ટેલીકોમ કંપનીને રિચાર્જ પેકની વેલિડિટી 30 દિવસ સુધી કરવા TRAIએ સુચના આપી છે. 60 દિવસની અંદર આર્ડરનું પાલન કરવા આદેશ આપ્યો છે.


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 15:15:11

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા(TRAI)એ ટેલિકોમ કંપનીને કડક નિર્દેશ આપ્યો છે. ટેલિકોમ કંપનીઓને રિચાર્જ પ્લાન 28 દિવસને બદલે 30 દિવસ માટે કરવાની સુચના આપી છે. જેને કારણે પ્રીપેડ મોબાઈલ ગ્રાહકોને ફાયદો થશે. સાત મહિના પહેલા જ ટ્રાઈએ ટેલિકોમ કંપનીને પોતાના પ્લાનમાં ફેરફાર કરવાનું કહ્યું હતું, પરંતુ તેનું પાલન ન થતા 60 દિવસની અંદર અમલ કરવા સૂચના આપી દેવામાં આવી છે.

TRAI Full Form - javatpoint

30 દિવસ માટે રહેશે પેક વેલિડિટી

ટેલિકોમ કંપનીઓના હાલના પ્લાનની વેલિડિટી માત્ર 28 દિવસ છે જેને બદલી 30 દિવસ કરવાનું નોટિફિશેન બહાર પાડ્યું હતું. પ્લાનની વેલિડિટી 28 દિવસ હોવાથી ગ્રાહકે 13 વાર રિચાર્જ કરાવું પડે છે. જેને કારણે આર્થિક ભારણ વધે છે. આ અંગે ગ્રાહકો સતત ફરિયાદ કરી રહ્યા હતા. ટ્રાઈએ એપ્રિલ મહિનામાં જ વેલિડીટિ વધારવા સૂચના આપી દીધી હતી. પરંતુ સૂચનાનું અમલ ન થતા ટ્રાઈએ કડક વલણ અપનાવ્યું છે.

શા માટે હોય છે 28 દિવસની વેલિડિટી

દરેક ટેલીકોમ કંપની પોતાની રિચાર્જની વેલિડીટી 28 દિવસ રાખે છે. કારણકે કોઈ મહિનામાં 30 દિવસ હોય છે તો કોઈ મહિનામાં 31 દિવસ હોય છે. તો ફેબ્રુઆરીમાં 28 દિવસ હોય છે. મહિનામાં દિવસોની ગણતરીમાં ભૂલ ન થાય તે માટે રિચાર્જ પ્લાન 28 દિવસનો રાખવામાં આવે છે.   



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.