ટેલીકોમ કંપનીને રિચાર્જ પેકની વેલિડિટી 30 દિવસ સુધી કરવા TRAIએ સુચના આપી છે. 60 દિવસની અંદર આર્ડરનું પાલન કરવા આદેશ આપ્યો છે.


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 15:15:11

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા(TRAI)એ ટેલિકોમ કંપનીને કડક નિર્દેશ આપ્યો છે. ટેલિકોમ કંપનીઓને રિચાર્જ પ્લાન 28 દિવસને બદલે 30 દિવસ માટે કરવાની સુચના આપી છે. જેને કારણે પ્રીપેડ મોબાઈલ ગ્રાહકોને ફાયદો થશે. સાત મહિના પહેલા જ ટ્રાઈએ ટેલિકોમ કંપનીને પોતાના પ્લાનમાં ફેરફાર કરવાનું કહ્યું હતું, પરંતુ તેનું પાલન ન થતા 60 દિવસની અંદર અમલ કરવા સૂચના આપી દેવામાં આવી છે.

TRAI Full Form - javatpoint

30 દિવસ માટે રહેશે પેક વેલિડિટી

ટેલિકોમ કંપનીઓના હાલના પ્લાનની વેલિડિટી માત્ર 28 દિવસ છે જેને બદલી 30 દિવસ કરવાનું નોટિફિશેન બહાર પાડ્યું હતું. પ્લાનની વેલિડિટી 28 દિવસ હોવાથી ગ્રાહકે 13 વાર રિચાર્જ કરાવું પડે છે. જેને કારણે આર્થિક ભારણ વધે છે. આ અંગે ગ્રાહકો સતત ફરિયાદ કરી રહ્યા હતા. ટ્રાઈએ એપ્રિલ મહિનામાં જ વેલિડીટિ વધારવા સૂચના આપી દીધી હતી. પરંતુ સૂચનાનું અમલ ન થતા ટ્રાઈએ કડક વલણ અપનાવ્યું છે.

શા માટે હોય છે 28 દિવસની વેલિડિટી

દરેક ટેલીકોમ કંપની પોતાની રિચાર્જની વેલિડીટી 28 દિવસ રાખે છે. કારણકે કોઈ મહિનામાં 30 દિવસ હોય છે તો કોઈ મહિનામાં 31 દિવસ હોય છે. તો ફેબ્રુઆરીમાં 28 દિવસ હોય છે. મહિનામાં દિવસોની ગણતરીમાં ભૂલ ન થાય તે માટે રિચાર્જ પ્લાન 28 દિવસનો રાખવામાં આવે છે.   



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.