ચૂંટણી પહેલા ભાજપમાં શરૂ થયો ભરતી મેળો! કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી હરેશ વસાવાએ કેસરિયો કર્યો ધારણ


  • Published By :
  • Published Date : 2023-09-16 18:37:38

2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પહેલા દરેક પાર્ટીમાં ભરતીની મોસમ આવતી હોય તેવું લાગે છે. અનેક નેતાઓ પક્ષપલટો કરી લેતા હોય છે. પોતાનો પક્ષ છોડી બીજા પક્ષમાં જોડાઈ જતા હોય છે જેને લઈ રાજકારણ ગરમાતું હોય છે. ત્યારે નર્મદા જિલ્લા કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. પોતાના 150 જેટલા સમર્થકો સાથે કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી હરેશ વસાવાએ કેસરિયો ધારણ કરી લીધો છે. સી.આર.પાટીલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. સુરતના અંબાનગર સ્થિર ભાજપ પ્રદેશ અધ્યક્ષની ઓફિસે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

પોતાના સમર્થકો સાથે હરેશ વસાવાએ ધારણ કર્યો કેસરિયો 

ગુજરાત કોંગ્રેસને ચૂંટણી પહેલા મોટો ઝટકો મળ્યો છે. નર્મદા જિલ્લાના કોંગ્રેસના કદાવર નેતા હરેશ વસાવાએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો સાથ અપનાવ્યો છે. પોતાના 150 જેટલા સમર્થકો સાથે તેમણે સી.આર.પાટીલની અધ્યક્ષતામાં કેસરિયો ધારણ કર્યો છે. મહત્વનું છે કે લોકસભાની ચૂંટણી પહેલા દરેક પાર્ટીના રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. રાજકીય પક્ષોમાં ભરતી મેળો ચાલે ચૂંટણીની સિઝન દરમિયાન ચાલતો હોય છે. થોડા સમય પહેલા વડોદરામાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કોર્પોરેટરોએ રાજીનામા આપી દીધા હતા જેને કારણે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો ત્યારે આજે હરેશ વસાવાએ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. 


ભાજપના કામોને જોઈ હરેશ વસાવાએ ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો! 

મહત્વનું છે કે એક સમયે જે પાર્ટી વિરૂદ્ધ નેતાઓ નિવેદનો આપતા હોય છે તે પક્ષ તેમને અચાનક સારો લાગવા લાગે છે. અનેક નેતાઓના નિવેદનો આવા પ્રકારના હોય છે. કેસરિયો ધારણ કર્યા બાદ હરેશ વસાવાએ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની વિકાસલક્ષી કાર્યક્ષેલીના કારણે છેવાડા ગામ સુધી વિકાસ થઈ રહ્યો છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિકાસયાત્રાને છેવાડાના ગામ સુધી લઈ જવામાં આવી છે. જેના કારણે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો અંતે નિર્ણય કર્યો છે.      



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.