ચૂંટણી પહેલા ભાજપમાં શરૂ થયો ભરતી મેળો! કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી હરેશ વસાવાએ કેસરિયો કર્યો ધારણ


  • Published By :
  • Published Date : 2023-09-16 18:37:38

2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પહેલા દરેક પાર્ટીમાં ભરતીની મોસમ આવતી હોય તેવું લાગે છે. અનેક નેતાઓ પક્ષપલટો કરી લેતા હોય છે. પોતાનો પક્ષ છોડી બીજા પક્ષમાં જોડાઈ જતા હોય છે જેને લઈ રાજકારણ ગરમાતું હોય છે. ત્યારે નર્મદા જિલ્લા કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. પોતાના 150 જેટલા સમર્થકો સાથે કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી હરેશ વસાવાએ કેસરિયો ધારણ કરી લીધો છે. સી.આર.પાટીલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. સુરતના અંબાનગર સ્થિર ભાજપ પ્રદેશ અધ્યક્ષની ઓફિસે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

પોતાના સમર્થકો સાથે હરેશ વસાવાએ ધારણ કર્યો કેસરિયો 

ગુજરાત કોંગ્રેસને ચૂંટણી પહેલા મોટો ઝટકો મળ્યો છે. નર્મદા જિલ્લાના કોંગ્રેસના કદાવર નેતા હરેશ વસાવાએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો સાથ અપનાવ્યો છે. પોતાના 150 જેટલા સમર્થકો સાથે તેમણે સી.આર.પાટીલની અધ્યક્ષતામાં કેસરિયો ધારણ કર્યો છે. મહત્વનું છે કે લોકસભાની ચૂંટણી પહેલા દરેક પાર્ટીના રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. રાજકીય પક્ષોમાં ભરતી મેળો ચાલે ચૂંટણીની સિઝન દરમિયાન ચાલતો હોય છે. થોડા સમય પહેલા વડોદરામાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કોર્પોરેટરોએ રાજીનામા આપી દીધા હતા જેને કારણે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો ત્યારે આજે હરેશ વસાવાએ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. 


ભાજપના કામોને જોઈ હરેશ વસાવાએ ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો! 

મહત્વનું છે કે એક સમયે જે પાર્ટી વિરૂદ્ધ નેતાઓ નિવેદનો આપતા હોય છે તે પક્ષ તેમને અચાનક સારો લાગવા લાગે છે. અનેક નેતાઓના નિવેદનો આવા પ્રકારના હોય છે. કેસરિયો ધારણ કર્યા બાદ હરેશ વસાવાએ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની વિકાસલક્ષી કાર્યક્ષેલીના કારણે છેવાડા ગામ સુધી વિકાસ થઈ રહ્યો છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિકાસયાત્રાને છેવાડાના ગામ સુધી લઈ જવામાં આવી છે. જેના કારણે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો અંતે નિર્ણય કર્યો છે.      



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.