વાહન લેતા પહેલા વાંચી લો આ સમાચાર. RTOએ નંબર પ્લેટના નિયમોમાં કર્યા ફેરફાર જાણો કોણ હવેથી કઢાવી આપશે HSRP નંબર પ્લેટ?


  • Published By :
  • Published Date : 2023-09-14 12:41:11

સામાન્ય રીતે આપણે જ્યારે નવું વાહન ખરીદીએ છીએ ત્યારે નંબર પ્લેટ લેવા માટે આરટીઓના ધક્કા ખાવા પડતા હોય છે. નંબર પ્લેટ વગર વાહન નકામું ગણાય છે. જ્યાં સુધી નંબર પ્લેટ નથી આવતી ત્યાં સુધી વાહનને લઈ આપણે રસ્તા પર ફરી શક્તા નથી. પરંતુ હવે નિયમોમાં ફેરબદલ કરવામાં આવ્યો છે. નંબર પ્લેટ માટે નવા નિયમો બનાવવામાં આવ્યા છે. હવેથી નવા વાહનોમાં ટેમ્પરરી નંબર પ્લેટ આપવામાં આવી છે. ચેન્જ કરવામાં આવેલા નિયમો અનુસાર ગાડીની સાથે જ હવે નંબર પ્લેટ આવી જશે. રજિસ્ટ્રેશન થયા બાદ અને તમામ ટેક્સ ભર્યા બાદ વાહનનો નંબર આપવામાં આવશે અને તે બાદ વાહન આપવામાં આવશે.  


વાહનનો નંબર હવે ડિલરો જ આપશે

પહેલા તમે ગાડી લેવા જતા હતા તો ગાડીમાં નંબર નહોતી આવતી. આરટીઓમાં પણ આપણે જ ધકા ખાવા પડતા હતા. પણ આજથી ઘણા બધા બદલાવો આવવાના છે. આજથી વાહન ડિલરો માટે નવી સિસ્ટમ અમલમાં આવશે. હવેથી ગાડી લીધા પછીની આરટીઓની બધી વસ્તુ વાહનના ડીલરો જ કરશે. ટૂંકમાં આજથી આરટીઓનો ટેક્સ ભરવાથી ડોક્યુમેન્ટનું વેરિફિકેશન અને વાહનનો નંબર પણ ડીલરો જ આપશે. જો હમણા હમણાના સમયમાં તમે ગાડી લેવાની યોજના બનાવી રહ્યા છો તો આ માહિતીનું ખાસ ધ્યાન રાખજો. 



જ્યારે નિયમોમાં ફેરફાર થાય છે ત્યારે લોકોને પડે છે મુશ્કેલી

દર વખતે એવું થાય છે ને કે જ્યારે બદલાવ આવે ત્યારે લોકોને થોડી તકલીફ થઈ જાય છે. આ વખતે પણ એવું જ થયું. અમદાવાદના વાહન ડીલરોને બે દિવસ કોમ્પ્યુટર પર જ બેસી રહેવું પડ્યું. કારણ કે નવા વાહનના ડેટા 13 તારીખ સુધીમાં આરીટીઓના સર્વરમાં જમા કરાવી દેવાનો હતો. જે કોઈ વાહનની વિગતો બાકી હોય તો એ વિગતો આરટીઓને ઈમેઈલ કરીને આપી દેવાનું કહી દેવામાં આવ્યું હતું. 



કાયમી નંબર મળવાને કારણે નહીં ખાવા પડે RTOના ધક્કા

તો બદલાવ એ થયો છે કે તમે નવું વાહન લેતા હતા તો પહેલા થોડા સમય માટેની નંબર પ્લેટ આવતીને. એ થોડા સમય માટેની ખોટી નંબર પ્લેટ હવે નહીં આવે. હવે ડીલર જ તમને કાયમી નંબર પ્લેટ આપી દેશે. એટલે તમારે આરટીઓના ધક્કા મટી જશે. 


શોરૂમ વાળાા જ વાહનની નોંધણી આરટીઓના સર્વરમાં કરાવી દેશે

અમદાવાદમાં વાહન લેવાના અને વેચાવાની વાત કરીએ તો લગભગ 1 હજાર જેટલા વાહનો લેવાતા હશે અને વેચાતા હશે. તો હવેથી જે દસ્તાવેજો તમારે આરટીઓમાં ધકો ખાઈને આપવા જવા પડતા હતા હવે એ દસ્તાવેજો તમારે જ્યાંથી ગાડી લો ત્યાં જ આપી દેવાના રહેશે. એટલે આરટીઓના ધક્કા જ બંધ થઈ જશે અને તમારા હાથમાં ગાડી આવશે ત્યારે પાક્કા નંબર પ્લેટવાળી જ ગાડી આવશે. શોરૂમવાળા લોકો જ આરીટીઓના સર્વરમાં નોંધણી કરાવી દેશે. શો રૂમવાળા જ તમને તમારી ગાડી આપી દેશે અને એ પણ નંબર પ્લેટવાળી. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.