ટેલીકોમ કંપનીને રિચાર્જ પેકની વેલિડિટી 30 દિવસ સુધી કરવા TRAIએ સુચના આપી છે. 60 દિવસની અંદર આર્ડરનું પાલન કરવા આદેશ આપ્યો છે.


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 15:15:11

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા(TRAI)એ ટેલિકોમ કંપનીને કડક નિર્દેશ આપ્યો છે. ટેલિકોમ કંપનીઓને રિચાર્જ પ્લાન 28 દિવસને બદલે 30 દિવસ માટે કરવાની સુચના આપી છે. જેને કારણે પ્રીપેડ મોબાઈલ ગ્રાહકોને ફાયદો થશે. સાત મહિના પહેલા જ ટ્રાઈએ ટેલિકોમ કંપનીને પોતાના પ્લાનમાં ફેરફાર કરવાનું કહ્યું હતું, પરંતુ તેનું પાલન ન થતા 60 દિવસની અંદર અમલ કરવા સૂચના આપી દેવામાં આવી છે.

TRAI Full Form - javatpoint

30 દિવસ માટે રહેશે પેક વેલિડિટી

ટેલિકોમ કંપનીઓના હાલના પ્લાનની વેલિડિટી માત્ર 28 દિવસ છે જેને બદલી 30 દિવસ કરવાનું નોટિફિશેન બહાર પાડ્યું હતું. પ્લાનની વેલિડિટી 28 દિવસ હોવાથી ગ્રાહકે 13 વાર રિચાર્જ કરાવું પડે છે. જેને કારણે આર્થિક ભારણ વધે છે. આ અંગે ગ્રાહકો સતત ફરિયાદ કરી રહ્યા હતા. ટ્રાઈએ એપ્રિલ મહિનામાં જ વેલિડીટિ વધારવા સૂચના આપી દીધી હતી. પરંતુ સૂચનાનું અમલ ન થતા ટ્રાઈએ કડક વલણ અપનાવ્યું છે.

શા માટે હોય છે 28 દિવસની વેલિડિટી

દરેક ટેલીકોમ કંપની પોતાની રિચાર્જની વેલિડીટી 28 દિવસ રાખે છે. કારણકે કોઈ મહિનામાં 30 દિવસ હોય છે તો કોઈ મહિનામાં 31 દિવસ હોય છે. તો ફેબ્રુઆરીમાં 28 દિવસ હોય છે. મહિનામાં દિવસોની ગણતરીમાં ભૂલ ન થાય તે માટે રિચાર્જ પ્લાન 28 દિવસનો રાખવામાં આવે છે.   



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.