ચલણી નોટોને લઈ કેજરીવાલે આપ્યું નિવેદન, કહ્યું કે...


  • Published By :
  • Published Date : 2022-10-26 12:39:55

હાલ દિવાળીનો પર્વ ચાલી રહ્યો છે, દિવાળી દરમિયાન આપણે ત્યાં માતા લક્ષ્મી, માતા સરસ્વતી તેમજ ગણપતિજીની પૂજા કરવામાં આવે છે. ત્યારે અરવિંદ કેજરીવાલે એક નિવેદન આપ્યું છે જેમાં તેમણે કેન્દ્ર સરકારને ચલણી નોટોમાં માતા લક્ષ્મી તેમજ ગણપતિજીનો ફોટો રાખવા અપિલ કરી છે. આ અંગે તેમણે કેન્દ્ર સરકારને રજૂઆત પણ કરી છે. 

અર્થવ્યવસ્થા સુધારવા ભગવાનના આશીર્વાદ જરૂરી - કેજરીવાલ

અર્થવ્યવસ્થાને લઈ કેજરીવાલે નિવેદન આપતા કહ્યું કે દેશની અર્થવ્યવસ્થા સુધારવા માટે ઘણા પાસાઓ પર કામ કરવાની જરૂર છે. પરંતુ આની સાથે ભગવાનના આશીર્વાદ પણ જરૂરી છે. ગણેશ ભગવાન અને લક્ષ્મી માતાની પૂજાનું ઘણું મહત્વ રહેલું છે. તેમની પૂજા કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. તેવામાં આપણે અર્થવ્યવસ્થા સુધારાવી હશે તો પણ ભગવાનના આશીર્વાદ જોઈશે.

   

પૂજા કરતી વખતે કેજરીવાલને આવ્યો વિચાર

વધુમાં તેમણે કહ્યું કે જ્યારે અહીં ભગવાનની દિવાળીમાં પૂજા થઈ રહી હતી ત્યારે મને એક વિચાર આવ્યો કે આપણે સમૃદ્ધિ અને સુખ માટે ભગવાન ગણેશ અને લક્ષ્મીજીની પૂજા કરીએ છીએ. તો આપણી ચલણી નોટ પર પણ તેમની તસવીર હોવી જોઈએ. ગાંધીજીની તસવીર સાથે માતા લક્ષ્મી અને ગણપતિની તસવીર પણ હોવી જોઈએ. વધુમાં  કેજરીવાલે કહ્યું કે અમે દેશમાં જે ચલણી નોટ ચાલી રહી છે તેને પરત લેવાની વાત નથી કરતા. પરંતુ હવે આગળ જે નવી નોટ છપાય તેમાં આવી તસવીર રાખવી જોઈએ. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.