રેડમીનો પાવરફુલ પ્રોસેસર સાથે નવો ફોન રેડમી નોટ 12 લોંચ કરશે, મીડિયા ટેક ડાયમેન્સીટી 1080 ચીપસેટથી સજ્જ હશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 10:11:48

નોટ 12 સિરીઝ રિયર પર 50 MP અલ્ટ્રા-વાઈડ સેન્સર ધરાવે તેવી અપેક્ષા રાખવામાં આવે છે
રેડ નોટ 11 પ્રો અને નોટ 11 પ્રો+5G હેન્ડસેટ્સ AMOLED ડિસપ્લેની વિશેષતા ધરાવે છે
રેડ નોટ 11 પ્રો અને નોટ 11 પ્રો+5G હેન્ડસેટ્સ AMOLED ડિસપ્લેની વિશેષતા ધરાવે છે

Redmi Note 12 series could be launched in October 2022

ચીનની સ્માર્ટફોન ઉત્પાદક કંપની રેડમી તેના લેટેસ્ટ હેન્ડસેટ રેડમી નોટ 12 રજૂ કરી શકે છે. આ હેન્ડસેટ મીડિયા ટેક ડાયમેન્શનના સૌથી નવા પ્રોસેસર દ્વારા સંચાલિત હશે.રેડમી નોટ 12 હેન્ડસેટની ચોક્કસ તારીખ અને સ્પેસિપિકેશન્સ અંગે કંપની તરફથી સત્તાવાર રીતે કોઈ માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. જોકે તેના લોંચીંગ પૂર્વે ચીપસેટ અંગે ઓનલાઈન કેટલીક માહિતી બહાર આવી છે


ચીનની ટેકનોલોજી ક્ષેત્રની અગ્રણી શાઓમીની બ્રાન્ડ રેડમી ટૂંક સમયમાં તેના લેટેસ્ટ સ્માર્ટફોનના સ્વરૂપમાં રેડમી નોટ 12 હેન્ડસેટ રજૂ કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરૂઆતમાં તેણે ભારતમાં રેડમી નોટ 11 સિરીઝને શાઓમીના સ્પિન-ઓફ બ્રાન્ડ રેડમીને ફેબ્રુઆરી મહિનામાં રજૂ કર્યો હતો.


રેડમી નોટ 12 હેન્ડસેટની ચોક્કસ તારીખ અને સ્પેસિપિકેશન્સ અંગે કંપની તરફથી સત્તાવાર રીતે કોઈ માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. જોકે તેના લોંચીંગ પૂર્વે ચીપસેટ અંગે ઓનલાઈન કેટલીક માહિતી બહાર આવી છે,જે આ હેન્ડસેટને ચલાવશે.


વેઈબો (ડિજીટલ ચેટ સ્ટેશન મારફતે) દ્વારા રજૂ કરવામાં આવેલા એક અહેવાલ પ્રમાણે રેડમી નોટ 12 સિરીઝ લેટેસ્ટ મીડિયા ટેક ડાયમેન્સીટી 1080 ચીપસેટથી સંચાલિત હશે.

Redmi Note 12 Pro Price, Specs & Release Date | 12 Pro Vs Realme 9 Pro

આગામી નોટ 12 સિરીઝ રિયર પર 50 MP અલ્ટ્રા-વાઈડ સેન્સર ધરાવે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. જોકે, આ સેન્સર કયા હેન્ડસેટની વિશેષતા હશે તે અંગે ચોક્કસ માહિતી આપવામાં આવી નથી.


રેડમી નોટ 11 પ્રો, નોટ 11 પ્રો+5G: વિશેષતા

રેડ નોટ 11 પ્રો અને નોટ 11 પ્રો+5G હેન્ડસેટ્સ AMOLED ડિસપ્લેની વિશેષતા ધરાવે છે,જે 120Hz રિફ્રેશ રેટની ઓફર ધરાવે છે. 67W ફાસ્ટ ચાર્જીંગ સપોર્ટ સાથે 5000mAh બેટરી ડ્યુ પેક અને એન્ડ્રોઈડ OS ધરાવે છે.


કિંમતની બાબતમાં પણ આકર્ષક
Xiaomi Redmi Note 12 Pro In Denmark » Shop

રેડમી નોટ 11 પ્રો+5G ત્રણ પ્રકારમાં, 6GB RAM+128GB સ્ટોરેજ, 8GB RAM+128GB સ્ટોરેજ વેરિએન્ટ તથા 8GB RAM+128GM સ્ટોરેજ છે. આ સ્માર્ટફોનની કિંમત રૂપિયા 20,999, રૂપિયા 22,999 અને રૂપિયા 24,999 છે. આ હેન્ડસેટની સ્ટીલ્થ બ્લેક અને ફેન્ટમ વ્હાઈટમાં ફ્રોસ્ટેડ ગ્લાસ બેક અને મિરેજ બ્લૂ કલર વેરિએન્ટ સાથે ખરીદી શકાય છે. રેડમી નોટ 11 પ્રો 5G બે વેરિએન્ટ-6GB RAM + 128GB સ્ટોરેજ તથા 8GB RAM+128GB સ્ટોરેજ ધરાવે છે. હેન્ડસેટની કિંમત અનુક્રમે રૂપિયા 17,999 અને 19,999 છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.