વાહન લેતા પહેલા વાંચી લો આ સમાચાર. RTOએ નંબર પ્લેટના નિયમોમાં કર્યા ફેરફાર જાણો કોણ હવેથી કઢાવી આપશે HSRP નંબર પ્લેટ?


  • Published By :
  • Published Date : 2023-09-14 12:41:11

સામાન્ય રીતે આપણે જ્યારે નવું વાહન ખરીદીએ છીએ ત્યારે નંબર પ્લેટ લેવા માટે આરટીઓના ધક્કા ખાવા પડતા હોય છે. નંબર પ્લેટ વગર વાહન નકામું ગણાય છે. જ્યાં સુધી નંબર પ્લેટ નથી આવતી ત્યાં સુધી વાહનને લઈ આપણે રસ્તા પર ફરી શક્તા નથી. પરંતુ હવે નિયમોમાં ફેરબદલ કરવામાં આવ્યો છે. નંબર પ્લેટ માટે નવા નિયમો બનાવવામાં આવ્યા છે. હવેથી નવા વાહનોમાં ટેમ્પરરી નંબર પ્લેટ આપવામાં આવી છે. ચેન્જ કરવામાં આવેલા નિયમો અનુસાર ગાડીની સાથે જ હવે નંબર પ્લેટ આવી જશે. રજિસ્ટ્રેશન થયા બાદ અને તમામ ટેક્સ ભર્યા બાદ વાહનનો નંબર આપવામાં આવશે અને તે બાદ વાહન આપવામાં આવશે.  


વાહનનો નંબર હવે ડિલરો જ આપશે

પહેલા તમે ગાડી લેવા જતા હતા તો ગાડીમાં નંબર નહોતી આવતી. આરટીઓમાં પણ આપણે જ ધકા ખાવા પડતા હતા. પણ આજથી ઘણા બધા બદલાવો આવવાના છે. આજથી વાહન ડિલરો માટે નવી સિસ્ટમ અમલમાં આવશે. હવેથી ગાડી લીધા પછીની આરટીઓની બધી વસ્તુ વાહનના ડીલરો જ કરશે. ટૂંકમાં આજથી આરટીઓનો ટેક્સ ભરવાથી ડોક્યુમેન્ટનું વેરિફિકેશન અને વાહનનો નંબર પણ ડીલરો જ આપશે. જો હમણા હમણાના સમયમાં તમે ગાડી લેવાની યોજના બનાવી રહ્યા છો તો આ માહિતીનું ખાસ ધ્યાન રાખજો. 



જ્યારે નિયમોમાં ફેરફાર થાય છે ત્યારે લોકોને પડે છે મુશ્કેલી

દર વખતે એવું થાય છે ને કે જ્યારે બદલાવ આવે ત્યારે લોકોને થોડી તકલીફ થઈ જાય છે. આ વખતે પણ એવું જ થયું. અમદાવાદના વાહન ડીલરોને બે દિવસ કોમ્પ્યુટર પર જ બેસી રહેવું પડ્યું. કારણ કે નવા વાહનના ડેટા 13 તારીખ સુધીમાં આરીટીઓના સર્વરમાં જમા કરાવી દેવાનો હતો. જે કોઈ વાહનની વિગતો બાકી હોય તો એ વિગતો આરટીઓને ઈમેઈલ કરીને આપી દેવાનું કહી દેવામાં આવ્યું હતું. 



કાયમી નંબર મળવાને કારણે નહીં ખાવા પડે RTOના ધક્કા

તો બદલાવ એ થયો છે કે તમે નવું વાહન લેતા હતા તો પહેલા થોડા સમય માટેની નંબર પ્લેટ આવતીને. એ થોડા સમય માટેની ખોટી નંબર પ્લેટ હવે નહીં આવે. હવે ડીલર જ તમને કાયમી નંબર પ્લેટ આપી દેશે. એટલે તમારે આરટીઓના ધક્કા મટી જશે. 


શોરૂમ વાળાા જ વાહનની નોંધણી આરટીઓના સર્વરમાં કરાવી દેશે

અમદાવાદમાં વાહન લેવાના અને વેચાવાની વાત કરીએ તો લગભગ 1 હજાર જેટલા વાહનો લેવાતા હશે અને વેચાતા હશે. તો હવેથી જે દસ્તાવેજો તમારે આરટીઓમાં ધકો ખાઈને આપવા જવા પડતા હતા હવે એ દસ્તાવેજો તમારે જ્યાંથી ગાડી લો ત્યાં જ આપી દેવાના રહેશે. એટલે આરટીઓના ધક્કા જ બંધ થઈ જશે અને તમારા હાથમાં ગાડી આવશે ત્યારે પાક્કા નંબર પ્લેટવાળી જ ગાડી આવશે. શોરૂમવાળા લોકો જ આરીટીઓના સર્વરમાં નોંધણી કરાવી દેશે. શો રૂમવાળા જ તમને તમારી ગાડી આપી દેશે અને એ પણ નંબર પ્લેટવાળી. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.