રેડમીનો પાવરફુલ પ્રોસેસર સાથે નવો ફોન રેડમી નોટ 12 લોંચ કરશે, મીડિયા ટેક ડાયમેન્સીટી 1080 ચીપસેટથી સજ્જ હશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 10:11:48

નોટ 12 સિરીઝ રિયર પર 50 MP અલ્ટ્રા-વાઈડ સેન્સર ધરાવે તેવી અપેક્ષા રાખવામાં આવે છે
રેડ નોટ 11 પ્રો અને નોટ 11 પ્રો+5G હેન્ડસેટ્સ AMOLED ડિસપ્લેની વિશેષતા ધરાવે છે
રેડ નોટ 11 પ્રો અને નોટ 11 પ્રો+5G હેન્ડસેટ્સ AMOLED ડિસપ્લેની વિશેષતા ધરાવે છે

Redmi Note 12 series could be launched in October 2022

ચીનની સ્માર્ટફોન ઉત્પાદક કંપની રેડમી તેના લેટેસ્ટ હેન્ડસેટ રેડમી નોટ 12 રજૂ કરી શકે છે. આ હેન્ડસેટ મીડિયા ટેક ડાયમેન્શનના સૌથી નવા પ્રોસેસર દ્વારા સંચાલિત હશે.રેડમી નોટ 12 હેન્ડસેટની ચોક્કસ તારીખ અને સ્પેસિપિકેશન્સ અંગે કંપની તરફથી સત્તાવાર રીતે કોઈ માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. જોકે તેના લોંચીંગ પૂર્વે ચીપસેટ અંગે ઓનલાઈન કેટલીક માહિતી બહાર આવી છે


ચીનની ટેકનોલોજી ક્ષેત્રની અગ્રણી શાઓમીની બ્રાન્ડ રેડમી ટૂંક સમયમાં તેના લેટેસ્ટ સ્માર્ટફોનના સ્વરૂપમાં રેડમી નોટ 12 હેન્ડસેટ રજૂ કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરૂઆતમાં તેણે ભારતમાં રેડમી નોટ 11 સિરીઝને શાઓમીના સ્પિન-ઓફ બ્રાન્ડ રેડમીને ફેબ્રુઆરી મહિનામાં રજૂ કર્યો હતો.


રેડમી નોટ 12 હેન્ડસેટની ચોક્કસ તારીખ અને સ્પેસિપિકેશન્સ અંગે કંપની તરફથી સત્તાવાર રીતે કોઈ માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. જોકે તેના લોંચીંગ પૂર્વે ચીપસેટ અંગે ઓનલાઈન કેટલીક માહિતી બહાર આવી છે,જે આ હેન્ડસેટને ચલાવશે.


વેઈબો (ડિજીટલ ચેટ સ્ટેશન મારફતે) દ્વારા રજૂ કરવામાં આવેલા એક અહેવાલ પ્રમાણે રેડમી નોટ 12 સિરીઝ લેટેસ્ટ મીડિયા ટેક ડાયમેન્સીટી 1080 ચીપસેટથી સંચાલિત હશે.

Redmi Note 12 Pro Price, Specs & Release Date | 12 Pro Vs Realme 9 Pro

આગામી નોટ 12 સિરીઝ રિયર પર 50 MP અલ્ટ્રા-વાઈડ સેન્સર ધરાવે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. જોકે, આ સેન્સર કયા હેન્ડસેટની વિશેષતા હશે તે અંગે ચોક્કસ માહિતી આપવામાં આવી નથી.


રેડમી નોટ 11 પ્રો, નોટ 11 પ્રો+5G: વિશેષતા

રેડ નોટ 11 પ્રો અને નોટ 11 પ્રો+5G હેન્ડસેટ્સ AMOLED ડિસપ્લેની વિશેષતા ધરાવે છે,જે 120Hz રિફ્રેશ રેટની ઓફર ધરાવે છે. 67W ફાસ્ટ ચાર્જીંગ સપોર્ટ સાથે 5000mAh બેટરી ડ્યુ પેક અને એન્ડ્રોઈડ OS ધરાવે છે.


કિંમતની બાબતમાં પણ આકર્ષક
Xiaomi Redmi Note 12 Pro In Denmark » Shop

રેડમી નોટ 11 પ્રો+5G ત્રણ પ્રકારમાં, 6GB RAM+128GB સ્ટોરેજ, 8GB RAM+128GB સ્ટોરેજ વેરિએન્ટ તથા 8GB RAM+128GM સ્ટોરેજ છે. આ સ્માર્ટફોનની કિંમત રૂપિયા 20,999, રૂપિયા 22,999 અને રૂપિયા 24,999 છે. આ હેન્ડસેટની સ્ટીલ્થ બ્લેક અને ફેન્ટમ વ્હાઈટમાં ફ્રોસ્ટેડ ગ્લાસ બેક અને મિરેજ બ્લૂ કલર વેરિએન્ટ સાથે ખરીદી શકાય છે. રેડમી નોટ 11 પ્રો 5G બે વેરિએન્ટ-6GB RAM + 128GB સ્ટોરેજ તથા 8GB RAM+128GB સ્ટોરેજ ધરાવે છે. હેન્ડસેટની કિંમત અનુક્રમે રૂપિયા 17,999 અને 19,999 છે.



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.