Loksabha Election પહેલા BJPમાં શરૂ થશે ભરતી મેળો! Bharat Boghraની અધ્યક્ષતામાં બનેલી ટીમ કહેશે કોને ભાજપમાં જોડવા?


  • Published By :
  • Published Date : 2024-01-04 14:05:59

લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી ઓપરેશન લોટસ પર પૂરેપૂરી તૈયારીઓ કરી રહી છે. લોકસભાની ચૂંટણી પહેલા પ્રદેશ ભાજપનું વ્યાપ વધે તે માટે આયોજનો કરવામાં આવી રહ્યા છે. સ્ક્રીનિંગ કમિટીની રચના કરવામાં આવી છે જેની જવાબદારી ભાજપે ઉપાધ્યક્ષ ભરત બોઘરાને સોંપી છે. ભરત બોધરાની અધ્યક્ષતામાં એક કમિટી રચવામાં આવી છે એટલે ફરી ભરત બોઘરા નવા વરરાજા લાવશે જે રાજીનામું આપશે અને તે એના અનવર બનશે. બીજી પાર્ટીના નેતાઓને ભાજપમાં લાવવામાં આવશે અને ભાજપમાં ભરતીમેળો થશે...! 

ભરત બોઘરાની અધ્યક્ષતામાં રચાઈ કમિટી

આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. સામ, દામ,દંડ ભેદનો ઉપયોગ ચૂંટણી જીતવા માટે રાજકીય પાર્ટીઓ દ્વારા અપનાવામાં આવશે. ચૂંટણી પહેલા પ્રદેશ ભાજપનો વ્યાપ વધારવા માટે મોટું આયોજન કરવામાં આવ્યું છે. અન્ય પક્ષના નારાજ નેતાઓને પક્ષમાં જોડવા માટે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાની અધ્યક્ષતામાં એક કમિટી રચાઈ છે જેની જવાબદારી હશે બીજી પાર્ટીના નારાજ નેતાઓને ભાજપમાં જોડવાની. આ કમિટીમાં નાયબ દંડક જગદીશ મકવાણા, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયા, વડોદરા જિલ્લા પ્રભારી રાજેશ પાઠક અને ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ હિમાંશુભાઈ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Will BJP do a Gujarat in MP ahead of 2023 polls?

 ભાજપમાં શરૂ થશે ભરતી મેળો!

આ કમિટી અન્ય પક્ષના કયા નારાજ નેતાને ભાજપમાં સામેલ કરવા તે અંગેનો રિપોર્ટ સોંપશે. તે અંગેના અભિપ્રાયો આપશે. આ કમિટીનો હેતુ રહેશે કે પ્રદેશ અને જિલ્લા, મહાનગર સ્તર પર સરપંચ પદ પરથી ચૂંટણી લડેલા અન્ય પાર્ટીઓના કે અપક્ષ ઉમેદવારો, સમાજના અને વિવિધ ક્ષેત્રના આગેવાનોના નામોની યાદી તૈયાર કરીને મોટી સંખ્યામાં પક્ષમાં જોડવાનો. મહત્વનું છે કે ડિસેમ્બરમાં એક જ અઠવાડિયામાં આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી અને કોંગ્રેસના ખંભાતના ચિરાગ પટેલે રાજીનામું આપ્યું હતું. આ ધારાસભ્યો જ્યારે રાજીનામું આપવા ગયા ત્યારે એક ચહેરો કોમન હતો. અને તે હતા ભરત બોઘરા. ત્યારે હવે એ જ ભરત બોઘરાને આ કમિટીનું સુકાન સોંપવામાં આવ્યું છે. એટલે હવે જલ્દી જ રાજીનામાનું જે નાટક હતું, જેના પર વિરામ મુકાયો હતો એ હવે ફરી શરૂ થઈ શકે છે. 

Image

આઠ સિનિયર નેતાઓને સોંપવામાં આવી જવાબદારી 

લોકસભાની ચૂંટણી માટે ભાજપ અત્યારથી તડામાર તૈયારીઓ કરી રહ્યું છે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આઠ દિગ્ગજ નેતાઓને અલગ અલગ જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે. પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને 3 બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે.  પ્રદિપસિંહને વડોદરા, છોટા ઉદેપુર અને ભરૂચ લોકસભા બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. તે સિવાય અમિત ઠાકરને બનાસકાંઠા, કચ્છ, પાટણ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.