મંદીની અસર હવે જોબ માર્કેટ પર, પહેલા છ મહિનામાં IT કંપનીઓમાં 24% નોકરીઓ ઘટી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 13:43:32


વૈશ્વિક મંદીના કારણે દુનિયાભરના અર્થતંત્રોમાં આર્થિક પ્રવૃતિઓ શિથિલ થઈ ગઈ છે. દેશ અને વિદેશની ટોચની આઈટી કંપનીઓ પર  તેની અસર જોવા મળી રહી છે. ગયા વર્ષની  તુલનામાં આઈટી  કંપનીઓના સ્ટાફની ભરતીમાં 25 ટકા જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે.


નવી નોકરીઓ 50 ટકા જેટલી ઘટી શકે


આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ સમગ્ર નાણાકિય વર્ષ દરમિયાન દેશની આઈટી કંપનીઓમાં નવા કર્મચારીઓની સંખ્યા 50 ટકા જેટલી ઘટી શકે છે, લગભગ 227 અબજ ડોલરની સોફ્ટવેર ઈન્ડસ્ટ્રીઝના નવા જોબ એડિશનનો આ આંકડો ખુબ જ નબળો મનાઈ રહ્યો છે.  


સ્ટાફ ઘટાડા પાછળનું કારણ યુરોપ અને અમેરિકા જેવા વિકસિત અર્થતંત્રમાં બિઝનેશ એક્ટિવિટીઝ સુસ્ત થઈ છે. તે ઉપરાંત રશિયા અને યુક્રેન વચ્ચેના યુધ્ધના કારણે દુનિયાભરની આઈટી કંપનીઓની હાલત ખરાબ થઈ ગઈ છે.



ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.