દેશના 66% CEO માને છે કે આગામી 12 મહિના સુધી આર્થિક મંદીનો સામનો કરવો પડશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 20:46:33

વૈશ્વિક અર્થતંત્રમાં મંદીની શરૂઆત થઈ ગઈ છે. તાજેતરના થયેલા સર્વેમાં, ભારતના 66% CEOએ કહ્યું છે કે તેઓ આગામી 12 મહિનામાં આર્થિક મંદી જોઈ રહ્યા છે. વૈશ્વિક સ્તરે, 86% CEO કહે છે કે તેઓ આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે. તાજેતરમાં એક ખાનગી કંપની દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આ માહિતી સામે આવી છે. ભારતમાં, 58% ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સનું માનવું છે કે આગામી 12 મહિનામાં વૈશ્વિક અર્થતંત્રમાં મંદી જોવા મળી શકે છે, જેની અસર તુલનાત્મક રીતે ઓછી પડશે.


વસ્તીની આંતરિક વપરાશ મોટો સહારો


ભારતના 82% થી વધુ સીઈઓને વિશ્વાસ છે કે ટૂંકા ગાળામાં વૈશ્વિક અર્થતંત્રમાં મંદી આવવાથી તેમના પર વધુ ગંભીર અસર પડશે નહીં. તેઓને લાગે છે કે લાંબા ગાળે ભારતનો ગ્રોથ આઉટલુક વધુ સારો છે. દેશની વિશાળ વસ્તીની આંતરિક વપરાશ સારી હોવાથી મંદીને પહોંચી વળવામાં તેમને મદદ મળશે.


 મંદીની અસર ટૂંકા ગાળા માટે થશે


ભારતમાં સીઈઓ કંપનીના ગ્રોથની સંભાવનામાં ઘટાડો જોઈ રહ્યા છે. આ સાથે જ તેઓ દેશના જીડીપીમાં ઘટાડો થવાની પણ આશંકા વ્યક્ત કરી રહ્યા છે. તેમને લાગે છે કે ટૂંકા ગાળા માટે વૈશ્વિક મંદીની અસર ભારતના અર્થતંત્ર પર પણ જોવા મળી શકે છે.



સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .