ચૂંટણી પહેલા ભાજપમાં શરૂ થયો ભરતી મેળો! કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી હરેશ વસાવાએ કેસરિયો કર્યો ધારણ


  • Published By :
  • Published Date : 2023-09-16 18:37:38

2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પહેલા દરેક પાર્ટીમાં ભરતીની મોસમ આવતી હોય તેવું લાગે છે. અનેક નેતાઓ પક્ષપલટો કરી લેતા હોય છે. પોતાનો પક્ષ છોડી બીજા પક્ષમાં જોડાઈ જતા હોય છે જેને લઈ રાજકારણ ગરમાતું હોય છે. ત્યારે નર્મદા જિલ્લા કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. પોતાના 150 જેટલા સમર્થકો સાથે કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી હરેશ વસાવાએ કેસરિયો ધારણ કરી લીધો છે. સી.આર.પાટીલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. સુરતના અંબાનગર સ્થિર ભાજપ પ્રદેશ અધ્યક્ષની ઓફિસે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

પોતાના સમર્થકો સાથે હરેશ વસાવાએ ધારણ કર્યો કેસરિયો 

ગુજરાત કોંગ્રેસને ચૂંટણી પહેલા મોટો ઝટકો મળ્યો છે. નર્મદા જિલ્લાના કોંગ્રેસના કદાવર નેતા હરેશ વસાવાએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો સાથ અપનાવ્યો છે. પોતાના 150 જેટલા સમર્થકો સાથે તેમણે સી.આર.પાટીલની અધ્યક્ષતામાં કેસરિયો ધારણ કર્યો છે. મહત્વનું છે કે લોકસભાની ચૂંટણી પહેલા દરેક પાર્ટીના રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. રાજકીય પક્ષોમાં ભરતી મેળો ચાલે ચૂંટણીની સિઝન દરમિયાન ચાલતો હોય છે. થોડા સમય પહેલા વડોદરામાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કોર્પોરેટરોએ રાજીનામા આપી દીધા હતા જેને કારણે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો ત્યારે આજે હરેશ વસાવાએ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. 


ભાજપના કામોને જોઈ હરેશ વસાવાએ ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો! 

મહત્વનું છે કે એક સમયે જે પાર્ટી વિરૂદ્ધ નેતાઓ નિવેદનો આપતા હોય છે તે પક્ષ તેમને અચાનક સારો લાગવા લાગે છે. અનેક નેતાઓના નિવેદનો આવા પ્રકારના હોય છે. કેસરિયો ધારણ કર્યા બાદ હરેશ વસાવાએ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની વિકાસલક્ષી કાર્યક્ષેલીના કારણે છેવાડા ગામ સુધી વિકાસ થઈ રહ્યો છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિકાસયાત્રાને છેવાડાના ગામ સુધી લઈ જવામાં આવી છે. જેના કારણે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો અંતે નિર્ણય કર્યો છે.      



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.