ચલણી નોટોને લઈ કેજરીવાલે આપ્યું નિવેદન, કહ્યું કે...


  • Published By :
  • Published Date : 2022-10-26 12:39:55

હાલ દિવાળીનો પર્વ ચાલી રહ્યો છે, દિવાળી દરમિયાન આપણે ત્યાં માતા લક્ષ્મી, માતા સરસ્વતી તેમજ ગણપતિજીની પૂજા કરવામાં આવે છે. ત્યારે અરવિંદ કેજરીવાલે એક નિવેદન આપ્યું છે જેમાં તેમણે કેન્દ્ર સરકારને ચલણી નોટોમાં માતા લક્ષ્મી તેમજ ગણપતિજીનો ફોટો રાખવા અપિલ કરી છે. આ અંગે તેમણે કેન્દ્ર સરકારને રજૂઆત પણ કરી છે. 

અર્થવ્યવસ્થા સુધારવા ભગવાનના આશીર્વાદ જરૂરી - કેજરીવાલ

અર્થવ્યવસ્થાને લઈ કેજરીવાલે નિવેદન આપતા કહ્યું કે દેશની અર્થવ્યવસ્થા સુધારવા માટે ઘણા પાસાઓ પર કામ કરવાની જરૂર છે. પરંતુ આની સાથે ભગવાનના આશીર્વાદ પણ જરૂરી છે. ગણેશ ભગવાન અને લક્ષ્મી માતાની પૂજાનું ઘણું મહત્વ રહેલું છે. તેમની પૂજા કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. તેવામાં આપણે અર્થવ્યવસ્થા સુધારાવી હશે તો પણ ભગવાનના આશીર્વાદ જોઈશે.

   

પૂજા કરતી વખતે કેજરીવાલને આવ્યો વિચાર

વધુમાં તેમણે કહ્યું કે જ્યારે અહીં ભગવાનની દિવાળીમાં પૂજા થઈ રહી હતી ત્યારે મને એક વિચાર આવ્યો કે આપણે સમૃદ્ધિ અને સુખ માટે ભગવાન ગણેશ અને લક્ષ્મીજીની પૂજા કરીએ છીએ. તો આપણી ચલણી નોટ પર પણ તેમની તસવીર હોવી જોઈએ. ગાંધીજીની તસવીર સાથે માતા લક્ષ્મી અને ગણપતિની તસવીર પણ હોવી જોઈએ. વધુમાં  કેજરીવાલે કહ્યું કે અમે દેશમાં જે ચલણી નોટ ચાલી રહી છે તેને પરત લેવાની વાત નથી કરતા. પરંતુ હવે આગળ જે નવી નોટ છપાય તેમાં આવી તસવીર રાખવી જોઈએ. 




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે