Loksabha Election પહેલા BJPમાં શરૂ થશે ભરતી મેળો! Bharat Boghraની અધ્યક્ષતામાં બનેલી ટીમ કહેશે કોને ભાજપમાં જોડવા?


  • Published By :
  • Published Date : 2024-01-04 14:05:59

લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી ઓપરેશન લોટસ પર પૂરેપૂરી તૈયારીઓ કરી રહી છે. લોકસભાની ચૂંટણી પહેલા પ્રદેશ ભાજપનું વ્યાપ વધે તે માટે આયોજનો કરવામાં આવી રહ્યા છે. સ્ક્રીનિંગ કમિટીની રચના કરવામાં આવી છે જેની જવાબદારી ભાજપે ઉપાધ્યક્ષ ભરત બોઘરાને સોંપી છે. ભરત બોધરાની અધ્યક્ષતામાં એક કમિટી રચવામાં આવી છે એટલે ફરી ભરત બોઘરા નવા વરરાજા લાવશે જે રાજીનામું આપશે અને તે એના અનવર બનશે. બીજી પાર્ટીના નેતાઓને ભાજપમાં લાવવામાં આવશે અને ભાજપમાં ભરતીમેળો થશે...! 

ભરત બોઘરાની અધ્યક્ષતામાં રચાઈ કમિટી

આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. સામ, દામ,દંડ ભેદનો ઉપયોગ ચૂંટણી જીતવા માટે રાજકીય પાર્ટીઓ દ્વારા અપનાવામાં આવશે. ચૂંટણી પહેલા પ્રદેશ ભાજપનો વ્યાપ વધારવા માટે મોટું આયોજન કરવામાં આવ્યું છે. અન્ય પક્ષના નારાજ નેતાઓને પક્ષમાં જોડવા માટે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાની અધ્યક્ષતામાં એક કમિટી રચાઈ છે જેની જવાબદારી હશે બીજી પાર્ટીના નારાજ નેતાઓને ભાજપમાં જોડવાની. આ કમિટીમાં નાયબ દંડક જગદીશ મકવાણા, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયા, વડોદરા જિલ્લા પ્રભારી રાજેશ પાઠક અને ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ હિમાંશુભાઈ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Will BJP do a Gujarat in MP ahead of 2023 polls?

 ભાજપમાં શરૂ થશે ભરતી મેળો!

આ કમિટી અન્ય પક્ષના કયા નારાજ નેતાને ભાજપમાં સામેલ કરવા તે અંગેનો રિપોર્ટ સોંપશે. તે અંગેના અભિપ્રાયો આપશે. આ કમિટીનો હેતુ રહેશે કે પ્રદેશ અને જિલ્લા, મહાનગર સ્તર પર સરપંચ પદ પરથી ચૂંટણી લડેલા અન્ય પાર્ટીઓના કે અપક્ષ ઉમેદવારો, સમાજના અને વિવિધ ક્ષેત્રના આગેવાનોના નામોની યાદી તૈયાર કરીને મોટી સંખ્યામાં પક્ષમાં જોડવાનો. મહત્વનું છે કે ડિસેમ્બરમાં એક જ અઠવાડિયામાં આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી અને કોંગ્રેસના ખંભાતના ચિરાગ પટેલે રાજીનામું આપ્યું હતું. આ ધારાસભ્યો જ્યારે રાજીનામું આપવા ગયા ત્યારે એક ચહેરો કોમન હતો. અને તે હતા ભરત બોઘરા. ત્યારે હવે એ જ ભરત બોઘરાને આ કમિટીનું સુકાન સોંપવામાં આવ્યું છે. એટલે હવે જલ્દી જ રાજીનામાનું જે નાટક હતું, જેના પર વિરામ મુકાયો હતો એ હવે ફરી શરૂ થઈ શકે છે. 

Image

આઠ સિનિયર નેતાઓને સોંપવામાં આવી જવાબદારી 

લોકસભાની ચૂંટણી માટે ભાજપ અત્યારથી તડામાર તૈયારીઓ કરી રહ્યું છે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આઠ દિગ્ગજ નેતાઓને અલગ અલગ જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે. પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને 3 બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે.  પ્રદિપસિંહને વડોદરા, છોટા ઉદેપુર અને ભરૂચ લોકસભા બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. તે સિવાય અમિત ઠાકરને બનાસકાંઠા, કચ્છ, પાટણ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે