ચલણી નોટોને લઈ કેજરીવાલે આપ્યું નિવેદન, કહ્યું કે...


  • Published By :
  • Published Date : 2022-10-26 12:39:55

હાલ દિવાળીનો પર્વ ચાલી રહ્યો છે, દિવાળી દરમિયાન આપણે ત્યાં માતા લક્ષ્મી, માતા સરસ્વતી તેમજ ગણપતિજીની પૂજા કરવામાં આવે છે. ત્યારે અરવિંદ કેજરીવાલે એક નિવેદન આપ્યું છે જેમાં તેમણે કેન્દ્ર સરકારને ચલણી નોટોમાં માતા લક્ષ્મી તેમજ ગણપતિજીનો ફોટો રાખવા અપિલ કરી છે. આ અંગે તેમણે કેન્દ્ર સરકારને રજૂઆત પણ કરી છે. 

અર્થવ્યવસ્થા સુધારવા ભગવાનના આશીર્વાદ જરૂરી - કેજરીવાલ

અર્થવ્યવસ્થાને લઈ કેજરીવાલે નિવેદન આપતા કહ્યું કે દેશની અર્થવ્યવસ્થા સુધારવા માટે ઘણા પાસાઓ પર કામ કરવાની જરૂર છે. પરંતુ આની સાથે ભગવાનના આશીર્વાદ પણ જરૂરી છે. ગણેશ ભગવાન અને લક્ષ્મી માતાની પૂજાનું ઘણું મહત્વ રહેલું છે. તેમની પૂજા કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. તેવામાં આપણે અર્થવ્યવસ્થા સુધારાવી હશે તો પણ ભગવાનના આશીર્વાદ જોઈશે.

   

પૂજા કરતી વખતે કેજરીવાલને આવ્યો વિચાર

વધુમાં તેમણે કહ્યું કે જ્યારે અહીં ભગવાનની દિવાળીમાં પૂજા થઈ રહી હતી ત્યારે મને એક વિચાર આવ્યો કે આપણે સમૃદ્ધિ અને સુખ માટે ભગવાન ગણેશ અને લક્ષ્મીજીની પૂજા કરીએ છીએ. તો આપણી ચલણી નોટ પર પણ તેમની તસવીર હોવી જોઈએ. ગાંધીજીની તસવીર સાથે માતા લક્ષ્મી અને ગણપતિની તસવીર પણ હોવી જોઈએ. વધુમાં  કેજરીવાલે કહ્યું કે અમે દેશમાં જે ચલણી નોટ ચાલી રહી છે તેને પરત લેવાની વાત નથી કરતા. પરંતુ હવે આગળ જે નવી નોટ છપાય તેમાં આવી તસવીર રાખવી જોઈએ. 




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .