રેડમીનો પાવરફુલ પ્રોસેસર સાથે નવો ફોન રેડમી નોટ 12 લોંચ કરશે, મીડિયા ટેક ડાયમેન્સીટી 1080 ચીપસેટથી સજ્જ હશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 10:11:48

નોટ 12 સિરીઝ રિયર પર 50 MP અલ્ટ્રા-વાઈડ સેન્સર ધરાવે તેવી અપેક્ષા રાખવામાં આવે છે
રેડ નોટ 11 પ્રો અને નોટ 11 પ્રો+5G હેન્ડસેટ્સ AMOLED ડિસપ્લેની વિશેષતા ધરાવે છે
રેડ નોટ 11 પ્રો અને નોટ 11 પ્રો+5G હેન્ડસેટ્સ AMOLED ડિસપ્લેની વિશેષતા ધરાવે છે

Redmi Note 12 series could be launched in October 2022

ચીનની સ્માર્ટફોન ઉત્પાદક કંપની રેડમી તેના લેટેસ્ટ હેન્ડસેટ રેડમી નોટ 12 રજૂ કરી શકે છે. આ હેન્ડસેટ મીડિયા ટેક ડાયમેન્શનના સૌથી નવા પ્રોસેસર દ્વારા સંચાલિત હશે.રેડમી નોટ 12 હેન્ડસેટની ચોક્કસ તારીખ અને સ્પેસિપિકેશન્સ અંગે કંપની તરફથી સત્તાવાર રીતે કોઈ માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. જોકે તેના લોંચીંગ પૂર્વે ચીપસેટ અંગે ઓનલાઈન કેટલીક માહિતી બહાર આવી છે


ચીનની ટેકનોલોજી ક્ષેત્રની અગ્રણી શાઓમીની બ્રાન્ડ રેડમી ટૂંક સમયમાં તેના લેટેસ્ટ સ્માર્ટફોનના સ્વરૂપમાં રેડમી નોટ 12 હેન્ડસેટ રજૂ કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરૂઆતમાં તેણે ભારતમાં રેડમી નોટ 11 સિરીઝને શાઓમીના સ્પિન-ઓફ બ્રાન્ડ રેડમીને ફેબ્રુઆરી મહિનામાં રજૂ કર્યો હતો.


રેડમી નોટ 12 હેન્ડસેટની ચોક્કસ તારીખ અને સ્પેસિપિકેશન્સ અંગે કંપની તરફથી સત્તાવાર રીતે કોઈ માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. જોકે તેના લોંચીંગ પૂર્વે ચીપસેટ અંગે ઓનલાઈન કેટલીક માહિતી બહાર આવી છે,જે આ હેન્ડસેટને ચલાવશે.


વેઈબો (ડિજીટલ ચેટ સ્ટેશન મારફતે) દ્વારા રજૂ કરવામાં આવેલા એક અહેવાલ પ્રમાણે રેડમી નોટ 12 સિરીઝ લેટેસ્ટ મીડિયા ટેક ડાયમેન્સીટી 1080 ચીપસેટથી સંચાલિત હશે.

Redmi Note 12 Pro Price, Specs & Release Date | 12 Pro Vs Realme 9 Pro

આગામી નોટ 12 સિરીઝ રિયર પર 50 MP અલ્ટ્રા-વાઈડ સેન્સર ધરાવે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. જોકે, આ સેન્સર કયા હેન્ડસેટની વિશેષતા હશે તે અંગે ચોક્કસ માહિતી આપવામાં આવી નથી.


રેડમી નોટ 11 પ્રો, નોટ 11 પ્રો+5G: વિશેષતા

રેડ નોટ 11 પ્રો અને નોટ 11 પ્રો+5G હેન્ડસેટ્સ AMOLED ડિસપ્લેની વિશેષતા ધરાવે છે,જે 120Hz રિફ્રેશ રેટની ઓફર ધરાવે છે. 67W ફાસ્ટ ચાર્જીંગ સપોર્ટ સાથે 5000mAh બેટરી ડ્યુ પેક અને એન્ડ્રોઈડ OS ધરાવે છે.


કિંમતની બાબતમાં પણ આકર્ષક
Xiaomi Redmi Note 12 Pro In Denmark » Shop

રેડમી નોટ 11 પ્રો+5G ત્રણ પ્રકારમાં, 6GB RAM+128GB સ્ટોરેજ, 8GB RAM+128GB સ્ટોરેજ વેરિએન્ટ તથા 8GB RAM+128GM સ્ટોરેજ છે. આ સ્માર્ટફોનની કિંમત રૂપિયા 20,999, રૂપિયા 22,999 અને રૂપિયા 24,999 છે. આ હેન્ડસેટની સ્ટીલ્થ બ્લેક અને ફેન્ટમ વ્હાઈટમાં ફ્રોસ્ટેડ ગ્લાસ બેક અને મિરેજ બ્લૂ કલર વેરિએન્ટ સાથે ખરીદી શકાય છે. રેડમી નોટ 11 પ્રો 5G બે વેરિએન્ટ-6GB RAM + 128GB સ્ટોરેજ તથા 8GB RAM+128GB સ્ટોરેજ ધરાવે છે. હેન્ડસેટની કિંમત અનુક્રમે રૂપિયા 17,999 અને 19,999 છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.