતા હતા. પણ આજથી ઘણા બધા બદલાવો આવવાના છે. આજથી વાહન ડિલરો માટે નવી સિસ્ટમ અમલમાં આવશે. હવેથી ગાડી લીધા પછીની આરટીઓની બધી વસ્તુ વાહનના ડીલરો જ કરશે. ટૂંકમાં આજથી આરટીઓનો ટેક્સ ભરવાથી ડોક્યુમેન્ટનું વેરિફિકેશન અને વાહનનો નંબર પણ ડીલરો જ આપશે. જો હમણા હમણાના સમયમાં તમે ગાડી લેવાની યોજના બનાવી રહ્યા છો તો આ માહિતીનું ખાસ ધ્યાન રાખજો. 



જ્યારે નિયમોમાં ફેરફાર થાય છે ત્યારે લોકોને પડે છે મુશ્કેલી

દર વખતે એવું થાય છે ને કે જ્યારે બદલાવ આવે ત્યારે લોકોને થોડી તકલીફ થઈ જાય છે. આ વખતે પણ એવું જ થયું. અમદાવાદના વાહન ડીલરોને બે દિવસ કોમ્પ્યુટર પર જ બેસી રહેવું પડ્યું. કારણ કે નવા વાહનના ડેટા 13 તારીખ સુધીમાં આરીટીઓના સર્વરમાં જમા કરાવી દેવાનો હતો. જે કોઈ વાહનની વિગતો બાકી હોય તો એ વિગતો આરટીઓને ઈમેઈલ કરીને આપી દેવાનું કહી દેવામાં આવ્યું હતું. 



કાયમી નંબર મળવાને કારણે નહીં ખાવા પડે RTOના ધક્કા

તો બદલાવ એ થયો છે કે તમે નવું વાહન લેતા હતા તો પહેલા થોડા સમય માટેની નંબર પ્લેટ આવતીને. એ થોડા સમય માટેની ખોટી નંબર પ્લેટ હવે નહીં આવે. હવે ડીલર જ તમને કાયમી નંબર પ્લેટ આપી દેશે. એટલે તમારે આરટીઓના ધક્કા મટી જશે. 


શોરૂમ વાળાા જ વાહનની નોંધણી આરટીઓના સર્વરમાં કરાવી દેશે

અમદાવાદમાં વાહન લેવાના અને વેચાવાની વાત કરીએ તો લગભગ 1 હજાર જેટલા વાહનો લેવાતા હશે અને વેચાતા હશે. તો હવેથી જે દસ્તાવેજો તમારે આરટીઓમાં ધકો ખાઈને આપવા જવા પડતા હતા હવે એ દસ્તાવેજો તમારે જ્યાંથી ગાડી લો ત્યાં જ આપી દેવાના રહેશે. એટલે આરટીઓના ધક્કા જ બંધ થઈ જશે અને તમારા હાથમાં ગાડી આવશે ત્યારે પાક્કા નંબર પ્લેટવાળી જ ગાડી આવશે. શોરૂમવાળા લોકો જ આરીટીઓના સર્વરમાં નોંધણી કરાવી દેશે. શો રૂમવાળા જ તમને તમારી ગાડી આપી દેશે અને એ પણ નંબર પ્લેટવાળી. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.