દેશના 66% CEO માને છે કે આગામી 12 મહિના સુધી આર્થિક મંદીનો સામનો કરવો પડશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 20:46:33

વૈશ્વિક અર્થતંત્રમાં મંદીની શરૂઆત થઈ ગઈ છે. તાજેતરના થયેલા સર્વેમાં, ભારતના 66% CEOએ કહ્યું છે કે તેઓ આગામી 12 મહિનામાં આર્થિક મંદી જોઈ રહ્યા છે. વૈશ્વિક સ્તરે, 86% CEO કહે છે કે તેઓ આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે. તાજેતરમાં એક ખાનગી કંપની દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આ માહિતી સામે આવી છે. ભારતમાં, 58% ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સનું માનવું છે કે આગામી 12 મહિનામાં વૈશ્વિક અર્થતંત્રમાં મંદી જોવા મળી શકે છે, જેની અસર તુલનાત્મક રીતે ઓછી પડશે.


વસ્તીની આંતરિક વપરાશ મોટો સહારો


ભારતના 82% થી વધુ સીઈઓને વિશ્વાસ છે કે ટૂંકા ગાળામાં વૈશ્વિક અર્થતંત્રમાં મંદી આવવાથી તેમના પર વધુ ગંભીર અસર પડશે નહીં. તેઓને લાગે છે કે લાંબા ગાળે ભારતનો ગ્રોથ આઉટલુક વધુ સારો છે. દેશની વિશાળ વસ્તીની આંતરિક વપરાશ સારી હોવાથી મંદીને પહોંચી વળવામાં તેમને મદદ મળશે.


 મંદીની અસર ટૂંકા ગાળા માટે થશે


ભારતમાં સીઈઓ કંપનીના ગ્રોથની સંભાવનામાં ઘટાડો જોઈ રહ્યા છે. આ સાથે જ તેઓ દેશના જીડીપીમાં ઘટાડો થવાની પણ આશંકા વ્યક્ત કરી રહ્યા છે. તેમને લાગે છે કે ટૂંકા ગાળા માટે વૈશ્વિક મંદીની અસર ભારતના અર્થતંત્ર પર પણ જોવા મળી શકે છે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .