દેશના 66% CEO માને છે કે આગામી 12 મહિના સુધી આર્થિક મંદીનો સામનો કરવો પડશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 20:46:33

વૈશ્વિક અર્થતંત્રમાં મંદીની શરૂઆત થઈ ગઈ છે. તાજેતરના થયેલા સર્વેમાં, ભારતના 66% CEOએ કહ્યું છે કે તેઓ આગામી 12 મહિનામાં આર્થિક મંદી જોઈ રહ્યા છે. વૈશ્વિક સ્તરે, 86% CEO કહે છે કે તેઓ આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે. તાજેતરમાં એક ખાનગી કંપની દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આ માહિતી સામે આવી છે. ભારતમાં, 58% ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સનું માનવું છે કે આગામી 12 મહિનામાં વૈશ્વિક અર્થતંત્રમાં મંદી જોવા મળી શકે છે, જેની અસર તુલનાત્મક રીતે ઓછી પડશે.


વસ્તીની આંતરિક વપરાશ મોટો સહારો


ભારતના 82% થી વધુ સીઈઓને વિશ્વાસ છે કે ટૂંકા ગાળામાં વૈશ્વિક અર્થતંત્રમાં મંદી આવવાથી તેમના પર વધુ ગંભીર અસર પડશે નહીં. તેઓને લાગે છે કે લાંબા ગાળે ભારતનો ગ્રોથ આઉટલુક વધુ સારો છે. દેશની વિશાળ વસ્તીની આંતરિક વપરાશ સારી હોવાથી મંદીને પહોંચી વળવામાં તેમને મદદ મળશે.


 મંદીની અસર ટૂંકા ગાળા માટે થશે


ભારતમાં સીઈઓ કંપનીના ગ્રોથની સંભાવનામાં ઘટાડો જોઈ રહ્યા છે. આ સાથે જ તેઓ દેશના જીડીપીમાં ઘટાડો થવાની પણ આશંકા વ્યક્ત કરી રહ્યા છે. તેમને લાગે છે કે ટૂંકા ગાળા માટે વૈશ્વિક મંદીની અસર ભારતના અર્થતંત્ર પર પણ જોવા મળી શકે છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.